આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજના સમયની આપણી ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીના કારણે ઘણા લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય છે, અને ઘણા લોકોએ આ સમસ્યા ચોમાસામાં વધી જાય છે. ચોમાસા દરમિયાન ભેજ વધવાની અસર સ્નાયુઓ પર પડે છે.

આ સિવાય તાપમાન અને વાતાવરણના દબાણમાં ફેરફાર સાંધાઓને અસર કરે છે. ચોમાસામાં સાંધામાં દુખાવો, બળતરા કે જકડાઈ જવાની લાગણી થઈ શકે છે. જેમને આર્થરાઈટિસ કે સાંધાના અન્ય રોગો હોય તેમના માટે ચોમાસું મુશ્કેલીનું કારણ બની જાય છે.

આયુર્વેદમાં સાંધાના દુખાવાની સારવાર કેટલીક જડીબુટ્ટીઓની મદદથી કરવામાં આવે છે. આ જડીબુટ્ટીઓ તમને ઘરની આસપાસ સરળતાથી મળી જાય છે. તો આ લેખમાં, અમે તમને સાંધાના દુખાવાની આયુર્વેદિક સારવાર વિષે જણાવીશું. તો ચાલો જાણીએ.

1. આયુર્વેદિક પેઇન કિલરનું સેવન: સાંધાના દુખાવાની સારવાર આયુર્વેદિક પેઇન કિલરની મદદથી કરી શકાય છે. આયુર્વેદિક પેઇન કિલર એટલે એવી કુદરતી જડીબુટ્ટીઓ, જેનો દુખાવામાં રાહત મેળવવા માટે ઉપયોગ અથવા સેવન કરવામાં આવે છે.

જેમ પેઈન કિલર શરીરમાં જઈને દર્દ દૂર કરવાનું કામ કરે છે. આયુર્વેદિક પેઇન કિલર્સની વાત કરીએ તો તેમાં લીમડો, નીલગિરી, તુલસી, આદુ, હળદર, આમળા, અખરોટ અને અળસી વગેરેનો સમાવેશ થાય છે. તમે તેનો ઉપયોગ પેસ્ટ, ઉકાળો, ચા અને તેલ વગેરેના રૂપમાં કરી શકો છો.

2. નીલગિરી તેલની માલિશ: સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે નીલગિરીના તેલથી માલિશ કરવી જોઈએ. નીલગિરીના તેલના ઉપયોગથી સાંધાના દુખાવા અને બળતરાની સમસ્યા દૂર થાય છે. સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે નીલગિરીના તેલને થોડું ગરમ ​​કરો અને જ્યાં સાંધાના દુખાવા થાય છે તે જગ્યા પર હળવા હાથે મસાજ કરો. જો તમે રાત્રે સૂતા પહેલા તેલની માલિશ કરો છો, તો તેલની અસર રાતોરાત સાંધા પર રહેશે અને દુખાવો દૂર થશે.

3. સરસવના તેલનો ઉપયોગ: સાંધાના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. શરીરમાં જે જગ્યા પર દુખાવો થતો હોય ત્યાં તેલથી માલિશ કરો. આ તેલ દ્વારા ઉત્પન્ન થતી ગરમી પીડા ઘટાડવાનું કામ કરે છે જેથી તમને દુખાવામાં રાહત થાય છે.  ચોમાસામાં સાંધાનો દુખાવો વધી શકે છે, તેથી માલિશ કર્યા પછી સાંધાને કપડાથી ઢાંકવાનું ભૂલશો નહીં. મસાજ કર્યા પછી સાંધા પર હવા ન લાગવા દો.

4. અશ્વગંધા: અશ્વગંધા માં બળતરા વિરોધી ગુણ હોય છે. અશ્વગંધાની મદદથી તમે સાંધાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જો તમને સાંધામાં સોજો કે દુખાવો થતો હોય તો અશ્વગંધાનું ચૂર્ણ હળદરમાં મિક્સ કરવી.

તેમાં લીમડાનું તેલ મિક્સ કરીને ઘૂંટણ પર લગાવો. હળવા હાથે 15 થી 20 મિનિટ સુધી મસાજ કરો. આ પેસ્ટને ઘૂંટણ પર લગાવો અને તેના પર સ્વચ્છ કપડું બાંધી લો. તેનાથી સાંધાના દુખાવામાં રાહત મળશે.

5. અજમો: અજમાનો ઉપયોગ સંધિવાના દુખાવાની સારવાર માટે પણ થાય છે. અજમો પીડાને દૂર કરવા માટે એનેસ્થેસિયા તરીકે કામ કરે છે. જો તમને ચોમાસામાં સખત દુખાવો થતો હોય તો તમે અજમાના બીજને પીસીને તેમાં દશમૂલ પાવડર મિક્સ કરી તેની પેસ્ટ બનાવીને ઘૂંટણ પર લગાવો.

તમને જણાવીએ કે દશમૂલમાં બળતરા વિરોધી ગુણ હોય છે. ઘૂંટણના દુખાવાને દૂર કરવા માટે અજમાના બીજ અને દશમૂલના મિશ્રણથી દુખાવામાં જડમૂળથી ખતમ થઈ જશે.

સાંધાના દુખાવાને દૂર કરવા માટે, આયુર્વેદિક ઉપચાર સિવાય, તમારે દરરોજ કસરત કરવી જોઈએ. આ ઉપરાંત એસી અને વધુ ઠંડા વાતાવરમાં જવાનું ટાળવું જોઈએ. આ સાથે સાથે વધુ પાણીનું સેવન કરવું જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *