આજે એવા ઘણા લોકો છે જે પથરીના દુખાવાથી પરેશાન હોય છે. આપણી કિડની માં પથરી છે તેનો ખ્યાલ જયારે આપણે દુખાવો થવાનું શરુ થાય છે ત્યારે જ ખબર પડતી હોય છે. આજે અમે તમને પથરીના દુખાવા ના કારણો અને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું.

જયારે પથરીનો દુખાવો ઉપડે છે ત્યારે તે ખુબ જ અસહનીય હોય છે. પથરી કોઈ પણ ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે. ઘણા લોકોને 3 mm, 5 mm, 8mm, 12 mm ની પણ જોવા મળતી હોય છે. પથરીનો દુખાવો આમ તો રાત્રીના સમયે જ સૌથી વધારે થતો હોય છે.

ઘણી વખત પથરી બહાર ના નીકળવાના કારણે ઓપરેશન પણ કરવું પડતું હોય છે, પથરીમાં જયારે દુખાવો થાય ત્યારે તેમાં તાત્કાલિક કઈ રીતે શાંત કરવો તેના વિષે જણાવીશું.

પથરી થવાના મુખ્ય કારણો: આહારમાં કેલ્શિયમ, ફોસ્ફેટ વાળી વસ્તુઓનું વધારે સેવન કરવાથી. સમૃદ્વિ ખાદ્યપદાર્થો ખાવાથી, જરૂરિયાત કરતા ઓછું પાણી પીવાથી, વધારે પડતા સાદું સફેદ મીઠું ખાવાથી મીઠાનું પ્રમાણ વધે છે જેથી પથરી થઈ શકે છે..

પથરી થવાના લક્ષણો: જયારે મૂત્રાશયમાં પથરી હોય ત્યારે પીઠના નીચેના ભાગેથી દુખાવો શરુ થઈ જાંઘોની તરફ જાય છે. આ દુખાવો થોડા થોડા અંતરે આવે છે અને થોડા મિનિટો સુધી અથવા અમુક કલાકો સુધી રહે છે. મૂત્રાશયની પથરીમાં દુખાવો થવાની સાથે ઊલટીઓ પણ વધુ થાય છે, આ ઉપર પેશાબ કરતા લોહી પણ નીકળતું હોય છે. આ સમયે અસહ્ય બળતરા અને તાવ પણ આવે છે.

પથરીના ઘરેલુ ઉપાય:
પથરીના દુખાવામાં તાત્કાલિક રાહત મેળવવા નારિયળનું પાણી પીવું જોઈએ જે પથરીના થતા દુખાવાને શાંત કરે છે. આ ઉપરાંત પથરીને તોડીને ભૂકો કરીને બહાર નીકાળવામાં મદદ કરે છે. માટે પથરીનો દુખાવા જેવી સમસ્યા સર્જાય ટાયરે તાજા નારિયળનું પાણી પી શકાય છે.

પથરીમાં તરત જ શાંત કરવા માટે લીંબુ ખુબ જ અસરકારક છે જેમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી મળી આવે છે. પથરીનો દુખાવો ઉપડે ત્યારે આખા લીંબુનો રસ બનાવીને પી લેવાથી દુખાવો 15-20 મિનિટ માં જ બંઘ થઈ જાય છે. તેમાં મળી આવતું સાઈટ્રિક એસિડ પથરીનો ભૂકો કરી પથરીને પેશાબ વાટે બહાર નીકાળવામાં મદદ કરે છે.

આંબાના પાન પણ પથરીના દુખાવામાં રાહત આપશે. આ માટે થોડા આંબાના પાન લઈ લો અને તેને ઘરમાં જ સુકવી દો સુકાઈ જાય ત્યારે તેનો પાવડર બનાવી લો, અને દરરોજ સવારે પાણી સાથે 6-7 ગ્રામ ચૂરણ પાવડર મિક્સ કરીને પિવાથી પથરીનો દુખાવો શાંત થાય છે અને પથરીને અંદર તોડી પેશાબ વાટે બહાર નિકાળશે.

બીટનો જ્યુસ દિવસમાં બે વખત પીવાથી પથરીના થતા દુખાવામાં રાહત આપશે અને પથરીને અંદર જ ઓગાળવાનુ શરુ કરી દેશે. લીમડાના પાન ની રાખ બનાવી 6 ગ્રામ પાણી સાથે દિવસમાં બે વખત લેવાથી 11 દિવસમાં જ મૂત્રાશય ની પથરી દૂર થાય છે.

શરીરમાં પથરીની સમસ્યા થવા ના દેવી હોય તો રોજે છાશ પીવી જોઈએ. આ ઉપરાંત દિવસમાં વધુ ને વધુ પાણી પીવાની આદત અપનાવવી જોઈએ. આ માટે દિવસમાં 10-12 ગ્લાસ પાણી પીવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *