કેસર સુગંધ અને અનેક આયુર્વેદિક ગુણો થી ભરપૂર છે. જે ઘણા બધા રોગોને દૂર કરવામાં મદદ કરે છે. કેસરનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્ય ને અનેક ઘણા લાભ થાય છે. તમને જણાવી દઉં કે કેસરમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીર માટે ખુબ જ જરૂરી માનવામાં આવે છે.
તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, થાયમીન, ફોલેટ, ફોસ્ફરસ જેવા પોષક તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. જે ત્વચાને સુંદર બનાવાની સાથે કેટલીક પરેશાનીથી બચાવી રાખવામાં માટે કેસર ખુબ જ ઉપયોગી છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો માટે પણ કેસર ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.
કેસર ને આપણે દૂધમાં નાખીને પછી પીવાનું છે. કારણકે દૂધ સાથે કેસર મિક્સ કરીને પીવાથી ટેનમાં ભરપૂર ફાયદાઓ મળી આવે છે. કેસરવાળા દૂધનું સેવન કરવાથી પુરુષો માં થતી ઘણી બધી સમસ્યાઓને દૂર કરે છે. તો ચાલો કેસરવાળા દૂધનું સેવન કરવાથી થતા ફાયદા વિષે જાણીએ.
શ્વાસને લગતી સમસ્યા: કેસરવાળા દૂધનું સેવન કરવાથી શ્વાસ ને લગતી સમસ્યાને જેમ કે અસ્થમા, દમ, એલર્જી, ફેફસાનો સોજો વગેરે હોય તો કેસરના દૂધનું સેવન કરી શકાય છે. કેસરવાળા દૂધનું સેવન કરવાથી શ્વાસને લગતી જેના કારણે સમસ્યામાં ઘણી રાહત મળશે.
શારીરિક કમજોરી દૂર કરે: કેસર શારીરિક સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી છે. આ માટે એક ગ્લાસ કેસરવાળા દૂધનું સેવન રાત્રે સુતા પી જવું જોઈએ જે શારીરિક શક્તિમાં વધારો કરે છે, જે થાક લાગવાની સમસ્યા, નબળાઈની સમસ્યા, ચક્કર આવવાની સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત પુરુષોમાં વીર્યની વૃદ્ધિ પણ થશે.
તણાવ ઓછો કરે: ઘણી વખત માનસિક તણાવના કારણે ટેસ્ટરોન હોર્મોન્સના સ્તર ઓછું થઈ જતું હોય છે, માટે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ કેસરદુધનું સેવન કરવું જોઈએ હોર્મોન્સના સ્તર ને વધારવામાં મદદ કરશે અને માનસિક તણાવ, ડિપ્રેશન, ચિતાને દૂર કરશે.
કેન્સરથી બચાવે: કેસરમાં ક્રોસિન, કોલોરેક્ટલ જેવા મહત્વ પૂર્ણ ગુણ મળી આવે છે. જે કેન્સરના કોષોને વધતાં અટકાવે છે. જે પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ત્વચાના કેન્સરનું જોખમ ઘટાડે છે. માટે કેસરવાળા દૂધનું સેવન ખુબ જ વધુ અસર સાબિત થશે.
યાદશક્તિ વધારે: માત્ર એક ગ્રામ કેસર ને દૂધ માં મિક્સ કરીને પીવાથી મગજના જે કોષો છે તેમાં વૃદ્ધિ થાય છે. જે મગજની કાર્ય ક્ષમતામાં વઘારો કરે છે. જેથી આપણી મેમરી પાવર બુસ્ટ થાય છે. માટે યાદશક્તિ કમજોર હોય અને તેજ કરવી હોય તો કેસરવાળા દૂધનું સેવન કરી શકાય છે.
ત્વચા ચમકાવવા: કેસર ત્વચાને સુંદર બનાવે છે, આ માટે એક બાઉલમાં બે કેસરના દાણા લેવા, ત્યાર પછી એ ચમચી ચંદન પાવડર, અને બે ચમચી કાચું દૂધ લેવાનું છે, ત્યાર પછી બધાને સારી રીતે હલાવીને પેસ્ટ તૈયાર કરો, જયારે પેસ્ટ લગાવો તે પહેલા ચહેરાને સાદા પાણી થી ધોઈ લેવો,
ત્યાર પછી આ પેસ્ટને ચહેરા પર લગાવીને 2 મિનિટ મસાજ કરો અને 20-25 મિનિટ રહેવા દઈને પછી ધોઈ દેવાનું છે. આ અઠવાડીયામાં એક વખત કરવાથી ચહેરો સુંદર મુલાયમ અને ચમકદાર બનશે. આ ઉપરાંત રોજે કેસરવાળા દૂધનું સેવન કરવાથી પણ ચહેરા પર નિખાર લાવૈ શકાય છે.
સારી ઊંઘ લાવવા માટે: કેસરમાં આવે ગન મળી આવે છે જે મગજને શાંત રાખવામાં મદદ કરે છે, જેથી તણાવ ઓછો થઈ જાય છે, માટે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ કેસરવાળું દૂધ પીવું જોઈએ જે સારી ઊંઘ લાવવામાં મદદ કરશે.