સ્માર્ટ ફોન એ આજના સમયમાં ખુબજ જરૂરિયાત વસ્તુ બની ગઈ છે. અત્યારના સમયમાં ઘરેથી જ કામ કરવાનું હોવાને કારણે, લેપટોપ અને ફોન ઘરે હોવો ખુબજ જરૂરી છે. પરંતુ ઘણા લોકો મોબાઈલનો આખો દિવસ ઉપયોગ કરતા હોય છે એટલે કે આજના સમયમાં મોબાઈલ એક વ્યસન જેવો થઇ ગયો છે.
આજના સમયમાં સ્માર્ટફોન વિના જીવનની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. આજના સમયમાં દરેક લોકો નાની-મોટી જરૂરિયાતો માટે ફોન ખૂબ જ ઉપયોગી છે. આજના સમયમાં સ્માર્ટફોનમાં મળતા ફીચર્સથી જીવન ખૂબ જ અનુકૂળ બની ગયું છે. આજના સમયમાં બેંકનું કામ હોય કે શોપિંગ, કે પછી કોઈ બીજું કામ હોય તે બધું જ સ્માર્ટફોનની મદદથી ખૂબ જ સરળ બની ગયું છે.
જ્યાં એક તરફ સ્માર્ટફોને લોકોની મુશ્કેલીઓ ઘણી ઓછી કરી છે. સાથે જ તેના કારણે સ્વાસ્થ્યને પણ ઘણું નુકસાનથઇ રહ્યું છે. આજકાલ બાળકોથી લઈને વડીલો સુધી દરેક લોકો આખો દિવસ સ્માર્ટફોનમાં ચોંટેલા જોવા મળે છે, જેના કારણે તેમને અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.
જો તમારે તમારા સેલફોનમાંથી બ્રેક લેવા માટે કોઈ કારણની જરૂર હોય, તો અમે તમને કેટલીક એવી સમસ્યાઓ વિશે જણાવીશું જે જાણ્યા પછી તમે તરત જ સેલફોન છોડી દેશો. અહીંયા તમને મોબાઈલનો વધુ ઉપયોગ કરવાના કેટલાક ગેરફાયદા વિશે જણાવીશું. તો ચાલો જાણીએ.
આંખોને નુકસાન: મોબાઈલનો સતત ઉપયોગ કરવાથી આંખો પર દબાણ આવી શકે છે જેનો કેટલીકવાર આપણને તેનો ખ્યાલ પણ આવતો નથી, પરંતુ તે આપણી આંખોને નુકસાન પહોંચાડે છે. તમે જાણતા હશો કે આપણી આંખો શરીરના સૌથી સંવેદનશીલ અંગોમાંથી એક છે.
મોબાઈલની બ્લુ સ્ક્રીન તમારી આંખોને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આનાથી તમને ગંભીર સમસ્યાઓ જેવી કે માથાનો દુખાવો, આંખમાં દુખાવો અને સૂકી આંખો વગેરે થઈ શકે છે. આવી સ્થિતિમાં, સેલ ફોનનો ઉપયોગ કરતી વખતે બ્રેક લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કાંડામાં દુખાવો થઈ શકે: આપણે જાણીએ જ છીએ કે કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે અને જ્યારે ઈલેક્ટ્રોનિક્સની વાત આવે છે, તો તેમાં આપણે તેનો ઉપયોગ કરતી વખતે વધુ સાવચેતી રાખવાની જરૂર છે.
ફોનના વધુ પડતા ઉપયોગથી અને એકસાથે વધુ સમય પસાર કરવાથી કાંડામાં સુન્નતા અને દુખાવો થઈ શકે છે. આનાથી કાંડામાં કળતર પણ થઈ શકે છે.
ખીલનું કારણ બની શકે: ઘણા સંશોધનોમાં એવું જણાવવામાં આવ્યું છે કે મોબાઈલમાં કીટાણુઓ અને બેક્ટેરિયા હોય છે જે તમારી ત્વચા પર પ્રવેશ કરી શકે છે, જેનાથી ફોલ્લીઓ અને ચહેરા ડાઘ પડી શકે છે. આ સાથે તે અકાળે વૃદ્ધત્વનું કારણ પણ બની શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારા મોબાઈલને રોજ વાઈપ્સથી સાફ કરવો જોઈએ.
ઊંઘવામાં ખલેલ પહોંચાડે: ઊંઘ એ આપણી જીવનશૈલીનો સૌથી જરૂરી ભાગ છે અને દરેક વ્યક્તિ માટે સારી ઊંઘ ઓછામાં ઓછી 6 કલાક લેવી ખુબજ જરૂરી છે. મોબાઈલ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ કરવાથી ઘણી વાર મોડી રાત થઇ જતી હોય છે જેના કારણે તમારો ઊંઘનો સમય ઓછો થઈ જાય છે.
જેના કારણે તમે સવારે વહેલા ઉઠી શકતા નથી અને તાજગી અનુભવી શકતા પણ નથી. આ સાથે જ દિવસમાં ઊંઘ આવવા લાગે છે તેથી મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ક્યારેક તમારી ઊંઘ ન આવવાનું કારણ બની શકે છે.
તણાવ વધી શકે છે: તણાવ એક સામાન્ય છે પરંતુ જ્યારે મોબાઈલ થી તણાવની વાત આવે છે, તો તે ઇન્ટરનેટ પર કંઇક વાંચવું, ફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો, ઊંઘનો અભાવ જેવા ઘણા કારણો હોઈ શકે છે. જેના કારણે પાછળથી તમને ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે.
અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ઉપયોગી સાબિત થઇ હશે અને તમે આજથી જ કામ વગર મોબાઈલ નો ઉપયોગ નહીં કરો એવી આશા રાખીએ છીએ.