દરેક ના રસોડામાં એવા ઘણા બધા મસાલા મળી આવે છે જે રસોઈને ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવામાં મદદ કરે છે. પરંતુ જો રસોઈમાં મસાલા ના હોય તો તેનો કોઈ સ્વાદ આવતો નથી. રસોઈમાં મળી આવતા મસાલા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. જે શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે.

આજે અમે તમને રસોડામાં રહેલ મેથી દાણાના ફાયદા વિશે જણાવીશું.મેથી દાણા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. તેનો ઉપયોગ ઘણી વાનગીઓ માં રવામાં આવતો હોય છે. જે રસોઈના સ્વાદને ઘણો વઘારવામાં મદદ કરે છે. તેમાં એવા કેટલાક ગુણો મળી આવે છે જે સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીમાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

મેથીમાં એવા ઘણા તત્વો મળી આવે છે જે ઘણી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. આમ જોવા જઈએ તો મેથીમાં ફોસ્ફરસ, આયર્ન, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ,ફોલિક એસિડ જેવા ખનીજ તત્વો નો ખજાનો મળી આવે છે.

પહેલાના જમાનામાં મેથીને પાણીમાં પલાળીને તેનું સેવન સવારે નરણાકાંઠે કરતા હતા. માટે જ તેમનું શરીર સ્વસ્થ અને નિરોગી રહેતું હતું. માટે જો તે જ પદ્ધતિ અત્યારના સમય માં આપણે અપનાવીશું તો આપણે પણ સ્વસ્થ અને નિરોગી રહીશું. હવે અમે તમને મેથીનું સેવન કરવાના ફાયદા વિશે જણાવીશું.

સૌથી પહેલા એક ગ્લાસ પાણી લઈ લો, હવે તે પાણીમાં માત્ર એક ચમચી મેથી દાણા મિક્સ કરીને આખી રાત પલાળવા દો. ત્યાર પછી આ પાણીમાંથી મેથીને નીકાળીને ચાવી ચાવી ને ખાઈ જવાની છે. આ પલાળેલી મેથીનું સેવન સવારે ઉઠીને કરવાનું છે.

પેટના રોગ: અત્યારના સમયમાં મોટાભાગના લોકોની અનિયમિત ખાણી પીણી હોય છે. જેના કારણે અનેક બીમારી થવાની શકયતાઓ વધી જાય છે. તેમની એક સમસ્યા એટલેકે કબજિયાત. મોટાભાગના લોકો કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય છે. પેટની સમસ્યા માની આ એક સમસ્યા સૌથી વધુ જોવા મળે છે.

આપણે ખાધેલ ખોરાક ના પચવાના પચવાના કારણે પેટ ભરેલું રહે છે અને પેટ સાફ થતું નથી જેના કારણે કબજીયાત ની સમસ્યા થતીઓ હોય છે. માટે આ સમસ્યાને જડમૂળથી દૂર કરવા માટે રાત્રિના સમયે પલાળેલા મેથીના દાણાનું સેવન સવારે ખાલી પેટ કરવાનું છે. જેથી પેટ એકદમ સાફ થઈ જશે અને પેટને લગતી વિવિઘ સમસ્યા દૂર થશે અને પાચનક્રિયા મજબૂત થાય છે.

વજન ઘટાડવા: હાલના સમયમાં જોવા જઈએ વજન વધવા વાળા લોકોની સમસ્યા વધવા લાગી છે. જેથી ઘણા લોકો પરેશાન થઈ ગયા છે. વજન ઘટાડવા માટે આપણે ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ તેમ છતાં પણ કંઈ ફેર પડતો નથી. આવી પરિસ્થિતિમાં વજન ઘટાડવા માટે મેથીના દાણા નો ઉપયોગ કરી શકાય છે.

તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ માં વઘારો થાય છે. જેના કારણે આપણો વઘેલો મેદ ઓછો થઈ જાય છે. માટે તેનું સેવન નિયમિત કરવામાં આવે તો ચરબીને ઓગળાઇને વજન ને કંટ્રોલમાં મેથીના દાણા ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત મેથીનો પાવડર બનીને ગરમ પાણી સાથે લેવાથી પણ વજનમાં ઘટાડો આવે છે.

વાળ ખરવા: વધારે પડતા પ્રદુષણ અને ખાણી પીણી ના કારણે વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ જાય છે. આ સમસ્યા નાના મોટા દરેક વ્યક્તિને પરેશાન કરી રહી છે. આ માટે નિયમિત પણે મેથી દાણાનું સેવન કરવામાં આવે તો વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જાય છે અને વાળને મજબૂત બનાવામાં ખુબ જ મદદ કરે છે.

લોહીની ઉણપ દૂર કરે: મેથી દાણામાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે. જે લોહીના લાલ રક્ત કણોની સંખ્યામાં વઘારો કરી શકે છે. પુરુષો કરતા મહિલાઓ માટે પણ મેથી દાણાનું સેવન એક વરદાન થી ઓછું નથી. જે શરીરમાં લોહીની માત્રામાં વઘારો કરવામાં મદદ કરે છે. માટે પલાળેલા મેથી દાણાનું સેવન સવારે કરવું જોઈએ જેથી શરીરમાં રહેલ લોહીની ઉણપને દૂર કરી શકે છે.

સાંઘાના દુખાવામાં રાહત: મેથી દાણાનું સેવન કરવાથી સંધિવાથી થતા દુખાવામાં રાહત આપે છે. 55-60 વર્ષની ઉંમરે થતા સાંઘાના દુખાવામાં છુટકાળો અપાવે છે. આ દાણાનું નિયમિત સેવન કરવાથી નાની ઉંમરથી જ હલુ કરી દેવું જોઈએ જેથી સાંઘાના દુખાવા ક્યારેય થશે જ નહીં. આ માટે પલાળેલ દાણાનુ સેવન કર્યા પછી તેનું વધેલ પાણી પણ પી જવું જેથી દુખાવા માત્ર બે થી ત્રણ દિવસમાં જ મટી જશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *