મગ ને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ કઠોળ માનવામાં આવે છે. તે વિટામિન A, B, C અને E, મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન C, ફાઈબર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન B6, નિયાસિન, થાઈમીન અને પ્રોટીન જેવા પોષક તત્વોથી ભરપૂર છે.
મગ શરીરને કેન્સરના જોખમથી બચાવવામાં મદદ કરે છે. આ શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. આ સિવાય તેને ખાવાથી બ્લડ ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. માત્ર મગ જ નહીં પરંતુ મગનું પાણી પીવાના પણ ઘણા ફાયદા છે. તો ચાલો જાણીએ કે રોજ એક કપ મગનું પાણી પીવાથી તમારા સ્વાસ્થ્ય માટે શું ફાયદા થાય છે.
1) રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે: જો તમે વારંવાર બીમાર પડો છો, તો તેનું કારણ તમારી નબળી રોગપ્રતિકારક શક્તિ હોઈ શકે છે. એટલા માટે તમારે રોજ એક વાટકી મગનું પાણી પીવું જોઈએ. મગનું પાણી પીવાથી શરીરમાં એનર્જી આવે છે. મગ શરીર અને મન માટે ખૂબ જ ફાયદાકારક છે.
2) વજન ઘટાડવામાં મદદરૂપ: જો તમે સ્થૂળતાથી પરેશાન છો તો તમારે આજથી જ મગનું પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. તેમાં માત્ર કેલરીની માત્રા ઓછી નથી, પરંતુ ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આનાથી તમને એનર્જી તો મળે જ છે સાથે સાથે તમે સરળતાથી વજન ઘટાડવામાં પણ મદદ કરી શકો છો.
3) કબજિયાતમાં રાહત આપે છે: મગના પાણીમાં શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાના ગુણ હોય છે. મગના સેવનથી શરીરમાં રહેલા ઝેરી તત્વો ઓછા થાય છે. આ ઉપરાંત, પાચનતંત્ર હંમેશા યોગ્ય રહે છે, જેના કારણે તમને પેટની સમસ્યા નથી થતી.
4) ત્વચા પર ગ્લો આવે: મગના પાણીમાં સિટ્રોજન હોય છે, જે શરીરમાં કોલેજન અને ઈલાસ્ટિનને જાળવી રાખે છે, જેના કારણે ચહેરા પર ઉંમરની અસર જલ્દી દેખાતી નથી. આ પાણી પીવાથી ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે.
5) બાળકો માટે ફાયદાકારક: મગનું પાણી બાળક માટે ખૂબ આરોગ્યપ્રદ છે. મગને બાફીને અથવા તેનું પાણી બાળકોને આપવાથી તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત તમારા બાળકનું મગજ તેજ થાય છે.
6) બ્લડ ગ્લુકોઝ ઓછું હોય છે: આ શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. આ સિવાય તેને ખાવાથી બ્લડ ગ્લુકોઝ કંટ્રોલ રહે છે. મગ દરેક રોગના દર્દીઓ માટે ફાયદાકારક છે.
7) ઝાડાથી રાહત: ઝાડા થવા પર મગનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. ઝાડાને કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. આવી સ્થિતિમાં આ પાણી પીવાથી તમારા શરીરમાં પાણીનો પુરવઠો તો પૂરો થશે જ, પરંતુ મગનું પાણી પીવાથી ડાયેરિયાની સમસ્યા પણ ઓછી થશે.
તમે જાણતા હશો કે આપણે જયારે બિમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર હંમેશા મગ ખાવાની અને તેનું પાણી પીવાની સલાહ આપે છે. તેથી જો તમે રોજ થોડા મગ બાફીને અને તેનું પાણી પીશો તો તમને અહીંયા જણાવેલા બધા જ ફાયદા થશે.