દરેક વ્યક્તિ આજના સમયમાં ફિટ અને હેલ્ધી રહેવાનું સૌથી વધુ પસંદ કરે છે. આ માટે ઘણા લોકો પોતાના રોજિંદા જીવનમાં યોગા, કસરત, વોકિંગ વગેરે નો સમાવેશ કરે છે, આ ઉપરાંત આહારમાં યોગ્ય પૌષ્ટિક આહારનું પણ પૂરતું ઘ્યાન આપતા હોય છે.
પરંતુ આજની ભાગદોડ ભરી જીવન શૈલીમાં અને અનિમિત આહાર લેવાની ટેવ અને આચર કુચર ખાવાની ટેવ આપણા શરીરને ઘણું નુકસાન પણ પહોંચાડી શકે છે, જેથી આપણા શરીરમાં ઘણા પ્રકારના વાયરસ નો પ્રવેશ થતો હોય છે અને આપણે બીમાર પડી જતા હોઈએ છીએ.
આ માટે આપણે આહારમાં યોગ્ય પૌષ્ટિક આહારનો સમાવેશ કરવો જોઈએ અને બહારના આહાર ખાવાનું ટાળવું જોઈએ. આપણું શરીર સ્વસ્થ રહેશે તો આપણે લાંબા સમય સુઘી સ્વસ્થ રહીશું, આ માટે આપણે એક એવા ફળનો જ્યુસ પીવાનો છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને ઓછી નહીં થવા દે અને આપણા હૃદયને પણ સ્વસ્થ રાખવામાં ખુબ જ મદદ કરશે.
આ માટે આપણે મોસંબી ફળનો જ્યુસ પીવાનો છે, જેમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી મળી આવે છે, જે આપણી કમજોર પડેલ ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે, સાથે વારે વારે કોઈ પણ કામ કરવામાં થાક લાગી જતો હોય તો આ ફળનો જ્યુસ પીવો જોઈએ.
મોસંબીમાં વિટામિન-સી, વિટામિન-એ, ફાયબર, પોટેશિયમ જેવા પોષક તત્વોનો મહત્વ પૂર્ણ ખજાનો મળી આવે છે. જે આપણા માટે ખુબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ મોસંબી ફળનો જ્યુસ પીવાના સ્વાસ્થ્ય લાભો વિષે.
મોસંબીનો જ્યુસ આપણા શરીરને વાયરલ ઈન્ફેક્સન થી બચાવી રાખવામાં મદદ કરે છે. આ માટે જયારે પણ આપણું શરીર કમજોર થઈ જાય, થાક લાગે, ઈમ્યુનીટી વઘારવી હોય તો આ એક ફળનું જ્યુસ પીવું જોઈએ, જે રોગપ્રતિકારક શક્તિને વઘારી અનેક બીમારી સામે લડવાની ક્ષમતા આપે છે.
આ ફળમાં વિટામિન-એ સારી માત્રામાં મળી આવે છે જે આંખો માટે મહત્વ નું તત્વ છે, જે આંખોની કમજોરીને દૂર કરે છે માટે આંખોની થકાન અને કમજોરીને દૂર કરવા માટે મોસંબીનો ફળનો જ્યુસ ખુબ જ ફાયદાકારક છે. જે આંખોનું તેજ વઘારવામાં મદદ કરશે.
આ ફળમાં ભરપૂર માત્રામાં પોટેશિયમનો સ્ત્રોત મળી આવે છે, જે આપણા હૃદય ને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે, માટે લાંબા સમય સુધી હૃદયને સ્વસ્થ રાખવું હોય અને હૃદયને લગતી બીમારીથી બચવું હોય તો આ ફળનો જ્યુસ પીવો જોઈએ.
જો તમે આ ફળનો જ્યુસ પીશો તો લોહીમાં રહેલ અશુદ્ધિઓને દૂર કરશે અને ચહેરા પરના ખીલ, ડાઘ અને કર્ચલીને દૂર કરશે. જેથી ચહેરો સુંદર અને ચમકદાર બની રહેશે. માટે ત્વચાને લગતી સમસ્યાને દૂર કરવા માટે મોસંબીનો જ્યુસ પીવો જોઈએ. આ ફળના જ્યુસ પીવાથી ડાયજેશન સિસ્ટમ ઈમ્પ્રુવ થશે જેથી આપણી પાચનશક્તિ મજબૂત બનશે.
વજન ને ઓછું કરવા આ જ્યુસ ખુબ ઉપયોગી છે. તેને પીવાથી વજન આપ મેળે જ ઓછું થશે. આ ફળમાં ફાયબરની માત્રા ભરપૂર રહેલી છે. તેને પીવાથી ભૂખ ઓછી લાગે છે અને તમારું વજન ઘટવા લાગે છે. જો તમારું વજન વધારે હોય અને ઓછું કરવું હોય તો આ ફળનું જ્યુસ પીવું જોઈએ.
ઉનાળામાં આ ફળનું જ્યુસ પીવાથી આપણા શરીરમાં ઈન્સ્ટન્ટ એનર્જી આવશે અને શરીરને ગરમથી બચાવી ઠંડક આપશે. સાથે શરીરને સ્ફૂર્તિવાન બનાવી રાખશે જેથી કોઈ પણ કામ કરવામાં થાકનો અહેશાસ નહીં લાગે. માટે ઉનાળામાં આ એક ફળનું પીણું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.