આજના સમયની ખોટી જીવનશૈલી અને અજાણતાં બેદરકારીને કારણે લોકોમાં અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓ વધી રહી છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે ઘણી બીમારીઓથી આજના માણસો પ્રભાવિત છે, જે પહેલા વૃદ્ધ લોકોમાં એટલે કે ઉંમર વધવાની સાથે થતી હતો.

આજના સમયમાં નાની ઉંમરે લોકોની દૃષ્ટિ અને સાંભળવાની ક્ષમતા પર અસર થવા લાગી છે. કલાકો સુધી ગીતો સાંભળવા, ફોન પર વાત કરવાથી સાંભળવાની ક્ષમતા પર અસર થવા લાગી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં બહેરા અને સાંભળતા ન હોય તેવા લોકોની સંખ્યામાં વધારો થયો છે.

આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે નબળી જીવનશૈલી અને આહારમાં પોષણનો અભાવ, આ આંકડાઓ વધવાનું કારણ છે. કાન શરીરના ખૂબ જ નાજુક અંગોમાંથી એક છે. કાનની કાળજીપૂર્વક સંભાળ લેવાની જરૂર છે. પરંતુ લોકોની કેટલીક ખરાબ આદતોને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની સાંભળવાની ક્ષમતા પર ઘણી અસર થઈ છે.

તો આજની માહિતીમાં તમને એવી ખરાબ આદતો વિશે જણાવીશું જે વ્યક્તિને અકાળે બહેરાશ તરફ લઇ જઈ શકે છે અને સાંભળવાની ક્ષમતા જાળવી રાખવા માટે શું સાવચેતી રાખવાની જરૂર છે.

ધૂમ્રપાનથી સાંભળવા પર અસર: ધૂમ્રપાન શરીર અને સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. ધૂમ્રપાન માત્ર હૃદય અને ફેફસાને જ અસર કરતું નથી, પરંતુ કાનને પણ નુકસાન પહોંચાડે છે. અભ્યાસ અનુસાર, ધૂમ્રપાનમાં જોવા મળતું નિકોટિન કાનમાં રક્ત પરિભ્રમણને અસર કરે છે, જે કાનના નાજુક કોષોને નુકસાન પહોંચાડે છે.

અભ્યાસના રિપોર્ટ મુજબ, સેકન્ડહેન્ડ સ્મોકના સંપર્કમાં આવતા કિશોરોમાં સાંભળવાની ખોટના કિસ્સાઓ જોવા મળ્યા છે . ધૂમ્રપાનને કારણે ટિનીટસ એટલે કે કાનમાં અવાજ આવવાની સમસ્યા પણ વધી રહી છે.

ઈયરફોન-હેડફોનનો વધુ ઉપયોગ: આજકાલ લોકો જરૂર કરતા વધુ ઈયરફોન-હેડફોનનો ઉપયોગ કરવા લાગ્યા છે અને આજના સમયના લોકોમાં ઈયરફોન-હેડફોન એક શોખ બની ગયો છે. વધુ અવાજ કાનના પડદાને નુકસાન પહોંચાડે છે. આ સાથે કાનમાં સતત ઇયરફોનને કારણે, અવાજ વધુ માત્રામાં કાન સુધી પહોંચે છે. જોકે હેડફોન ઇયરફોન અથવા ઇયરબડ કરતાં વધુ સુરક્ષિત છે. હેડફોનનો ઉપયોગ માત્ર 60 ટકા કે તેનાથી ઓછા વોલ્યુમ લેવલ પર થવો જોઈએ.

કોટન ઈયરબડ્સ નુકશાનકારક: જો તમે રૂથી (કોટન) વારંવાર તમારા કાન સાફ કરતા રહો છો તો તેનાથી તમારા કાન સાફ થઈ શકે છે પરંતુ સાંભળવાની ક્ષમતાને નુકસાન થાય છે. કોટન ઇયરબડ્સનો વધુ પડતો ઉપયોગ અને અસાવધાનીથી ઉપયોગ નુકસાનકારક બની શકે છે.

આનાથી કાનના પડદામાં કાણું પડી શકે છે અને સાંભળવાની ક્ષમતાને અસર થઈ શકે છે. તેથી, કાન જાતે સાફ કરવાનું ટાળો અને આખો સમય કાનમાં કોટન નાખીને કાન સાફ ન કરો.

નાનામાં નાની કાનની સમસ્યાને નજરઅંદાજ ન કરો: કેટલીકવાર લોકોને કાનમાં દુખાવો થાય છે, જોરથી અવાજ સંભળાય છે, કાનમાં ગુંજારવ થવો જેવી સમસ્યા હોય છે પરંતુ લોકો તેની અવગણના કરે છે. આવી બેદરકારી ભવિષ્યમાં કાન માટે નુકસાનકારક બની શકે છે. કાન સંબંધિત સમસ્યાઓમાં, તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ ઉપરાંત જાતેજ કોઈપણ દવા અથવા કાનના ટીપાંનો ઉપયોગ કરશો નહીં.

જો તમે અહીંયા જણાવેલી ટિપ્સ ને અનુસરો છો તમારા કાનને હંમેશા માટે સ્વસ્થ્ય રાખી શકો છો. તો તમને આ માહિતી પસંદ આવી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *