આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

દરેક વ્યક્તિની ભાગદોડ ભરી જીવન શૈલીમાં લોકો તેમના સ્વાસ્થ્ય પર પૂરતું ઘ્યાન આપી નથી શકતા. જેના કારણે ઘણા લોકોના શરીરમાં થાક, નબળાઈ, માનસિક તણાવ, રોગપ્રતિકારક શક્તિ નબળી હોવી જેવી સમસ્યાથી ખુબ જ પરેશાન હોય છે.

ઘણા લોકોની અસ્ત વસ્ત જીવનશૈલીમાં લોકો તેમની અનિયમિત ખાણી પીણી અને બહારના ફાસ્ટફૂડ, તરેલું, વઘારે તીખું મસાલા વાળું ખાવાના કારણે શરીરમાં ઘણા રોગો થવાનું જોખમ પણ વઘી જાય છે.

આપણા શરીરને તાકાત આપતા શાકભાજીઓનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. માટે આજે અમે તમને તમને એક એવા શાકભાજી વિશે જણાવીશું જેનું સેવન કરવાથી શરીરમાં ઘણા રોગો ને દૂર કરવા માટે સક્ષમ છે. તે શાકભાજી ખુબ જ લોકપ્રિય છે જેનું નામ કંટોલા છે.

કંટોલા માં ભરપૂર માત્રામાં પ્રોટીનનો સ્ત્રોત મળી આવે છે જે શરીરને પૂરતા પ્રમાણમાં શક્તિ આપે છે. દરેક વ્યક્તિએ કંટોલા શાકભાજી ખાવી જોઈએ તેમાં માંસ કરતા પણ વધુ 40 ગણું વધુ પ્રોટીન મળી આવે છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં થાક અને શારીરિક નબળાઈ કાયમ માટે દૂર થઈ જાય છે.

વરસાદની સીઝનમાં મોટાભાગે કંટોલા જોવા મળે છે. તેના સેવન થી સ્વાસ્થ્યને અનેક લાભ પણ થાય છે. તેની ખેતી પર્વતીય ક્ષેત્રમાં પુષ્કર પ્રમાણમાં કરવામાં આવે છે. કંટોલા શાકભાજી એક દવાનું કામ કરે છે. તેમાં ભરપુર માત્રામાં પૌષ્ટિક તત્વો મળી આવે છે.

કંટોલાનું નિયમિત સેવન કરવાથી આપણા શરીરમાં રોગો થવાનું જોખમ નહિવત થઈ જાય છે. આ શાકભાજીનું સેવન કરવાથી ડાયાબિટીસ, કેન્સર જેવી મોટી બીમારી થવાથી બચી શકાય છે.

કંટોલાને શાક બનાવીને ખાવાથી શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરી દે છે. અને શરીરમાં રહેલ ગંદકીને મૂત્ર માર્ગ રૂપે બહાર નીકળે છે. આ ઉપરાંત શરીરને ડીટોક્સ પણ કરવામાં મદદ કરે છે.

તેનું સેવન કરવાથી ચહેરા પરના ખીલ અને દાગને દૂર કરીને ચહેરા પર સુંદરતા લાવે છે. જેના કારણે તમારી ત્વચા ઘીરે ઘીરે ગ્લો થવા લાગશે. આ ઉપરાંત જો તમે ચહેરા ને સુંદર બનાવવા માંગતા હોય તો આ કંટોલા શાકભાજીનો જ્યુસ બનાવીને પીવાથી પણ ચહેરો ગ્લો થાય છે.

કંટોલા વિટામિન, આયર્ન, ખનીજ અને પ્રોટીન મળી આવે છે જેનું સેવન કરવાથી શરીરમાં આખો દિવસ ઉર્જા મળી રહે છે. આ ઉપરાંત તેમું સેવન કરવાથી શરીરમાં લોહીને શુદ્ધ કરીને લોહીને વધારવાનું કામ કરે છે. જેથી એનિમિયાની સમસ્યા પણ દૂર થાય છે. જેમને લોહીની ઉણપ હોય તેમના માટે આ શાકભાજી વરદાનરૂપ સાબિત થાય છે.

આ શાકભાજીમાં એન્ટી-એલર્જન, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી સેપ્ટિક અને એનાલેજેસીક નામના તત્વો પણ જોવા મળે છે જે વાયરલ ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરદી અને ઉઘરસ બંને ને મૂળમાંથી દૂર કરી દે છે. માટે તેનું જ્યુસ બનાવીને પીવાથી શરદી અને ખાંસી દૂર થાય છે.

દરેક વ્યક્તિ માટે કંટોલાનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત દરેક ઋતુમાં શાકભાજીની સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભ દાયક છે. જે શરીરને સ્વસ્થ, હેલ્ધી અને તંદુરસ્ત રાખે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *