ઉનાળાનો રાજા કહેવાતું ફળ એટલે કે કેરી, જે નાના બાળકો થી લઈને મોટા વૃદ્ધ સૌ નું પ્રિય ફળ કેરી છે. ઉનાળાની શરૂઆત થતા જ ઢગલે ને ઢગલે મળી આવે છે. કેરી એક અમૃત સમાન ફળ છે. દરેક વ્યક્તિ કેરી ખાઈને તેની ગોટલીઓ ફેંકી દે છે.
પરંતુ શું તમે જાણો છો કે તમે કેરીની ગોટલીને નકામી સમજીને ફેંકી દો તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તમે એક કહેવત સાંભરી હશે કે ”આમ કે આમ ગોટલીઓ કે ભી દામ” હા આ કહેવત એકદમ સાચી સાબિત થઈ છે.
કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેના કરતા પણ વઘારે તેની ગોટલીઓ આપણા આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે. જો તમે ગોટલીના ફાયદાઓ જાણતા હશો તો તેને ફેંકી દેતા પહેલા 100 વખત વિચાર કરશો. 50 ગ્રામ કેરીની ગોટલી માંથી 1 કિલો કેરીના રસ કરતા પણ વધારે પોષક તત્વો મળી આવે છે. પરંતુ કેરીના ગોટલાને નકામા કચરા તરીકે ફેંકી દેતા હોય છે.
પરંતુ તમને જણાવી દઉં કે કેરી કરતા કેરીની ગોટલીમાં 50 ગણા વધારે પોષક તત્વો મળી આવે છે. કેરીની ગોટલીઓમાં સંતુલિત પ્રોટીનમળી આવે છે. આ ઉપરાંત કેરીની ગોટલી માંથી વિટામિન-એ, વિટામિન-સી, કેલ્શિયમ, આયર્ન, વિટામિન-ઈ, મેગ્નેશિયમ, લોહતત્વ, વિટામિન-બી12, મેંગેનીઝ અને વિટામિન-કે મળી આવે છે.
બદામ, કાજુ, અખરોટ, અંજીર, કિસમિસ જેવા ડ્રાયફ્રુટ કરતા પણ સૌથી વધુ પોષક તત્વો કેરીની ગોટલી માંથી મળી આવે છે. તમને જણાવી દઉં કે કેરીના ગોટલીનું સેવન કરવાથી પેટની ચરબીનું પ્રમાણ વધવા દેતું નથી. જેથી વજન ઘટાડવામાં ખુબ જ ઉપયોગી છે. તો ચાલો જાણીએ કેરીની ગોટલી ખાવાના ફાયદા વિષે.
કેરીની ગોટલીમાં સારી માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ મળી આવે છે.આજે આપણા શરીરમાં રહેલ કચરાની દૂર કરે છે. શરીરમાં કચરો દૂર થઈ જવાથી કિડની, લીવર, આંતરડા પણ સ્વસ્થ રહે છે. રોજ એક ગોટલી ખાઈ લેવાથી તેમાંથી સારી માત્રામાં વિટામિન-સી મળી આવે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
આજના સમયમાં મોટાભાગના રોગો યોગ્ય પાચન ના થવાના કારણે પેટને લગતા રોગો થાય છે. માટે કેરીની ગોટલીનો પાવડર બનાવી રોજે છાશ માં નાખીને પીવાથી પાચનક્રિયામાં સુઘારો થાય છે. જેથી પેટને સાફ થઈ જાય છે અને કબજિયાત, એસીડીટી, અને અપચાની સમસ્યા દૂર થઈ જાય છે.
રોજે કેરીની એક ગોટલી ખાવાથી આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ ખુબ જ સારું થાય છે. જો વારે વારે બ્લડપ્રેશર વઘઘટ થતું હોય તો રોજે એક ગોટલી ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. માટે બ્લડપ્રેશર હોય તેવા વ્યક્તિ માટે કેરીની ગોટલી ખુબ જ ફાયદાકારક છે.
હૃદય આપણા શરીરનો મહત્વનું અંગ છે. માટે રોજે એક કેરીની ગોટલી અથવા એક ચમચી કેરીની ગોટલીનો પાવડર સવારે નરણાકાંઠે ખાઈ જવાથી આપણી હૃદયની દરેક નસોમાં લોહીનું પરિવહન ખુબ જ સારું થાય છે જેથી હૃદય સ્વસ્થ રહે છે. માટે હૃદયને સ્વસ્થ રાખવા માટે રોજે કેરીના ગોટલાનું સેવન કરવું જોઈએ.
આજના સમયમાં નાના હોય કે મોટા હોય દરેક વ્યકતિની વ્યસ્ત જીવન શૈલી અને અનિયમિત ખાણી પીણીના કારણકે ઘણા લોકો વજન વઘવાથી ખુબ જ ચિંતિત છે. પરંતુ જો તમે સવારે અને સાંજે એક -એક ચમચી કેરીની ગોટલીનો પાવડર ખાઈ લેશો તો મેટાબોલિઝમમાં વઘારો થશે જેથી પેટની ચરબી ઓગાળવા લાગશે અને વજન પણ કંટ્રોલમાં આવી જશે. જો તમે વધારે પૈસાનો ખર્ચ કર્યા વગર જ વજન ઘટાડવા માંગતા હોય તો રોજ બે ચમચી ખાઈને વજન સરળતાથી ઘટાડી શકો છો.
વાળ ખરવાના કારણે માથામાં ટાલ પડી હોય તો આ કેરીના ગોટલીનું બનાવેલ તેલ વાળના મૂળમાં લાગવાથી ટાલમાં પણ વાળ ઉગવા લાગશે. આ માટે તમારે 500 ગ્રામ નારિયેળ તેલ લેવાનું છે હવે તેમાં 200 ગ્રામ ગોટલીનો પાવડર મિક્સ કરીને ઉકાળવાનું છે. પાંચ મિનિટ થાય ત્યારે ગેસને બંઘ કરીને ઠંડુ થવા દેવાનું છે.
ત્યાર પછી તેલને ગાળીને એક કાચની બરણીમાં ભરી લેવું. હવે તે તેલને જ્યાં ટાલ પડી છે ત્યાં તમે 5 મિનિટ સુઘી માલિશ કરો, આ ઉપરાંત તમારા વાળ વધુ ખરતા હોય તો આખા માથામાં લગાવીને માલિશ કરવી જેથી વાળ ખરતા અટકી જશે અને ટાલમાં પણ વાળ ઉગવા લાગશે.
મોં માં આવતી દૂર દુર્ગઘ દૂર કરવા માટે રોજે એક ગોટલી જમ્યા પછી ખાઈ લેવી જેથી મોં માં આવતી વાસ દૂર થઈ જશે. આ ઉપરાંત રોજ એક ગોટલી ખાવાથી દાંતમાં થતા દુખાવામાં રાહત આપે છે અથવા પેઢામાથી નીકળતા લોહીને પણ બંઘ કરે છે. રોજે કેરીની ગોટલી ખાવાથી દાંત અને પેઢા મજબૂત બને છે.
કેરીની ગોટલીમાં ભરપૂર કેલ્શિયમ મળી આવે છે જે હાડકાને મજબૂત બનાવામાં મદદ કરે છે. નાની ઉંમરે થતા સાંઘાના દુખાવા, કમરના દુખાવા, ઢીંચણના દુખાવા, હાડકામાં અવાજ આવવો જેવી અનેક સમસ્યાને દૂર કરી દેશે. રોજે એક ગોટલી ખાવાથી 70 વર્ષની ઉંમર પછી પણ હાડકામાં કેલ્શિયમની ઉણપ નહીં થાય.
જો તમે પણ કેરીના ગોટલાને નકામા સમજીને ફેંકી દેતા હોય તો તેના ફાયદા જાણીને ફેંકવા પહેલા 100 વખત વિચાર કરજો. નકામા સમજીને ફેંકવા કરતા તેનું રોજે સેવન કરજો જેથી વઘતી ઉંમરે પણ શરીરને મજબૂત બનાવી રાખશે અને અનેક રોગો સામે રક્ષણ આપશે.