આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણા શરીરને અનુકુર આવે તેવા ખોરાક ખાવામાં આવે તો આપણા શરીરને ઘણા બધા ફાયદા થતા હોય છે. સ્વાસ્થ્ય સંબંધીત અનેકે સમસ્યાઓને દૂર કરવા માટે આપણે રોજિંદા આહારમાં ડુંગળીનો સમાવેશ કરવો જોઈએ.

ડુંગળી આપણા આરોગ્યનો ખજાનો માનવામાં આવે છે. ડુંગળી રસોઈનો સ્વાદ વધારવાની સાથે આપણા શરીરેન ઘણા બધા ફાયદા પણ આપે છે. માટે રોજે ડુંગળીને આહારમાં સમાવેશ કરવો જોઈએ. ડુંગળી નાની મોટી ઘણી બીમારીમાં ફાયદાકારક છે, ઉનાળામાં ડુંગળી ખાવાથી લઉં લાગવાની સમસ્યા દૂર થાય છે.

ડુંગળીમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જેમ કે કેલ્શિયમ, વિટામિન-ઈ, ફાયબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કોપર, જેવા તત્વો મળી આવે છે, આ ઉપરાંત એમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ મળી આવે છે. જે વાળ અને ત્વચા માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ માટે આજે અમે તમને ડુંગળીના ફાયદા વિષે જણાવીશું.

પેટના રોગ દૂર કરે: ડુંગળીમાં ફાયબરનો સારો સ્ત્રોત મળી આવે છે જે આંતરડામાં જામેલ મળ છૂટો કરવામાં મદદ કરે છે, આ ઉપરાંત પેટને સાફ રાખી પેટને લગતા રોગોને દૂર કરી શકાય છે, માટે રોજિંદા આહારમાં ડુંગળીનો સમાવેશ કરવો જોઈએ.

શ્વાસની તકલીફ માટે: ડુંગળીમાં એક્સપેક્ટોરેંટ નામનું એક ગુણધર્મ મળી આવે છે જે શ્વાસ લેવામાં પડતી તકલીફને દૂર કરવામાં મદદ કરે છે, તમને જણાવી દઉં કે છાતીમાં કે ગળામાં કફની સમસ્યા હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, ત્યારે ડુંગળી અથવા ડુંગળીના રસનું સેવન કરવામાં આવે તો કફને તોડીને છૂટો કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે: આપણા શરીરમાં ઘણા બધા ઝેરી બેક્ટેરિયાઓ હોય છે માટે ડુંગળીને રોજિંદ આહાર સાથે ખાવામાં આવે તો બેક્ટેરિયાનો નાશ કરી ઘણા રોગોથી બચાવી રાખવામાં મદદ કરે છે, જેથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

વાળને મજબૂત બનાવે: આપણી કેટલીક ખરાબ ટેવના કારણે આપણા વાળ ખરવા લાગે છે પરિણામે આપણા માથામાં ટાલ પડવા લાગે છે, આ માટે ડુંગળીના રસને વાળમાં માલિશ કરવામાં આવે તો ખરતા વાળ ને અટકાવી વાળને મજબૂત બનાવશે.

ત્વચાને કોમળ બનાવે: આપણા ચહેરા પર ધૂળ માટીના રજકણોના કારણે ચહેરાનો સૂકો પડી જાય છે આ માટે ચહેરા પરની ગંદકીને દૂર કરવા માટે એક ચમચી ડુંગળીના રસમાં એક ચમચી એપલ વિનેગર મિક્સ કરીને ચહેરા પર માલિશ કરીને 20 મિનિટ પછી ધોઈ દેવો એવું કરવાથી ચહેરાની ગંદકી દૂર થઈ ચહેરાને કોમળ અને મુલાયમ બનાવશે.

લોહીને પાતળું બનાવે: શરીરમાં લોહી જાડું થઈ જવાથી ગંઠાવા લાગે છે પરિણામે લોહીની નસો બ્લોક થવા લાગે છે, આ માટે નસોને બ્લોકે જ થી અટકાવવા માટે રોજે ડુંગળીને આહારમાં સમાવેશ કરવો જોઈએ જેથી લોહી પાતળું રહે અને લોહીનું પરિભ્રમણ પણ સારું થશે.

કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે: રોજે ડુંગળીને ખાવામાં આવે તો ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે, જેના કારણે હૃદયને લગતી બીમારી માંથી પણ બચાવી રાખવામાં મદદ કરે છે. હૃદયના સારા સ્વાસ્થ્ય માટે ડુંગળીને બપોરે આહારમાં સમાવેશ કરવો જોઈએ.

ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ માટે રોજે બપોરે ભોજન સાથે ખાવી જોઈએ જેથીં આપણા શરીરને ઘણા બધા ફાયદાકારક સાબિત થશે. ડુંગળીને ખાવાથી લૂ લાગતી નથી અને અનેક રોગોથી બચાવી રાખવામાં મદદ મળે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *