ઘુંટણ ના દુખાવા આજના સમયમાં ખુબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘુંટણના દુખાવાની વધતી ઉંમરે થતી સમસ્યા છે, પરંતુ આજે આ સમસ્યા ખુબ જ વધુ જોવા મળી રહી છે. ઘુંટણ ના દુખાવા ને દૂર કરવા માટેના ઘરેલુ ની મદદથી દૂર કરી શકાય છે.

વ્યક્તિનું બેઠાળુ જીવન અને તેમની કેટલીક ખરાબ કુટેવો હોવાના કારણે ઘણી વખત ઘુંટણ ન દુખાવા થતા હોય છે. ઘણા એવા લોકો હોય છે જેમનું વજન વધુ હોય છે તેવા લોકો ને પણ ઘુંટણ ના દુખાવા થતા હોય છે. એક સાથે વધુ વજન ઉંચકવાના કારણે ઘુંટણ પર ભાર પડતો હોય છે જેના કારણે પણ ઘુંટણ માં દુખાવો થતો હોય છે.

આ ઉપરાંત ઘણા લોકોને એક જગ્યાએ વધુ સમય સુધી બેસી રહેવાનું હોય તેવા લોકો માં પણ ઘુંટણ ના દુખાવા હોય તેવું જોવા મળ્યું છે. વધુ સમય સુધી ઉભા રહીને કામ કરતી મહિલાઓ માં ઘુંટણ ના દુખાવાની સમસ્યા થઈ શકે છે. આજે અમે તમને ઘુંટણ માં થતા દુખાવામાં રાહત મેળવવાના કેટલાક સરળ ઘરેલુ ઉપાય જણાવીશું.

ઘુંટણ ના દુખાવાના ઘરેલુ ઉપાય:
બરફ નો ઉપયોગ: ઘુંટણ ના દુખાવામાં બરફ નો ઉપયોગ ખુબ જ ફાયદાકારક છે. દિવસ માં એક વખત કોઈ પણ કોટર્ન ના રૂમાલમાં બરફ મૂકી તેના વડે ઘુંટણ માં 10 મિનિટ સુધી માલિશ કરો. દુખાવામાં ઘણી રાહત મળશે.

ચૂનો: ચુના માં ખુબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે, આ આ માટે તેની પેસ્ટ બનાવીને ઘુંટણ માં લગાવાથી ઘુંટણ ના દુખાવા ઘણી રાહત મેળવી શકાય છે. પેસ્ટ બનાવવા માટે ચૂનામાં મઘ અને હળદર મિક્સ કરીને સારી રીતે હલાવી પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટ ને જે ઘુંટણ માં દુખાવો થતો હોય તેના પર લગાવી આખી રાત માટે રહેવા દો અને સવારે નવશેકા પાણી વડે સાફ કરી લો, આ રીતે ચુના નો ઉપયોગ કરવાથી ખુબ જ ઝડપથી દુખાવામાં રાહત મળે છે.

સરસવ નો તેલ અને લવિંગ: સરસવના તેલમાં લવિંગ મિક્સ કરીને સારી રીતે ગરમ કરી લો, ત્યારબાદ તે તેલ વડે ઘુંટણમાં માલિશ કરવાની છે. દિવસમાં બે વખત આ તેલની માલિશ કરવાથી ઘુંટણ ના દુખાવા થોડી જ દિવસમાં કાયમી દૂર થઈ જશે.

સુંઠ પાવડર: સુંઠ એક શક્તિ શાળી આયુર્વંદિક ઔષઘી છે. જેનો ઉપયોગ કરવાથી ગમે તેવા ઘુંટણ ના દુખાવા માટી જાય છે. આદુંને સૂકવીને તેનો પાવડર બનાવામાં આવે તેને સુંઠ પાવડર તરીકે ઓળખવામાં આવે છે. આ સુંઠ પાવડર ને રોજે સવારે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં મિક્સ કરી ને પી જવાથી ગમે તેવા ઘુંટણ ના દુખાવા મટી જાય છે.

ઘુંટણ ના દુખાવા નાની ઉંમરે ઘણા લોકો પીડિત છે તેમને ખાસ ઘ્યાન રાખવું કે ઉભા ઉભા અને ઉપર મોઠે પાણી ના પીવું, એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી ના રહેવું, વજન ને કંટ્રોલમાં રાખવું, કેલ્શિયમ યુક્ત આહાર ખાઓ, લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. ઓ તમે આ વાત નું ખાસ રાખશો તો ઘુંટણ ના દુખાવા ક્યારેય નહીં થાય.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *