આપણા ઘરના દરેક વ્યક્તિને મચ્છર થી ફેલાતી બીમારી જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી બીમારીથી બચવા માટે આપણે કોઈલ્સ, લીકવીડ, ટીકડી નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ બઘી વસ્તુમાં મળી આવતા કેમિકલ મચ્છર દૂર કરવાની સાથે બાળકોના સ્વાસ્થ્ય ને પણ નુકસાન પહોંચાડે છે.
બજારમાં મળતા લિકવિડમાં ડીએથલીન, મેલથોલીન, ફોલ્સીન જેવા ત્રણ ખતર નાક કેમિકલ મળી આવે છે. જેના કારણે વિદેશમાં તેને બેન કરવામાં પણ આવેલ છે. કારણકે તેમાં મળી આવતું કેમિકલ મચ્છર ભગાડવાની સાથે આપણા શરીરને પણ નુકસાન પહોંચાડી શકે છે.
આ કેમિકલની અસર ઘીરે ઘીરે આપણા ફેફસા પર પડી શેક છે. આપણે આપણા બાળકોને મચ્છરથી બચાવવા માટે કોઈલ અને લિકવિડનો ઉપયોગ કરે છે જેથી બાળકોથી મચ્છર દૂર રહે. પરંતુ તમને જણાવી દઉં કે બીડી સુગરેટ કરતા પણ વઘારે નુકસાન પહોંચાડી શકે છે.
કારણકે આ કોયલ અને લિકવિડનો ધુમાડો સીઘો આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે નાક દ્બારા આપણા ફેફસામાં જાય છે. જેથી ફેફસાને ખુબ જ નુકસાન થઈ શકે છે. આ માટે આપણા શરીરના કોઈ પણ અંગને નુકશાનના થાય એ માટે ધારેલું ઉપાય ખુબ જ લાભદાયક સાબિત થશે.
ઘરે જ મળી રહેતી વસ્તુમાંથી આપણે ઉપાય કરવાનો છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યા વગર જ મચ્છરને ઘરથી દૂર કરશે. અમે તમને એક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમારા ઘરમાંથી મચ્છર દૂર થઈ જશે.
મચ્છર ભગાડવાનો ઘરેલુ ઉપાય: આ માટે તમારે સૌથી પહેલા એક કોડિયું લેવાનું છે, ત્યાર પછી તેમાં બે ચમચી લીમડાનું તેલ, એક ચમચી સરસવનું તેલ, 10 નંગ વાટેલી કપૂરની ગોટીનો પાવડર નાખી બરાબર હલાવીને મિક્સ કરી લો, ત્યાર પછી 3 તાજા તેજ પત્તા લેવાના છે.
હવે રૂની મદદથી બનાવેલ તેલમાં રૂ ડાબોલીને બઘા તેજ પત્તા પર લગાવી દેવું, ત્યાર પછી એક એક તેજ પત્તુ લઈને સરગાવી દેવું. વારા ફરથી એક એક તેજ પત્તુ સરગાવશો તો તેમાંથી નીકળતી સુગંઘ મચ્છર તમારા ઘરથી ભાગવા લાગશે. ત્યાર પછી
કોડિયામાં જે તેલ વઘીયું છે તેનો ઉપયોગ હવે કરવાનો છે. તે માટે રૂની એક આડી દીવેટ બનાવી લેવાની છે. ત્યાર પછી તે તેલમાં બરાબર પલાળીને પછી દિવેટને કોડિયામાં મૂકીને સરગાવી લેવાની છે. ત્યાર પછી તે દીવો તમે જે રૂમમાં સુતા હોય તે રૂમમાં મૂકી દેવો જેથી મચ્છર તમારાની આસપાસ પણ દેખાશે નહીં.
આ ઉપય મચ્છર ભગાડવા માટે ખુબ જ સરળ અને ઘરેલુ છે. જે ખુબ જ આસાનીથી ઘરે કરી શકાય છે. જો તમે મચ્છર જન્ય રોગથી બચવા માંગતા હોય તો આ ઉપાય જરૂર અપનાવવો જોઈએ જેથી બજારમાં મળતી કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી થતા નુકસાનથી બચાવશે.