હાલના સમયમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માં સૌથી વધુ વાળને લગતી સમસ્યા જોવા મળે છે, જેમાં વાળ ખરવા, વાળ તૂટવા, વાળ સફેદ થઈ જવા જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. વાળ ખરવાની સમસ્યા નાના મોટા દરેક વ્યક્તિને થતી હોય છે.

જે સમસ્યા ને નજર અંદાજ ના કરી શકાય, વાળ વધારે ખરવાથી ચહેરાની સુંદરતા અને દેખાવ પણ ખુબ જ ઓછો થઈ જતો હોય છે જેથી આપણી આસપાસ રહેલા લોકો મજાક ઉડાવે છે, માટે વાળને લગતી સમસ્યા ને ખુબ જ ઝડપથી દૂર કરવી ખુબ જ જરૂરી છે.

વાળને લાગતી સમસ્યા આપણા શરીરમાં પોષક તત્વોની કમીને કારણે થતી એક સમસ્યા છે. જે સમસ્યા આપણી કેટલીક ખરાબ ટેવના કારણે પણ થતી હોય છે. જેમ કે આજના સમસ્યમાં દરેક વ્યક્તિની જીવન શૈલી બદલાઈ ગઈ છે તેવામાં આપણે ખુબ જ વ્યસ્ત રહેતા હોય અને તણાવ ટેન્શન માં હોય તો પણ આ સમસ્યા થતી હોય છે.

આ ઉપરાંત બહારના જંકફૂડ અને ફાસ્ટફૂડ ખાવથી પણ આપણા શરીરને જરૂરી પોષણ મળતું નાથી અને બહારનો આહાર લેવાથી પેટને લગતી ઘણી સમસ્યા થતી હોય છે જે સમસ્યા શરીરના કોઈ પણ રોગ લાવી શકે છે. માટે બહારનો ખોરાક બંધ કરી ધરનો પૌષ્ટિક આહાર જ લેવો જોઈએ જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

વાળને ધોવામાં માટે જાતજાતના શેમ્યુ, કંડીશનર અને સાબુ જેવી બજારમાં મળતી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેના કારણે પણ વાળ ઉતરવાનું શરુ થઈ જાય છે. કારણકે તેમાં ઘણા બઘા કેમિકલ હોય છે જે વાળને ઘણું નુકસાન પહોંચાડે છે.

વાળને ઉતરતા બંધ કરવા માટે વાળને સ્વસ્થ અને હેલ્ધી રાખવા જોઈએ, આ માટે આપણે આપણા માથામાં કયું તેલ નાખવું જોઈએ તેના વિષે જણાવીશું. જો તમે આ તેલનો ઉપયોગ કરશો તો વાળ ઉતરવાનું ઘણું ઓછું થઈ જશે.

વાળને ખરતા રોકવા માટે આપણે નેચરલી તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે ડુંગળીનું તેલ માથામાં નાખવાનું છે. નેચરલી તેલ બનાવાની રીત: આ માટે સૌથી પહેલા એક મોટી ડુંગળીના છોતરા નીકાળી લેવાના છે, ત્યાર પછી તે ડુંગળીને છીણી લેવાની છે, ત્યાર પછી તેનો રસ નીકાળી એક બાઉલમાં લઇ લો, ત્યાર પછી તેમાં બે ચમચી નારિયળનું તેલ મિક્સ કરો અને અડધા લીંબુનો રસ મિક્સ કરીને બરાબર હલાવી દો, ત્યાર પછી તેલને એક બોટલમાં ભરી લેવું.

આ તેલને માથાના મૂળમાં સારી રીતે લગાવીને 5 મિનિટ મસાજ કરવાની છે, આ તેલનો ઉપયોગ તમે સવારે પણ કરી શકો છો, માથું ધોવાના 2 કલાક પહેલા તેલથી માલિશ કરવાથી માથું ધોતી વખતે માથાના ખરતા વાળ અટકી જશે, માટે વાળના સારા સ્વાસ્થ્ય માટે વાળની કેર કરવી પણ ખુબ જ જરૂરી છે.

આ તેલનો ઉપયોગ તમે રાત્રે પણ કરી શકો છો જેને તમે માથામાં લગાવીને પણ આખી રાહત રહેવા દઈ શકો છો,આ તેલમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે જે વાળને મજબૂત બનાવીને વાળને ખરતા રોકવાનું કામ કરે છે. આ તેલનું રોજે ઉપયોગ કરવાથી વાળને પોષણ મળશે અને પ્રદુષણ, ધુમાડાના કારણે થતા વાળના નુકસાનથી બચાવશે. કારણકે આ તેલમાં ભરપૂર માત્રામાં સલ્ફર અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે વાળને મજબૂત બનાવાનું કામ કરે છે.

માટે જો નાની ઉંમરમાં જ વાળ ખરતા હોય તો આ તેલનો ઉપયોગ કરીને વાળને મજબૂતબ બનાવી શકાય છે, ડુંગળીનું તેલ એક નેચરલી છે જેનો ઉપયોગ વાળના સારા સ્વાસ્થ્ય માટે જ કરવામાં આવે છે. આપણા વાળને આ તેલ પૂરતું પોષણ પૂરું પાડશે એટલે વાળ ખરતા બંધ થવાની સાથે વાળ લાંબા, કાળા અને સિલ્કી બનશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *