આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજકાલ કબજિયાત એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આનાથી કોઈપણ પ્રભાવિત થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને કબજિયાતની સમસ્યા પણ રહે છે. આ સ્થિતિમાં પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. આ કારણે કબજિયાતથી પીડિત વ્યક્તિને આંતરડાની ચળવળમાં તકલીફ થાય છે.

લાંબા સમય સુધી કબજિયાત રહેવાથી શરીરમાં નાના મોટા અનેક રોગો જન્મે છે. જેના કારણે માથાનો દુખાવો, ગેસ, ભૂખ ન લાગવી વગેરે સમસ્યાઓ થાય છે. કબજિયાતની સમસ્યાને થોડી પણ હળવાશથી ન લેવી જોઈએ. તો એવો જાણીએ કબજિયાતના કારણો, લક્ષણો અને ઉપાયો.

કબજિયાત થવાના કારણો : કબજિયાત થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમાં દિવસમાં પાણી ઓછું પીવું, ડીહાઇડ્રેશન, ફાઇબરનો અભાવ, વધુ આરામ, ખરાબ દિનચર્યા, ગર્ભાવસ્થા, દવાઓનું સેવન, દવાની આડઅસરો, ધૂમ્રપાન વગેરેનો સમાવેશ થાય છે.

કબજિયાતના લક્ષણો: ચક્કર આવવા, ઉબકા આવવા, ચહેરા પર ખીલ થવા, પેટમાં ભારેપણું લાગવું, અપચો, માથાનો દુખાવો

કબજિયાતના ઘરેલુ ઉપાય : ઘી નું સેવન કરો : ઘી માત્ર સ્વાદમાં વધારો જ નથી કરતું, પરંતુ શરીરને પણ મજબૂત બનાવે છે. જેના કારણે શરીરમાં ચરબી વધે છે. ડૉક્ટર્સ દુર્બળ લોકોને વજન વધારવા માટે ઘી ખાવાની સલાહ આપે છે.

આ માટે ભોજન કરતા પહેલા એક ચમચી ઘી અને ખાંડનું સેવન કરો. આ સિવાય ઘીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેમાં વિટામિન A, D, E મળી આવે છે. આ જરૂરી પોષક તત્વો કબજિયાત માટે ફાયદાકારક છે.

આમળા ખાઓ : જો તમે કબજિયાતથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો તો તમે આમળાનું સેવન કરી શકો છો. તેના ઉપયોગથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આમળામાં વિટામિન-સી, ફાઈબર સહિત ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેના સેવનથી સ્થૂળતા અને ડાયાબિટીસમાં પણ રાહત મળે છે.

ખજૂર ખાઓ : આરોગ્ય નિષ્ણાતો શિયાળામાં સ્વસ્થ રહેવા માટે ખજૂર ખાવાની સલાહ આપે છે. સાથે જ ખજૂર ખાવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. આનાથી શરીરમાં આયર્નની ઉણપ પણ દૂર થાય છે. જેના કારણે શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે.

મેથી ખાઓ : મેથીનું સેવન પાચનતંત્રને મજબૂત કરવા માટે ફાયદાકારક છે. તેના ઉપયોગથી કબજિયાતમાં પણ રાહત મળે છે. આ માટે દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણા પલાળી રાખો. બીજા દિવસે સવારે મેથીના પાણીનું સેવન કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *