આજકાલ મોટાભાગના લોકો સવારે પેટ સાફ ન થવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જો પેટ સાફ ન રહે તો ઘણી બીમારીઓ થવાની શક્યતા રહે છે. પેટ સાફ ન થવાનું સૌથી મોટું કારણ કબજિયાતની સમસ્યા છે. આજની અસ્વસ્થ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન છે. કબજિયાતની સમસ્યાનું સૌથી મોટું કારણ યોગ્ય સમયે ભોજન ન કરવું છે.

આ સિવાય શરીરમાં પાણી અને ફાઈબરની ઉણપને કારણે પણ આ સમસ્યા થાય છે. કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવવા માટે આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ આર્ટિકલમાં , અમે તમને કેટલાક એવા ખોરાક વિશે જણાવીશું, જેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા વધી શકે છે. તો ચાલો જાણીએ તે ખોરાક વિશે જે કબજીયાત વધવાનું કારણ બની શકે છે.

કબજિયાતની સમસ્યા શું છે: કબજિયાત એ પેટ સંબંધિત રોગ છે. આ સમસ્યામાં, આંતરડાની મૂવમેન્ટ કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે, કારણ કે મળ આંતરડા પર ચોંટી જાય છે, જેના કારણે મળ બહાર આવી શકતો નથી. જ્યારે મળ મોટા આંતરડામાં અટકી જાય છે, ત્યારે ગેસની સમસ્યા પણ શરૂ થાય છે અને ક્યારેક ક્યારેક આ સમસ્યા વધી જાય છે.

આ સમસ્યા દરમિયાન દર્દીને ભૂખ ઓછી લાગે છે અને પેટ હંમેશા ફૂલેલું લાગે છે. કારણ કે ખાવામાં આવેલો ખોરાક બરાબર પચતો નથી. વધુ પડતી કબજિયાતને કારણે મોંમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે. કબજિયાત ની સમસ્યા કોઈપણ વ્યક્તિને થઈ શકે છે.

ડેરી પ્રોડક્ટ્સ : તમને જણાવીએ કે ડેરી પ્રોડક્ટ્સ કબજિયાતનું કારણ બને છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેઓએ ડેરી પ્રોડક્ટ્સનું સેવન ટાળવું જોઈએ. કારણ કે ડેરી ઉત્પાદનોમાં લેક્ટોઝ અને ચરબી વધુ માત્રામાં જોવા મળે છે. આવી સ્થિતિમાં આનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા વધુ વધે છે. કબજિયાત દરમિયાન દૂધ, ચીઝ જેવા ડેરી ઉત્પાદનોનું સેવન ન કરવું જોઈએ.

ઓયલી ખોરાક: કબજિયાતના દર્દીએ ઓયલી ખોરાક ન લેવો જોઈએ. કારણ કે ડીપ ફ્રાઈડ ફૂડ સેચ્યુરેટેડ ફેટથી ભરપૂર હોય છે. આ પ્રકારના ખોરાકથી આપણા શરીરમાં ખોરાકનું બરાબર પાચન થતું નથી, જેના કારણે પેટ સંબંધિત બીમારીઓ જેવી કે કબજિયાત, અપચો અને હૃદય રોગ થઈ શકે છે. કબજિયાતથી રાહત મેળવવા માટે ઓયલી ખોરાક ટાળવો જોઈએ.

ચા અને કોફી: કબજિયાત દરમિયાન ચા અને કોફીનું સેવન કરવાથી આ રોગ ગંભીર બની શકે છે. કોફીનું સેવન કરવાથી શરીર ડીહાઇડ્રેટ થઇ જાય છે. આથી ચા અને કોફીનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

પેક જ્યૂસ: આ દિવસોમાં, પેકેજ્ડ જ્યુસ ઘરોમાં વધુ પીવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ જ્યુસ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. તમને જણાવીએ કે આવા જ્યુસમાં પ્રૌષ્ટિક ગુણો હોતા નથી.

કારણ કે આ ફળનો રસ બનાવતી વખતે તેને ખૂબ ઉકાળવામાં આવે છે, જેના કારણે જરૂરી વિટામિન અને પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. આ સિવાય પેકેજ્ડ જ્યુસમાં આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા ખૂબ વધી જાય છે.

જો તમે પણ કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તમે અહીંયા જણાવેલી વસ્તુઓથી દૂર રહો. જો તમને આ માહતી પસંદ આવી હોય તો મિત્રોને જરૂર જણાવો જેથી તેઓ પણ કબજિયાતની સમસ્યાથી બચી શકે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *