પહેલાના સમયમાં કમરનો દુખાવો થાય એટલે એવું કહેવામાં આવતું હતું કે, ઉંમર થઇ છે તો દુખાવો થાય છે, પરંતુ આજના સમયમાં ભાગદોડવાળી જિંદગીમાં યુવાન અને મોટી વયના દરેક લોકોમાં જોવા મળતી સામાન્ય સમસ્યા બની ગઈ છે.

જો કમરના દુખાવાની સમસ્યા સૌથી વધારે, ઓફિસ માં બેસીને કામ કરતા હોય, વધારે ઘરકામ કરતી ગૃહિણીઓમાં પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો આજે આ લેખમાં અમે તમને કમરના નીચેના ભાગમાં દુખાવો થવા પર કરવામાં આવતા 4 ઘરેલું સરળ ઉપાય વિશે જણાવવા જઈ રહયા છીએ.

જે તમને ઘણી હદ સુધી રાહત આપવામાં મદદરૂપ થઇ શકે છે. દિવસે કામ કરતા હોય ત્યારે શરીરમાં દુખાવો થવો સામાન્ય છે, પરંતુ કેટલીકવાર આપણે સુતા અને બેસતા હોઈએ ત્યારે પણ ઘણો દુખાવો થતો હોય છે. કેટલાકને દિવસ દરમિયાન ખભામાં દુખાવાની ચિંતા હોય છે અને કેટલાકને કમરના દુખાવાની ચિંતા હોય છે.

જો કે, શરૂઆતના દિવસોમાં આ સમસ્યા આપણને વધારે લાગતી નથી પરંતુ તેની અવગણના કરવામાં આવે તો આગળ જતાં તમારે આ સમસ્યાના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. આજકાલ ની બદલાતી જીવનશૈલીના કારણે લોકોને પેટ નો દુખાવો, માથાનો દુખાવો અથવા તો કમર નો દુખાવા જેવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

હકીકતમાં લોકો બેઠાડુ જીવન પસંદ કરી રહયા છે એટલે નોકરી કરતા લોકોને કલાકો સુધી તેમની ઓફિસમાં એક જ જગ્યાએ બેસીને કામ કરવું પડે છે જેના કારણે આપણે કરોડરજ્જુને ટેકો આપનાર સ્નાયુઓ તાણથી દુખાવો થાય છે.

આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે એ છે કે જો તમારે એક જ જગ્યાએ સતત બેસીને કામ કરવાનું હોય તો, એક જગ્યાએ બેસીને કામ ન કરવું જોઈએ અને થોડા અંતરે વિરામ લેવો જોઈએ. કલાકો સુધી બેસી રહીને કામ કર્યા પછી સુધી બેસ્યા પછી ઘણી વખત પેટનો દુખાવો પણ શરૂ થઇ જાય છે.

જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો અહીંયા તમને કેટલાક ઘરેલુ ઉપાય વિષે જણાવીશું જે ઘરેલૂ ઉપાય થી તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

1) આદુ : પીઠનો દુખાવો દૂર કરવા માટે આદુ ખુબ જ અસરકારક સાબિત થઇ શકે છે. આ માટે તમે પહેલા તાજા આદુના ચારથી પાંચ ટુકડા કરી લો અને તેને બે કપ પાણીમાં નાખીને ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઉકાળી લો.

એકવાર પાણી ઉકાળી જાય એટલે તેને થોડીવાર ઠંડું થવા દો. જ્યારે પાણી ઠંડુ થઇ જાય એટલે તેમાં થોડું મધ મિક્સ કરીને તેનું સેવન કરવું. દરોજ આ રીતે સેવન કરવાથી પીઠના દુખાવાથી રાહત મેળવી શકો છે.

2) તુલસી : આપણે જાણીએ છીએ કે તુલસી કફ, શરદી,ઉધરસ સાથે સાથે કમરના દુખાવામાં ફાયદાકારક છે. તમે 10 થી 12 તુલસીના પાન લઇને તેને પાણીમાં ઉકાળો. જ્યાં સુધી પાણી અડધું ના થઇ જાય ત્યાં સુધી તેને ઉકાળો.

જ્યારે આ પાણી ઠંડુ થાય ત્યારે તેમાં એક ચપટી જેટલું મીઠું નાખી તેનું દરરોજ સેવન કરો. જો આ રીતે દરરોજ સેવન કરવાથી લાંબા સમય સુધી કમરના દુખાવામાં રાહત મેળવી શકાય છે.

3) ખસખસ : ખસખસ ના બીજને પીઠના અને કમરના દુખાવા માટે નો ઉપચાર માનવામાં આવે છે. તેના માટે એક કપ ખસખસ લો અને તેમાં 1 કપ ખાંડ નો પાવડર મિક્સ કરો અને સ્ટોર કરો. આ મિશ્રણને દરરોજ સવારે અને સાંજે એક ગ્લાસ દૂધમાં ચમચી ઉમેરી ને પીવો. તમને થોડા જ દિવસમાં દુખાવાથી રાહત મળવા લાગશે.

4) લસણ: લસણમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે તેથી તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તમે પણ પીઠ અથવા કમરના દુખાવાથી છુટકારો મેળવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.

આ માટે ૩ થી ૪ કળી લસણ લો. તે લસણની કળીઓ કાળી થાય ત્યાં સુધી તેને સરસવના તેલમાં ઉકાળો. હવે આ તેલથી દુખાઓ થાય છે તે જગ્યાએ માલિશ કરો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *