શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ રહેતું હોય તો શરીરમાં અવાર નાવર પેશાબમાં બળતરા, હાથ અને પગના તળિયામાં બળતરા, આંખોમાં બળતરા, છાતીની બળતરા જેવી સમસ્યા થતી હોય છે. આજે શરીરમાં થતી બળતરામાં રાહત મેળવવાના ઘરેલુ ઉપાય જણાવીશું.
શરીરમાં આંતરીક ગરમી વધી જવાના કારણે બળતરા થાય છે, આ બળતરાને શાંત કરવા માટે શરીરને ઠંડક મળી રહે એવા કેટલાક ઘરેલુ ઉપચાર જણાવીશું જે શરીરને અંદરથી ઠંડુ અને શીતળતા પ્રદાન કરશે. અને બળતરામાં રાહત આપશે.
વધારે પડતું તીખું અને તળેલો ખોરાક વધુ માત્રામાં ખાવાના કારણે શરીરમાં અવાર નવાર બળતરા થઈ શકે છે. આ માટે આવા સમયે તીખા અને તળેલા આહારને બદલે શરીરને અનુકૂળ માવે તેવા જ પૌષ્ટિક આહાર ખાવા જોઈએ.
શરીરને ઠંડક મેળવવા માટે અવાર નવાર નારિયેળ પાણી, તરબૂચ, શક્કરટેટી, મોસંબી જેવા ફળોનો ખાવા જોઈએ, જે શરીરને શીતળતા આપવામાં મદદ કરે છે. જે આંતરિક ગરમીમાં રાહત આપે છે.
પેટમાં થતી બળતરામાં રાહત મેળવવા માટે એક ઈલાયચીનો ભૂકો કરી આમળાંનો પાવડર મિક્સ કરીને સાદા પાણીમાં નાખીને ધુંટડે ધુંટડે પીવાથી પેટમાં થતી બળતરામાં રાહત મળે છે. આ ઉપરાંત સાકર નો એક ટુકડો મોઠામાં મૂકી રાખવાથી પેટમાં થતી બળતરામાં રાહત મળે છે.
વધારે પડતા તડકામાં અથવા પ્રદુષિત વાતાવરણ ના કારણે આંખો લાલાશ પડતી થઈ બળતરા થતી હોય તો વડના દૂઘમાં સાકાર મિક્સ કરીને સવારે અને બંને ટાઈમ લેવાથી આંખોની બળતરામાં રાહત મળશે.
એક ચમચી સાકર, ઘી અને વરિયાળીનો પાવડર મિક્સ કરીને ખાઈ જવાથી શરીરમાં વધી ગયેલ આંતરિક ગરમી દૂર થાય છે, જેના કારણે હાથ પગમાં થતી બળતરામાં રાહત મળે છે. વરિયાળીનું પાણી પીવાથી શરીરને ઠંડક અને શીતળતા મળે છે.
કાળી દ્રાક્ષ ને પલાળીને ખાવાથી હાથ પગના તળિયામાં થતી બળતરામાં રાહત મળે છે. આ ઉપરાંત સરસવના તેલની માલિશ પગના તળિયામાં કરવાથી બળતરામાંથી છુટકાળો મેળવી શકાય છે. આ ઉપરાંત ડુંગળીને કાપીને પગના તળિયામાં બાંધી રાખવાથી બળતરામાં રાહત મળે છે.
પેશાબ માં બળતરા થાય ત્યારે લીંબુના પાણીમાં સિંધવ મીઠું મિક્સ કરીને પીવાથી પેશાબ માં થતી બળતરામાં આરામ મળે છે. લીંબુ પાણી પીવાથી બળતરા ઉપરાંત શરીરને પણ ઠંડક આપવામાં મદદ કરે છે, જે શરીરમાં ભરપૂર ઉર્જા અને એનર્જી પ્રદાન કરે છે.