પેશાબમાં બળતરા થવી તે ખુબ જ સામાન્ય સમસ્યા છે, જે શરીરમાં વધુ પડતી આંતરિક ગરમી રહેવાના કારણે થતી હોય છે. પેશાબની સમસ્યામાં ઘણી વખત અસહ્ય બળતરા, અથવા તો લોહી પણ નીકળતું હોય છે. પેશાબમાં જયારે અસહ્ય દુખાવો થાય છે ત્યારે ખુબ જ પીડા થતી હોય છે.

જયારે પણ પેશાબમાં બળતરા થાય ત્યારે તેને હલકામાં લેવાની ભૂલ બિલકુલ ના કરતા, નહિ તો ઘણી મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પેશાબમાં થતી બળતરાની તાત્કાલિક સારવાર કરાવવી ખુબ જ જરૂરી છે. ઘણી વખત પેશાબની નળીમાં પથરી આવી જવાના કારણે પણ ઘણી વખત પેશાબ કરવા જઈએ એ સમયે દુખાવો થતો હોય છે.

પેશાબમાં બળતરા થવાના કારણે તાવ, ઉલ્ટી જેવી સમસ્યા થતી જોવા મળે છે, પેશાબની બળતરા દિવસ દરમિયાન ખુબ જ ઓછું પાણી પીવાના કારણે પણ થઈ શકે છે આ માટે જેમને બળતરાની સમસ્યા રહેતી હોય તેમને પાણી વધુ પીવાની આદત રાખવી જોઈએ.

આ બળતરા ખુબ જ અસહ્ય હોય છે, આ દુખાવો માત્ર પુરુષોને નહિ પરંતુ સ્ત્રીઓમાં પણ થઈ શકે છે. આજે અમે તમને પેશાબમાં થતી અસહ્ય બળતરાને દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય વિષે જણાવીશું. જે બળતરામાં 20-25 મિનિટ માં જ રાહત આપશે.

આયુર્વેદમાં એવી ઘણી વસ્તુ વિષે જણાવેલ છે જેનું સેવન કરવા પાત્ર થી જ દુખાવો થોડા જ સમયમાં દૂર થઈ જાય છે, પરંતુ ઘણા ઓછા લોકો તે વસ્તુ વિષે જાણતા હોય છે આ માટે તે વસ્તુ વિષે અમે આજે તમને જણાવીશું.

આ ઉપાય માટે દાડમ, ઈલાયચી, અને સુંઠ પાવડરની જરૂર પડશે. આ માટે સૌથી પહેલા દાડમનો રસ નીકાળી લો, ત્યારબાદ તેમાં એક બે ઇલાયચીનો ભૂકો કરી ને દાડમના રસમાં ઉમેરો, અને પછી અડધી ચમચી સુંઠ પાવડર પણ ઉમેરો,

હવે તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લો, ત્યારબાદ તે રસને પી જવાનું છે, આ રસ પીવાથી થોડી જ મિનિટોમાં જ પેશાબમાં થતી બળતરામાં રાહત મળશે, આ ઉપાય સરળ છે આ માટે પેશાબમાં થતી બળતરામાં આ ઉપાય અપનાવી શકો છો.

આ સિવાય તમને જે દિવસે પેશાબમાં બળતરા થાય છે તે દિવસે એક આંખુ લીલું નારિયેળનું પાણી પી જવાનું છે. નારિયેળનું પાણી પીવાથી શરીરને ઠંડક મળે છે, તેમાં બળતરા વિરોધી ગુણ મળી આવે છે જે પેશાબમાં થતી બળતરામાં રાહત આપવામાં મદદ કરે છે.

નારિયેળ પાણી પીવાથી પેટને લગતા અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં મદદ કરે છે, નારિયેળ પાણી પીવાથી પેશાબની નળીમાં પથરી ભરાઈ રહી હોય તો એ પથરીને બહાર નીકાળવામાં મદદ કરે છે.

આ સિવાય તમે ખાટા ફળો અથવા તો તેનો બનાવેલ જયસુ પીવાનું શરુ કરી દો, જે પેશાબમાં થતી અશક્ય બળતરામાં ખુબ જ ઝડપથી આરામ આપવામાં મદદ કરે છે. જો અચાનક જ રાતે દુખાવો ઉપડે ત્યારે ખાટી વસ્તુમાં તમે લીંબુનો રસ બનાવીને પી શકો છો જે 20-25 મિનિટ માં જ દુખાવો ગાયબ કરી દેશે.

અહીંયા જણાવેલ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, આ માટે તમે કોઈ ઉપાય અપનાવતા પહેલા કોઈ પણ નજીકના ડોક્ટર અથવા તો નિષ્ણાત ની સલાહ અવશ્ય લઈ શકો છો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *