આપણી અનિયમિત આહાર લેવાની ખોટી ટેવ કબજિયાત થવાનું કારણ બને છે. કબજિયાત થવાથી અનેક રોગ થવાનુ મૂળ માનવામાં આવે છે. ભોજન કર્યા પછી એક જગ્યાએ બેસી રહેવાથી અથવા ભોજન કર્યા પછી સુઈ જવાથી આ સમસ્યા થતી હોય છે. કબજિયાત થવાથી પેટ સાફ થતું નથી.

જેના કારણે મળ કઢણ થઈ જાય છે. જેથી મળ નીકળતા સમયે ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. કબજિયાત થવાથી લાંબા સમય સુધી શૌચાલય માં બેસી રહેવું પણ પડે છે. આ એક એવી બીમારી છે જેના કારણે વ્યક્તિ ખુબ જ પરેશાન થઈ જાય છે. માટે કબજિયાતની સમસ્યાનો જલ્દી ઉપાય કરવો ખુબ જ જરૂરી બની જાય છે.

કબજિયાતની સમસ્યા રહેવાથી આંતરડાનું કેન્સર પણ થવાનું જોખમ ખુબ જ વધી જાય છે. માટે કેટલીક આયુર્વેદિક પદ્ધતિથી કબજિયાતની સમસ્યામાંથી કાયમી છુટકાળો મેળવી શકાય છે. તો ચાલો કબજિયાત થવાના કારણો અને તેમને દૂર કરવાના અકસીર ઈલાજ વિષે જાણીએ.

કબજિયાત થવાના કારણો: અનિયમિત સમયે ભોજન લેવું એ કબજિયાત થવાનું સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત મસાલે દાળ ખોરાક ખાવાથી, મેંદાવાળી વસ્તુનું સેવન કરવાથી, રાત્રિનું ભોજન મોડા લેવાથી, ભોજન કર્યા પછી તરત જ ચા કોફી કે કોઈ પણ વ્યશન કરવાથી, ભોજન કરીને સુઈ જવાથી જેવા અનેક કારણો ના લીધે કબજિયાતની સમસ્યા રહેતી હોય છે.

કબજિયાત દૂર કરવાના ઉપાય: હરડે: કબજિયાત માટે હરડે આયુર્વેદિમાં સૌથી ઉત્તમ માનવામાં આવે છે. હરડે દવાનું કામ કરે છે. રોજે ભોજન પછી એક હરડેનું સેવન કરવું જોઈએ. જેથી કોઈ પણ ખોરાકનું સેવન કર્યુ હોય તો તે ખોરાકને આસાનીથી પચાવી દેવામાં મદદ કરે છે. જેથી પાચનક્રિયામાં સુધારો થાય છે.

આ ઉપરાંત એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક હરડેનું ચૂર્ણ પાવડર બનાવીને મિક્સ કરી લેવું ત્યાર પછી તેનું સેવન જમ્યા પછી કરવું જોઈએ. જેથી ડાયજેશન સિસ્ટમ માં સુધારો થાય છે જેથી જામેલ ગમે તેવો મળ છૂટો પડે છે અને પેટ સાફ થઈ જાય છે જેથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

અંજીર: અંજીર ડ્રાયફૂટ કબજિયાત ની સમસ્યા માં સૌથી અસરકારક સાબિત થાય છે. અંજીરમાં સારી માત્રામાં ડાયેટરી ફાયબર ઉપરાંત અનેક પોષક તત્વો મળી આવે છે. જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. માટે રોજે બે અંજીરની પાણીમાં પલાળીને 8 કલાક પછી ચાવી ચાવીને સેવન કરવું જોઈએ.

સૂકી દ્રાક્ષ: સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીને 7-8 કલાક પછી સેવન કરવાથી કબજિયાતની બીમારીમાં રાહત મળે છે. આ ઉપરાંત ગરમીમાં શરીરને ઠંડક રાખવા માટે પણ પલાળેલી દ્રાક્ષ ખાવી જોઈએ જેથી શરીરને ભરપૂર એનર્જી પણ આપશે અને પાચનશક્તિને પણ મજબૂત બનાવે છે.

કબજિયાતની સમસ્યામાંથી કાયમી માટે છુટકાળો મેળવવા રોજે સવારે અને સાંજે બંને ટાઈમ એક ગ્લાસ નવશેકું હૂંફાળું પાણીનું સેવન કરવું જોઈએ જે આંતરડામાં જામેલ મળને છૂટો કરશે અને પેટમાં રહેલ હાનિકારક ઝેરી તત્વોનો પણ નાશ કરશે. માટે રોજે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.

કબજિયાત થતા અટકાવવા માટે આપણે આપણા આહાર માં પૂરતું ઘ્યાન રાખવું જોઈએ. આ માટે આપણે બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડનું સેવન કરવાનું બંઘ કરી દેવું જોઈએ સાથે ચરબી યુક્ત આહાર અને મેંદા વાળા આહારનું સેવન કરવાથી બચવું અને કોલ્ડ્રિકનું સેવન પણ ઓછું કરવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *