આજે અમે તમને કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા વિષે જણાવીશું. દ્રાક્ષ ખાવામાં ખુબ જ સારી લાગે છે, તેને નાની થી લઈ મોટા દરેક વ્યક્તિ ખાઈ શકે છે. તે શરીરમાં થતા મોટાભાગના રોગોને દૂર કરવામાં મદદ કરે છે.
તેમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, તેનું સેવન કઈ રીતે કરવું તેન વિષે જણાવીશું, આ માટે એક વાટકીમાં ચોખ્ખું પાણી લેવાનું છે, અને તેમાં 8 થી 10 દાણા કાળી દ્રાક્ષ ના નાખવાના છે. અને તેને આખી રાત માટે પાણીમાં પલાળીને રાખવાના છે.
ત્યારબાદ સવારે ઉઠીને જોશો તો તે દાણા ફૂલી ગયા હશે. તે દાણા ઉઠીને ખાલી પેટ ચાવીને ખાઈ લેવાના છે, ત્યારપછી તેનું પાણીને ગાળીને પી જવાનું છે. જો તમે નિયમિત પણે દ્રાક્ષ ના દાણા અને તેનું પાણી પીવો છો તો શરીરમાં થતા મોટાભાગના રોગોનું જોખમ ઘટી જાય છે. હવે તેના થી થતા ફાયદાઓ વિષે જણાવીશું.
લીવર ને સ્વસ્થ રાખે: લીવરને સ્વસ્થ રાખવા માટે કાળી દ્રાક્ષ ખુબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી લીવર ની કાર્ય ક્ષમતામાં વધારો થાય છે, જેના કારણે લીવર સાથે જોડાયેલ રોગ દૂર થાય છે. આ માટે લીવર કમજોર હોય અથવા લીવર ની કાર્ય ક્ષમતા ઓછી હોય તો દ્રાક્ષ અને દ્રાક્ષ નું પાણી પીવું જોઈએ.
લોહીને શુદ્ધ કરે: દ્રાક્ષ અને તેનું પાણી લોહીના શુદ્ધિ કરણ માટે ખુબ જ ફાયદાકારક છે. તેને નિયમિત ખાવાથી શરીરમાં રહેલ ગંદકી બહાર નીકળી જાય છે. જેના કારણે ચામડીના લગતા રોગો મટે છે આ સાથે ત્વચા સંબધિત સમસ્યા પણ દૂર થાય છે.
આંખોની કમજોરી દૂર કરે: આંખોનું તેજ વધારવા માટે દ્રાક્ષ ખાવી જોઈએ. દ્રાક્ષ ખાવાથી નખોં નંબર પણ ઓછા કરી શકાય છે, આ માટે આંખોના નંબર ઓછા કરવા માટે દ્રાક્ષ અને તેનું પાણી પીવું જોઈએ. તે આંખોમાં દુખાવા અને આંખોની લાલશને પણ દૂર કરે છે.
હાડકાને મજબૂત બનાવે: તેમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે, તે હાડકાને જરૂરી કેલ્શિયમ ને કમીને પુરી કરે છે. આ માટે જો તમને હાડકાને મજબૂત બનાવવા માટે દ્રાક્ષ ખાવી જોઈએ. જે સાંધા, સ્નાયુઓ, માંસપેશીઓ, જોઈન્ટ ને પણ મજબૂત કરે છે.
પેટના રોગ મટાડે: પેટમાં દુખાવો, પેટમાં કૃમિ, એસીડીટી, વર્ષો જૂની કબજિયાત, અપચો જેવી સમસ્યા હોય તો દ્રાક્ષ અને તેનું પાણી પીવાની તકલીફ દૂર થાય છે. તે પેટને ઠંડક આપે છે. આ સાથે તે છાતીમાં બળતરા, પેટની બળતરા અને પેશાબ માં થતી બળતરા માં રાહત આપવાનું કામ કરે છે.