દરેક વ્યક્તિ જાણે છે કે અત્યારનો સમય ખુબ જ બદલાઈ ગયો છે. અત્યારના સમયમાં ઘણા લોકોને અનિયમિત આચર કુચર ખાવાના ખુબ જ શોખીન હોય છે. જેના કારણે ઘણા લોકો કબજિયાતની સમસ્યા થી પીડાઈ રહ્યા છે.

કબજીયાત એક એવી બીમારી છે જે ખાઘા પછી થતી હોય છે. જો તમે યોગ્ય રીતે અને યોગ્ય આહારનું સેવન ના કરવામાં આવે તો કબજીયાત ની સમસ્યા ખુબ જ પરેશાન કરી દે છે. કબજિયાત એક એવી પેટની સમસ્યા છે જે શરીરના અનેક રોગ થવાનું મૂળ છે.

કબજીયાત થવાનું મુખ્ય કારણ એ છે કે જયારે આપણે કોઈ પણ ખોરાક ખાઘો હોય અને તે ખોરાક ના પચવાના કારણે કબજીયાત જેવી સમસ્યા થતી હોય છે. પરંતુ જો કબજીયાતને મૂળમાંથી દૂર કરવી હોય તો કેટલાક આયુર્વેદિક ઉપાયનો ઉપયોગ કરીને પણ દૂર કરી શકાય છે.

માટે આજે અમે તમને કેટલાક આયુર્વેદિક ઘરેલુ ઉપાય જણાવીશું. 1. સૌથી પહેલા એક ગ્લાસ પાણી લઈ લો, તેમાં એક ચમચી હરડે પાવડર મિક્સ કરીને પાણીને ગરમ કરી લો, ગરમ થઈ જાય પછી તેને નીચે ઉતારીને થોડુંક ઠંડુ થઈ જાય પછી સુવાના 30 મિનિટ પહેલા પી જવું.

આ પાણીનું સેવન કરવાથી જૂનામાં જૂની કબજીયાત પણ દૂર થઈ જશે અને પેટ એકદમ સાફ રહેશે. આ ઉપરાંત પાચનક્રિયા પણ મજબૂત થશે. આ ઉપરાંત શિયાળામાં આવતા લાલ જામફળ દરરોજ એક ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે.

જો તમે પણ કબજીયાતની સમસ્યા છે અને ખુબજ પરેશાન થઈ ગયા છો તો રાત્રે જમ્યા પછી આશરે એક કલાક પછી મોસંબીના ચાર થી પાંચ ટુકડા ચાવી ચાવીને ખાઈ જવા. મોસંબીનું સેવન કરવાથી ખાઘેલ ખોરાકને પચાવવામાં મદદ કરશે અને કબજિયાતની સમસ્યાથી દૂર રાખશે.

દરેક વ્યક્તિ જાણે છે કે આમળાંનું સેવન આપણા સ્વાસ્થય માટે ખુબ જ ઉપયોગી છે. તેનું સેવન કરવાથી ત્વચા અને વાળ પણ મજબૂત રહે છે. આ ઉપરાંત જો તમને કબજીયાત હોય તો દિવસમાં બે વખતસવારે અને સાંજે એક-એક આમળાનું સેવન કરવું જોઈએ. જેથી કબજિયાતની સમસ્યા અને પેટને લગતી અનેક સમસ્યા દૂર થઈ જશે.

કબજિયાતને મૂળમાંથી દૂર કરવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચમચી લીંબુનો રસ અને એક ચપટી સીંઘાલું મીઠું નાખીને રાત્રે જમ્યાના એક કલાક પછી પી જવું. આ પીણાંનું સેવન કરવાથી ખાઘેલ ખોરાક ખુબ જ ઝડપથી પચી જશે. આ ઉપરાંત પેટને સાફ રાખશે અને પાચનક્રિયાને સુઘારીને પાચન તંત્રને મજબૂત બનાવશે.

અનેક રોગને દૂર કરવા માટે કબજીયાતને દૂર કરવી પડશે તે માટે એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચમચી આમળાંનો રસ, એક ચપટી સિંધાલુ નમક, અડઘી ચમચી હરડે પાવડરને મિક્સ કરીને હલાવીને પી જવાનું છે. આ પીણાંનું સેવન રાત્રે સુવાના એક કલાક પહેલા કરવું જોઈએ. જેથી ખોરાકને પચવામાં આસાની રહે અને કબજિયાત મટી જાય.

દરરોજ સવારે ઉઠીને તરત જ એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ મિક્સ કરીને પી જવું. ત્યાર પછી જો ટોયલેટ જવામાં આવે તો પેટ એકદમ સાફ થઈ જાય છે અને કબજિયાતની સમસ્યા કાયમ માટે દૂર થઇ જાય છે. આ ઉપરાંત પેટને લગતા અનેક રોગ દૂર થઈ જાય છે.

જો તમને વારે વારે કબજીયાતનું સમસ્યા રહેતી હોય તો એમાંથી કોઈ પણ એક ઉપાય એક મહિનો કરવાથી કબજિયાતની સમસ્યા મૂળ માંથી દૂર થઈ જાય છે. આ ઉપરાંત પાચનક્રિયાને સુઘારે છે અને પાચનતંત્રને મજબૂત કરે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *