ચોમાસાની ઋતુમાં બધા લોકોની સૌથી મોટી સમસ્યા મચ્છર અને માખીઓની સમસ્યા હોય છે. આ ઋતુમાં ઘરમાં એટલા બધા જીવજંતુઓ અને કીડાઓ આવી જાય છે કે તેને સમજાતું નથી કે શું કરવું અને શું ન કરવું. ઘરમાં બધા સભ્યો એટલા પરેશાન થઇ જાય છે કે આ સમસ્યાનું નિરાકરણ જરૂરી બની જાય છે.
આવી સ્થિતિમાં જો તમને કહેવામાં આવે કે તમે ઘરે બનાવેલા દેશી ઉપાયની મદદથી તેનાથી છુટકારો મેળવી શકો છો, તો તમારો જવાબ હશે એવું કઈ રીતે શક્ય બને?, તો આજે અમે તમારા માટે એવા જ કેટલાક દેશી ઉપાય લઈને આવ્યા છીએ જે ચોમાસામાં મચ્છર, માખીઓ અને ઉંદરોને દૂર કરશે.
સૌ પ્રથમ જાણીએ મચ્છર, માખીઓ, કીડીઓ અને જંતુઓ ભગાડવાનો ઉપાય : આ ઉપાય કરવા ઉડતા જંતુઓ પર પણ સારી રીતે કામ કરે છે અને તમે દરરોજ 5 થી 7 મિનિટ કરી શકો છો. આવી સ્થિતિમાં જંતુઓ અને મચ્છર વગેરે તમારા ઘરમાંથી ઉભી પુછડીએ ભાગી જશે અને આ ઉપાય ચોમાસામાં સાંજે કરો, કારણ કે આ સમયે જીવ જંતુઓ વધુ હોય વધુ હોય છે.
સામગ્રી : એક નાનો માટીનું વાસણ લેવાનું છે, જે માટે તમે માટલાનું ઢાંકણ પણ લઇ શકો છો, થોડા તમાલપત્ર, લીમડાનું તેલ અથવા સરસોનું તેલ અને કપૂર લેવાનું છે.
સૌથી પહેલા તમે કપૂરને પીસીને તેલમાં મિક્સ કરો. તેને પીસવા માટે તમે ડિસ્પોઝેબલ કપનો ઉપયોગ કરો નહીંતર તેની સુગંધ વાસણમાં રહી જશે. હવે પીસેલા કપુરમાં થોડું તેલ ઉમેરો. ત્યારબાદ તમાલપત્રને તોડીને માટીના વાસણમાં નાખો. ત્યારબાદ તેમાં કપૂર અને તેલનું મિશ્રણ મિક્સ કરો.
હવે તેમાં આગ લગાવો અને પછી આગ બંધ કરો જેથી આમાંથી ધીમે ધીમે ધુમાડો આવતો રહે. તેને લઈને કોઈપણ બંધ રૂમમાં 5 થી 7 મિનિટ માટે રાખો. ધુમાડાથી તે રૂમમાં રહેલી માખીઓ, મચ્છર, જંતુઓ વગેરે દૂર ભાગી જશે. તમે આ ઉપાયને દરરોજ સાંજે કરી શકો છો.
હવે જાણીએ વંદો, ઉંદરો અને કીડીઓથી છુટકારો મેળવવાની રીત : હવે જો તમે જમીન પર ચાલતા જંતુઓ અને ગણેશજીના ઉંદરોથી છુટકારો માટેનો ઉપાય શોધતા હોય તો તમે, આ 4 વસ્તુનો ઉપયોગ કરીને છુટકાળો મેળવી શકો છો. આ માટે આ ચાર સામગ્રીની જરૂરી પડશે. થોડો લોટ (અહીંયા તમે ઘઉંનો કે બાજરીનો કોઈપણ લઇ શકો છો), થોડી ખાંડ, બોરિક એસિડ અને થોડા તેલની જરૂર પડશે.
સૌ પ્રથમ આ બધી સામગ્રીને મિક્સ કરીને લોટ બાંધો. તમારે તેને એવી રીતે ભેળવવાનું છે કે આ લોટમાં રહેલા બોરિક એસિડની માત્રા વધારે હોય. હવે તેમાંથી નાના-નાના ગોળા બનાવીને રસોડાના સિંકની નીચે અથવા એવી કોઈ જગ્યાએ રાખો જ્યાંથી વધુ કીડા આવતા હોય અથવા વંદા, ઉંદરો આવતા હોય. કીડા, વંદા, ઉંદરો તેને ખાઈ જશે અને પછી પાછા ક્યારેય નહીં આવે.
હવે જાણીએ જંતુઓ માટે સ્પ્રે કેવી રીતે બનાવવો : તમે એક એવો ઘરેલુ સ્પ્રે બનાવી શકો છો જે બધી જંતુઓ માટે રામબાણ સાબિત થઈ શકે છે. સામગ્રી : પાણી, 3-4 ચમચી સફેદ વિનેગર, 1 ચમચી સારી રીતે પીસેલું કપૂર, થોડું ડેટોલ, 1 ચમચી મીઠું અને સ્પ્રે બોટલ. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને હલાવીને સ્પ્રે બોટલમાં ભરી લો.
હવે આને કપડા અથવા કોટન બોલમાં ( એટલે કે રૂ માં) સ્પ્રે કરો અને જ્યાં પણ વધારે જંતુઓ આવતા હોય તે જગ્યાએ મૂકી દો. જો તમારા ઘરમાં પાલતુ પ્રાણી અથવા બાળકો છે તો તેની થોડી કાળજી લો અને જો ઘરે બાળકો નથી તો તમે તેનો દરરોજ સીધો છંટકાવ પણ કરી શકો છો. આ સ્પ્રેની ગંધથી જંતુઓ અને ઉંદરો તે જગ્યા પરથી ભાગી જશે.
જોતમારા ઘરમાં વધુ પડતી કીડીઓ હોય તે જગ્યા પર થોડી હળદરનો પાઉડર છાંટવાથી પણ ફાયદો થાય છે. આ ઉપરાંત ઘરમાં સૂકા કડવા લીમડાના પાન બાળવાથી પણ ફાયદો થાય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ બધા દેશી ઘરેલુ ઉપાય તમારા માટે ખૂબ કામમાં આવી શકે છે.