mura khavana fayda

શિયાળાની સીઝનમાં લીલી શાકભાજી સાથે મૂળા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને આયરન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત મૂળામાં ક્લોરીન, ફોસ્ફરસ, સોડિયમ અને મેગ્નેશિયમ, વિટામીન એ બી અને સી પણ મળી આવે છે. હવે જાણીએ મૂળા ખાવાથી થતા કેટલાક ફાયદા વિશે.

કિડનીને સ્વસ્થ રાખવા: પોષક તત્વોથી ભરપૂર મૂળા કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મૂળા આપણા શરીરમાંથી ઝેરી પદાર્થ દૂર કરવામાં પણ મદદ કરે છે. તે આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં ફાયબરની સારી માત્રા હોવાને કારણે કબજિયાતના દર્દીઓ માટેનો ઉપચાર છે.

લીવરની સમસ્યા: જો તમને પેટ ભરેલું લાગે છે તો મૂળાના રસમાં મીઠું નાખીને પીવો. આમ કરવાથી તમને આરામ મળશે. જેમને યકૃત સંબંધિત કોઈ સમસ્યા હોય છે, તેઓએ તેમના ખોરાકમાં મૂળોનો સમાવેશ કરવો જોઇએ. તે આપણા લીવરને સ્વસ્થ રાખે છે.

હાઈ બીપી: હાઈ બીપી: જે લોકોને હાઈ બીપી હોય તેમના માટે મૂળા ફાયદાકારક છે. એન્ટિ-હાયપરટેન્સિવ ગુણધર્મવાળી મૂળા તમારા હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં પોટેશિયમનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોય છે, જે આપણા શરીરમાં સોડિયમ-પોટેશિયમ રેશિયોનું સંતુલન જાળવે છે, જે બ્લડ પ્રેશર જાળવી રાખે છે.

કમળા માં રાહત: મૂળા કમળાના દર્દીઓ માટે રામબાણનું સાબિત થાય છે. આ લોકોએ તેમના ખોરાકમાં તાજા મૂળોનો સમાવેશ કરવો જોઇએ. રોજ સવારે એક કાચો મૂળો ખાવાથી કમળો મટે શકે છે. દરરોજ સવારે ખાલી પેટ પર કાચો મૂળો લેવાથી કમળો મટે છે.

રોગપ્રતિકારક શકિત વધારે: મૂળા ખાવાથી નાની મોટી બીમારીઓથી બચી શકાય છે. મૂળો પેટ અને લિવર માટે ખુબજ ફાયદાકારક છે. આજના સમયમાં મોટાભાગના લોકોને પેટની સમસ્યા હોય છે. જો રોજ મૂળો ખાવામાં આવે તો ખુબજ ફાયદો થાય છે. મૂળો ખાવાથી શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

પેટની સમસ્યામાં: જો તમને વારંવાર પેટ સંબંધિત ગેસ, કબજિયાત અથવા નબળા પાચન જેવી સમસ્યાઓથી પરેશાન થઇ ગયા હોવ તો તમારે તમારા આહારમાં મૂળોનો સમાવેશ કરવો જોઇએ. મૂળા ખાવાથી શરીરની ભૂખ વધે છે અને પાચનતંત્ર પણ વધુ સારી રીતે કામ કરે છે. મૂળો ખાવાથી ગેસ અને કબજિયાતથી રાહત મેળવી શકાય છે.

ત્વચા માટે: જો તમારે ત્વચા ચમકતી બનાવવી હોય તો દરરોજ મૂળાનો રસ પીવો. તેમાં વિટામિન સી અને ફોસ્ફરસ છે. આ સાથે તે શુષ્ક ત્વચા અને ખીલથી પણ રાહત આપે છે.

ડાયાબિટીસ: મૂળો ખાવાથી બ્લડ સુગર પર વધારે અસર નથી થતી. રોજ સવારે જમતી વખતે મૂળો ખાવાથી ડાયાબિટીસથી છૂટકારો મેળવવામાં ફાયદો થઇ શકે છે.

હૃદયના રોગો: મૂળા ખાવાથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે. મૂળાને એંથોસાયનિનનો સારો સ્રોત માનવામાં આવે છે, જેના કારણે હૃદય યોગ્ય રીતે કાર્ય કરવામાં સક્ષમ બને છે, અને હૃદયરોગનું જોખમ ઓછું થાય છે.

રક્તવાહિનીઓને મજબૂત કરે: મૂળામાં સારી માત્રામાં કોલેજન હોય છે જે રક્ત વાહિનીઓને મજબૂત બનાવે છે. જેના કારણે એથેરોસ્ક્લેરોસિસ જેવા ગંભીર રોગ થવાની શક્યતા ઓછી થાય છે.

ભૂખ વધારે: જો તમને દિવસ દરમિયાન ભૂખ ઓછી લાગે છે, તો તમે મૂળામાં આદુનો રસ મિક્સ કરીને પીવો. આમ કરવાથી તમારી ભૂખ વધશે અને જો તમને પેટ સંબંધિત કોઈ રોગ હોય તો તે પણ દૂર થઈ જશે.

કેન્સર નિવારણ માટે ફાયદાકારક : મૂળામાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, ફોલિક એસિડ, એન્ટી ઓક્સિડેન્ટ ગુણ રહેલા હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં કેન્સરના કોષોની રચનાને રોકે છે. આવી સ્થિતિમાં આંતરડા, પેટ, મોં અને કિડનીના કેન્સર સામે રક્ષણ મળે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *