ઘૂંટણનો સાંધો શરીરનો સૌથી મોટો અને જટીલ જોડાણો ધરાવતો સાંધો ગણવામાં આવે છે. જ્યાં એકથી વધુ હાડકા જોડતા હોય છે જેને સાંધો કહેવામાં આવે છે. આજના સમયમાં ઘૂંટણના દુખાવાથી ઘણા લોકો પરેશાન છે. નાની ઉંમરના લોકોથી લઈને મોટી ઉંમરના દરેક લોકો પરેશાન છે
ઘૂંટણના દુખાવાને દૂર કરવા ઘણા લોકો જુદા જુદા પ્રયોગો કરતા હોય છે પરંતુ જો તમે દવાઓ ખાઓ છો તો તે તમારા શરીરને નુકશાન પહોંચાડે છે. એટલા માટે તમારે દેશી ઘરેલુ ઉપચાર કરવા જોઈએ જે તમારા શરીરને નુકશાન પહોંચાડતા નથી અને તમને ઘૂંટણના દુખાવાથી આરામ આપે છે.
મેથી ને ઘૂંટણના દુખાવાને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. મેથીનો ઉપયોગ કરવાથી ઘૂંટણના દુખાવામાં તરત જ રાહત મળે છે એટલા માટે જુના જમાનાના લોકો મેથી ખાવાનું વધુ પસંદ કરતા હતા. આ માટે સૌ પ્રથમ મેથીના દાણાનું ચૂર્ણ બનાવી સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવાથી ઘૂંટણના દુખાવામાં આરામ મળે છે.
ઘૂંટણના દુખાવામાં સરસવના તેલની માલિશ મદદરૂપ થાય છે. સરસવના તેલનો ઉપયોગ બધા જુદી જુદી રીતે કરે છે. તમને જણાવીએ કે સરસના તેલમાં બળતરા વિરોધી અને એન્ટી-પેઈન ગુણ હોય છે, જે તમારા શરીરના કોઈપણ ભાગમાં દુખાવો કે સોજો ઓછો કરવામાં મદદ કરે છે. માટે તમારા ઘૂંટણના દુખાવાને દૂર કરવા માટે સરસવના તેલથી તમારા ઘૂંટણની માલિશ કરો.
ઘૂંટણના દુખાવામાં અશ્વગંધાનો ઉપયોગ ખૂબ જ મદદરૂપ થાય છે. અશ્વગંધા પાવડરમાં સૂંઠ પાઉડર અને ખાંડનો પાઉડર મિક્સ કરો. હવે આ મિશ્રણને દિવસમાં બે વાર સવાર-સાંજ દૂધ સાથે પીવાથી ઘૂંટણના દુખાવામાં રાહત થાય છે. આ મિશ્રણનું સેવન આર્થરાઈટિસના દર્દીઓએ પણ કરવું જોઈએ, જેનાથી સાંધાનો દુખાવો જલ્દી દૂર થઈ જાય છે.
ઘૂંટણના દુખાવાના ઘરગથ્થુ ઉપચાર તરીકે હળદરનો ઉપયોગ પણ થાય છે. આ ઉપાય માટે હળદરમાં ચૂનો ઉમેરીને સરસવના તેલમાં થોડો સમય ગરમ કરો. જ્યારે તે સહેજ ગરમ થાય ત્યારે આ પેસ્ટને તમારા ઘૂંટણ પર લગાવો, તેનાથી દુખાવામાં થોડાજ સમયમાં આરામ મળે છે. આ સિવાય દરરોજ હળદર વારુ દૂધ પીવાથી પણ ઘૂંટણના દુખાવાથી રાહત મળી શકે છે.
ઘૂંટણના દુખાવાને ઓછો કરવામાં આદુનો ઉપયોગ મદદરૂપ થાય છે. આદુમાં બળતરા વિરોધી અને દર્દ નિવારક ગુણ રહેલા હોય છે, જે ઘૂંટણના દુખાવામાં રાહત આપવામાં ખૂબ અસરકારક છે. તમારા રસોડામાં રહેલું લવિંગ પણ ઘૂંટણના દુખાવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.
રસોડામાં રહેલું લવિંગ એન્ટી-બેક્ટેરિયલ, પેઈન-રિલીવિંગ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે, જેનો ઉપયોગ ઘૂંટણના દુખાવાને ઓછો માટે કરી શકાય છે. આ માટે લવિંગના તેલથી ઘૂંટણની માલિશ કરવી જેનાથી દુખાવો ઓછો થાય. આ સિવાય લવિંગના પાઉડરને પાણીમાં પલાળીને કપાસની મદદથી ઘૂંટણ ઘસવામાં આવે તો પણ દુખાવો ઓછો થાય છે.
25 ગ્રામ લસણ 12 ગ્રામ અજમો અને 5 ગ્રામ લવિંગ 100 ગ્રામ સરસવના તેલને કાળુ ત્યાં સુધી ઉકાળો. પછી ઠંડુ કરી તેને ગાળીને કાચની બોટલમાં ભરી દેવું. આ તેલથી ઘૂંટણ કે સાંધાની માલિશ કરો થોડાક જ સમયમાં આરામ મળી જશે.
તમારા ભોજનમાં તજ, જીરુ, આદુ અને હળદરનો ઉપયોગ બને તેમ વધુમાં વધુ કરો. ગરમ તાસીરવાળા આ પદાર્થોનુ સેવન કરવાથી ઘૂંટણનો દુ:ખાવો અને સાથે સાથે ઘૂંટણનો સોજો ઓછો થાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.