આજના સમયમાં ગરમી વધારે પડવાને કારણે પગના તળિયામાં બળતરા થવા એક સામાન્ય વાત છે. આ સમસ્યા ખાસ કરીને 35 થી 45 વર્ષના લોકોમાં સામાન્ય જોવા મળે છે. હવે તો આ સમસ્યા જવાન લોકોમાં પણ જોવા મળી રહી છે. જેનું કારણ છે. શરીરમાં વિટામીન બી12ની ઉણપ, ડાયાબિટીસ ન્યુરોપૈથી સહિતના કારણ છે.
આ સિવાય જ્યારે પગમાં બ્લડ સર્કુલેશન ઓછું હોય અને લાંબા સમય સુધી ઉભા રહીને કામ કરીએ છીએ ત્યારે પગના તળિયામાં બળતરા થાય છે. ઘણા લોકોને પગના તળિયામાં બળતરા થવાથી રાત્રે ઊંઘ પણ આવી શકતી નથી. તો આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીશું જેના ઉપયોગથી તમે ગરમીમાં પગમાં થતા બળતરાથી રાહત મેળવી શકો છો.
સૌથી પહેલો પ્રયોગ તમને જણાવીએ જેમાં તમારે સૂકા ધાણા અને ખાંડને સરખા પ્રમાણમાં લઇને પીસી લેવાની છે. રોજ તેનું બે ચમચી ત્રણ થી ચાર વખત ઠંડા પાણી સાથે સેવન કરવાથી હાથ અને પગમાં બળતરાની સમસ્યા કાયમ માટે દૂર થાય છે.
બીજા પ્રયોગમાં તમારે આપણે જે માખણ ખાઈએ છીએ તેનો ઉપયોગ કરવાનો છે. આ માટે માખણ અને ખાંડને સરખા પ્રમાણમાં લઇ લેવાની છે અને તેને બરાબર મિક્સ કરી પેસ્ટ બનાવી લેવાની છે. આ પેસ્ટને તમારે પગના તળિયા કે હાથની હથેળીમાં લગાવવાની છે. આ પ્રયોગ કરવાથી તમને ખૂબ રાહત થશે.
ત્રીજા પ્રયોગમાં તમારે મસૂરની દાળ પીસીને પેસ્ટ બનાવવાની છે. આ પેસ્ટને તમારે રાત્રે પગના તળિયામાં લગાવીને સુઈ જવાનું છે. આ પેસ્ટ લગાવવાથી તમારા પગના તળિયાને ખૂબ ઠંડક મળશે અને પગમાં થતા બળતરાની સમસ્યાથી રાહત મળી શકે છે.
ચોથા ઉપાયમાં તમારે ખાવામાં આવતી દૂધીને નો ઉપયોગ કરવાનો છે. દૂધી પગની ગરમી અને બળતરાથી રાહત મેળવવા માટે ફાયદાકરાક સાબિત થાય છે. આ પ્રયોગ માટે દુધીને ખમણીને તેની પેસ્ટ બનાવી લેવાની છે. આ પેસ્ટને પગના તળિયા જ્યાં બળતરા થાય છે ત્યાં લગાવવાની છે. આ પેસ્ટ લગાવવાથી તમને ચોક્કસ ઠંડક મળશે.
પાંચમો ઉપાય એકદમ સરળ છે જે દરેક ઉંમરના લોકો કરી શકે છે. આ ઉપાયમાં તમારે કઈ જ કરવાની જરૂર નથી. આ માટે તમારે વહેલી સવારે ઉઠીને ખુલ્લા પગે લીલા ઘાસ પર ચાલવાનું છે. લીલા ઘાસ પર ચાલવાથી પગના તળિયાની બળતરા ઓછી થઇ જાય છે અને તમારી આંખોને પણ ફાયદો થાય છે.
અહીંયા જણાવેલ 5 પ્રયોગમાંથી જો તમે કોઈ એક પ્રયોગ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. અમે આશા રાખીએ છીએ કે તમને અમારી આજની આ માહિત પસંદ આવી હશે.