આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

માથાનો દુખાવો ખુબ જ સામાન્ય માનવામાં આવે છે, જે હાલત ચાલતા અને કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. માથાના દુખાવા થાય ત્યારે તેમા રાહત મેળવવા માટે ઘણા લોકો બજારમાં મળતી નો સહારો લેતા હોય છે, અથવા તો ઘણા લોકો થોડી વાર સુઈ જાય તો પણ માથાનો દુખાવો દૂર થઈ જતો હોય છે.

માથાનો દુખાવો વધુ પડતું ટેન્સન, તણાવ અને ડિપ્રેશન ના કારણે થતો જોવા મળે છે. આ સિવાય માથાના દુખાવા થવાના ઘણા બઘા કારણો પણ હોઈ શકે છે. જેમકે, લાંબા સમય સુઘી ભૂખ્યા રહેવું, ઓછું પાણી પીવું, તડકામાં રેહવું, પ્રદુષણ ના કારણે, ઊંઘ પુરી ના થવી જેવા કારણો થકી માથાનો દુખાવો થતો હોય છે.

સામાન્ય કહેવાતા માથાના દુખાવા ખુબ જ અસહ્ય અને વારે વારે થતા હોય તો તે માઈગ્રેન ની સમસ્યા પણ હોઈ શકે છે, માટે આવી સ્થતિમાં ડોક્ટરની સલાહ લઈ ઈલાજ ચાલુ કરી દેવો જોઈએ. આજે અમે તમને માથાના થતા સામાન્ય દુખાવામાં રાહત મેળવવા માટેના કેટલાક ઉપાય જણાવીશું, જે માથાના થતા દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ આપે છે.

મેડિટેશન કરો: માથાના દુખાવામાં ઝડપથી રાહત મેળવવા માટે ઘણા ગોળીઓ લેવા હોય છે, પરંતુ તમને જણાવી દઉં કે માથાના દુખાવાની ગોળીઓ લેવાથી ઘણી વખત તેના સાઈડ ઈફેક્ટ મગજ અને કિડની ને અસર કરી શકે છે. આ માટે માથાના દુખાવામાં દવા કરતા મેડિટેશન કરવા જોઈએ, મેડિટેશન કરવાથી મગજ શાંત રહે છે અને મગજની નસો ને રિલેક્સ કરી માથાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે.

વધુ પાણી પીવું : મોટાભાગે લોકો પોતાના કામમાં ખુબ જ વ્યસ્ત રહેતા હોય છે જેના કારણે વ્યક્તિ દિવસ દરમિયાન જરૂરિયાત અનુસાર પાણી પીતા નથી અને ડિહાઈડ્રેશન થઈ જાય છે જેના પરિણામે માથાના દુખાવા જેવી અનેક સમસ્યા થઈ શકે છે આ માટે દિવસ દરમિયાન વધુ પાણી પીવું જોઈએ જે શરીરને હાઈડ્રેટ પણ રાખશે અને મગજની કાર્યક્ષમતામાં વઘારો કરશે.

તેલની મસાજ કરો: ઘણી વખત એવું ઓન બનતું હોય છે માથાના દુખાવામાં 5-10 મિનિટ સારી રીતે માથામાં તેલની માલિશ કરવાથી દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ મળતો હોય છે. આ માટે માથાના દુખાવામાં તેલની માલિશ કરી શકો છો.

ગરદનની સ્ટ્રેચિંગ કરો: ઘણી વખત વધુ પડતું ટેન્સન હોવાના કારણે ગરદન ની મસલ્સ પર તેની અસર જોવા મળતી આ માટે તમે હળવે હળવે ગરદન ની સ્ટ્રેચિંગ કરો, જેથી માથાના દુખાવામાં ઘીરે રાહત મળશે.

ઊંડા શ્વાસ લેવા: જયારે મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ના મળી રહે તે સમયે માથાનો દુખાવો થતો જોવા મળે છે. આ માટે જો તમે નિયમિત પાને 10-15 મિનિટ ઊંડા શ્વાસ લઈને બહાર નીકાળો આવી રીતે થોડો સમય કરવાથી મગજને જરૂરી ઓક્સિજન મળી રહે છે અને મગજની નસોમાં પૂરતા પ્રમાણમાં લોહીનું પરિવહન થાય છે જેથી માથાના દુખાવામાં રાહત મળે છે.

આ ઉપરાંત તમે આદું વાળી કડક ચા બનાવી ને પીવો છો તો પણ માથાના દુખાવામાં ઘણી રાહત મળશે, કારણકે તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે જે દુખાવામાં ખુબ જ ઝડપથી ભગાડવામાં મદદ કરે છે. જો અમને સામાન્ય માથાના દુખાવા થતા હોય તો આ ઉપાય અપનાવાથી દવા કરતા પણ ખુબ જ સારું પરિણામ મળશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *