આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, કેરીનો સ્વાદમાં મીઠી હોય છે. જેને ખાવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. કાચી કેરીનું ખાવાથી શરીરમાં થતી ગરમીથી રાહત મળશે. રોજે એક કેરી ખાશો તો તમારી સ્કિન સુંદર અને ચમકદાર બનશે. કેરીમાં વિટામિન A અને C ભરપૂર માત્રામાં મળી આવે છે.

કેરીની સીઝન સારી થઈ ગઈ છે માટે જો તમે ચહેરાને ચમકદાર અને સુંદર બનાવવા માંગતા હોય તો આહારમાં કેરીનો સમાવેશ કરવો જોઈએ. તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારું માનવામાં આવે છે. આ ઉપરાંત તેના અનેક ફાયદા પણ છે.

માટે આજે અમે તમને કેરી ખાવાં ફાયદા વિષે જણાવીશું. આ માટે તમારે રોજે એક કેરી ખાવી પડશે, જે ચહેરાને સુંદર બનાવવાની સાથે મોટાપાની સમસ્યાને પણ દૂર કરશે. તો ચાલો જાણીએ કેરી ખાવાં ફાયદા.

કેરીમાં પુષ્કર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જેમ કે, કેરીમાં ફાયબર, પોટેશિયમ, કોપર, વિટામિન-A, B, C, E, મિનરલ્સ જેવા તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ પણ મળી આવે છે.

સ્કિન ચમકદાર બનાવે: તેમાં ખુબ જ સારી માત્રામાં વિટામિન-સી અને ઈ મળી આવે છે જે સ્કિન માટે ખુબ જ સારું માનવામાં આવે છે. તેનું નિયમિત ખાવામાં આવે તો થોડા જ દિવસમાં ચહેરા પરના કાળા ડાઘ દૂર થઈ જશે અને ચહેરો સુંદર અને ચમકદાર બનશે.

પાચનક્રિયાને મજબૂત કરે: જો પાચનને લગતી સમસ્યા હોય તો કેરી ખાઈ શકાય છે, તેમાં રહેલ પાચન ઉત્સેચકો ખોરાકનો ટુકડા માં રૂપાંતર કરીને નાના કરે છે જેથી ખોરાક સરળતાથી પચી જાય છે જેથી પાચનક્રિયામાં ઝડપી બને છે, તેમાં રહેલ ફાયબર પેટને લગતી સમસ્યા જેવી કે કબજિયાત, અપચો, ગેસ થવાના જોખમને ઘટાડે છે.

રોગો સામે રક્ષણ આપે: રોજે એક કેરી ખાવાથી તેમાંથી આપણા શરીરને વિટામિન-સી જેવા પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે, સાથે તેમાં એન્ટી ઓક્સીડેન્ટનો ગુણ પણ મળી આવે છે જે અનેક રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે, જેથી અનેક વાયરલ બીમારી દૂર રહે છે અને રોગપ્રતિકારક શક્તિને વઘારશે.

હૃદય સ્વસ્થ રાખે: તેમાં મળી આવતા પોટેશિયમ, ફાયબર અને વિટામિન્સ હૃદયને લાતી બીમારી માં ખુબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી લોહીનું પરિભ્રમણ સારુ રહે છે જે ઘમનીઓમાં આવતો કોઈ પણ પ્રકારનો અવરોઘથી બચાવે છે, માટે ફળોનો રાજા કહેવાતા કેરી ફળ હૃદય રોગથી છુટકાળો અપાવી સ્વસ્થ અને હેલ્ધી રાખે છે. તેમાં મળી આવતું પોલીફેનોલ નામનું તત્વ હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે.

વજન કંટ્રોલમાં રાખે: રોજે એક કેરી ખાઈ જવાથી વજન કંટોલમાં રહે છે. માટે વજન ઘટાડવા ડાયટમાં કેરીનો સમાવેશ કરી શકાય છે. તેમાં મળી આવતું દયાત્રી ફાયબર પેટને ભરેલું રાખે છે. જેથી લાંબા સમય સુઘી ભૂખ લગતી નથી. જેથી વજન કંટ્રોલમાં લાવી શકાય છે. તેમાં ખુબ જ ઓછી કેલરી હોય છે, તેનું નિયમિત રોજે ખાવાથી ચરબીના થરને પણ ઓછું કરે છે. જેથી મોટાપાની સમસ્યા ઘીરે ઘીરે દૂર થાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *