આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

શરીરમાં લોહી વારે વારે જાડું થઈ જાય છે અને લોહીને પાતળું કરવા માટે દવાઓ ખાવી પડતી પણ ખાવી પડતી હોય છે. જો તમારે પણ દવા ખાધા વગર જ લોહીને પાતળું બનાવું હોય તો રસોડામાં રહેલ વસ્તુનો ઉપયોગ કરીને લોહીને પાતળું બનાવી શકાય છે.

આપણા રસોડામાં એવી ઘણી બધી વસ્તુઓ મળી રહે છે જેમાં ઘણા બધા ઔષધીય ગુણ મળી આવે છે જેનો ઉપયોગ અનેક પ્રકારના રોગોને મટાડવા માટે કરવામાં આવતો હતો, આ માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિષે જાણાવીશું જે કુદરતી રીતે જાડું થઈ ગયેલ લોહીને ઘટાડવામાં મદદ કરશે.

લોહી જાડું રહેવાથી શરીરમાં ઘણી વખત ગાઠઈ જતું હોય છે જેના કારણે લોહી નસોમાં પરિભ્રમણ કરતુ નથી જેના કારણે હાથ પગ મગજ કે હૃદયને નસો બ્લોક થવાની શક્યતાઓ ખુબ જ વધુ થતી હોય છે. હૃદયની નસો બ્લોક થવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોક નો હુમલો થતો હોય છે.

જેના કારણે ઘણી વખત વ્યક્તિનું જીવન ટૂંકાઈ જતું હોય છે. જેના આ માટે શરીરના દરેક અંગોમાં લોહી ખુબ જ સરળ તાથી પહોંચે તે ખુબ જ જરૂરી છે, આ માટે આપણે લોહીને પાતળું કરવું પડશે. તો ચાલો જાણીએ લોહીને પાતળું કરવા માટેના દેશી ઘરેલુ ઉપચાર વિષે.

લોહીને પાતળું કરવાનો ઉપાય: લોહીને પાતળું કરવા માટે આપણા રસોડામાં રહેલ તજ નો ઉપયોગ કરવાનો છે. તજની તાસીર ગરમ હોય છે, આ સાથે તે સ્વાદમાં તીખા પણ હોય છે. તજ વીર્યવર્ધક છે. તજ આયુર્વેદ ગુણો થી ભરપૂર છે જે લોહીને પાતળું કરવા ઉપરાંત અનેક પ્રકારની બીમારી મટાડવામાં ઉપયોગી છે.lohi patlu karvana upay

આ માટે તમારે સૌથી પહેલા એક તજ નો નાનો ટુકડો લેવાનો છે તેના પણ તમારે ત્રણ થી ચાર ટુકડા કરી લેવાના છે, ત્યાર પછી દિવસમાં ત્રણથી ચાર વખત એક એક નાનો ટુકડો મોં માં રાખીને ચગડવાનો છે, આ રીતે દિવસ દરમિયાન તજનો ઉપયોગ કરવામાં આવે તો જાડું થઈ ગયેલ લોહી પાતળું થઈ શકશે.

આ ઉપરાંત તજને બીજી રીતે પણ ઉપયોગ કરી શકો છો, આ માટે તમારે થોડા તજના ટુકડા લઈ લેવાના છે ત્યાર પછી એને મિક્સર જાળમાં પીસીને પાવડર જેવું ચૂરણ તૈયાર કરી દેવાનું છે. હવે તે ચૂરણ ઠંડુ થઈ જાય ત્યારે એક કાચની બોટલમાં ભરી લેવાનું છે ત્યાર પછી તેનું સેવન એક ગ્લાસ હૂંફાળા પાણી એક ચપટી ચૂરણ પાવડર મિક્સ કરીને પીવાનું છે.

આમ કરવાથી પણ લોહી જાડું થઈ ગયું હોય લોહી ગંઠાઈ ગયું હોય તો તે પાતળું થઈ જશે, અને લોહી દરેક નસોમાં ખુબ જ આસાનીથી પહોંચી શકશે. જેથી હાથ પગ કે મગજની કોઈ પણ નસો બ્લોક હવાથી બચાવશે.

આ ઉપરાંત હૃદય માટે ખુબ જ અકસીર ઈલાજ માનવામાં આવે છે. જે હૃદયની નસોને બ્લોક થતા અટકાવી નસોમાં લોહીનું પરિવહન સુધારે છે. જેથી હૃદયને લગતી બીમારી માંથી બચાવી રાખશે.

જો તમારું પણ લોહી જાડું છે અને પાતળું કરવા માટે દવાઓ ખાવી પડે છે તો આ ઉપાય કરવતથી લોહી પાતળું રહેશે. આ ઉપરાંત આહારમાં લસણ નો પણ સમાવેશ કરવો જોઈએ જેની તાસીર ગરમ છે અને લોહીને જાડું થતા અટકાવે છે.lohi patlu karvana upay

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *