પેશાબ ની બળતરા આજના સમયમાં પુરુષો અને સ્ત્રીઓમાં મોટાભાગે વધુ રહેતી હોય છે. ઘણી વખત પેશાબ કરતી વખતે પેશાબ ની સાથે લોહી પણ નીકળતું હોય છે. જેના કારણે પીડા વધુ થતી હોય છે.

પેશાબમાં બળતરા થવી તે ખુબ જ સામાન્ય સમસ્યા માનવામાં આવે છે પરંતુ તેને સમય સર ઈલાજ કરીને મટાડી શકાય છે, કારણે તે સમયે ખુબ જ અસહ્ય પીડા થતી હોય છે જે વ્યક્તિને ખુબ જ હેરાન પરેશાન કરી નાખતા હોય છે.

આ સમસ્યા થવાના કારણે ઘણી વખત તીવ્ર તાવ પણ આવી જતો હોય છે, આ સાથે ઉલટી પણ થતી હોય છે. જેના કારણે વ્યક્તિનું શરીર ખુબ જ કમજોર પડી જતું હોય છે, આ માટે પેશાબ ની બળતરામાં રાહત મેળવવી ખુબ જ આવશ્યક છે.

પેશાબમાં થતી બળતરામાં રાહત મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી પેશાબમાં થતી અસહ્ય બળતરામાં ઘણી રાહત મળશે. આ ઉપય ખુબ જ અસરકારક છે જે દરેક વ્યક્તિ આસાનીથી કરી શકે છે.

અવાર નવાર પેશાબમાં થતી બળતરામાં દિવસ દરમિયાન ઓછું પાણી પીવાના કારણે થઈ શકે છે આ માટે વ્યકતિએ દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવાની આદત અપનાવવી જોઈએ, જેથી પેશાબ માં થતી બળતરા મટે છે ફરી થતી નથી.

પેશાબમાં થતી બળતરામાં તાત્કાલિક રાહત મેળવવા માટે દાડમનો રસ, ઈલાયચી અને સુંઠ પાવડરની જરૂર પડશે. માટે સૌથી પહેલા ચાર ચમચી દાડમનો રસ નીકાળી લો, દાડમ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે,

હવે દાડમના રસમાં એક ઈલાયચી નો પાવડર અને એક ચપટી સુંઠ પાવડર સારી રીતે મિક્સ કરીને પછી પી જવાનું છે. દિવસમાં બે વખત આ ઉપાય કરવાથી પેશાબમાં થતી અસહ્ય બળતરા મટે છે અને આરામ મળે છે.

આ ત્રણે વસ્તુ આયુર્વેદિક ગુણો થી ભરપૂર છે જેનો ઉપયોગ પેશાબને બળતરામાં ઘણી રાહત આપે છે. આ સિવાય તમે ખાટા ફળોનું પણ સેવન કરી શકો છો, ખાટા ફળોનો બળતરા વિરોધી ગન મળી આવે છે આ માટે તેનો જ્યુસ બનાવીને પીવાથી ઘણી રાહત મળે છે.

નારિયેળ પાણી શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે જે શરીરને ઠંડક આપી પેશાબમાં થતી અસહ્ય પીડામાં રાહત આપે છે. આ માટે પેશાબની બળતરામાં નારિયેળ પાણી પી શકાય છે. દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે માટે વ્યક્તિને અનુકુરના આવે તોનજીકના ડોક્ટરની સલાહ પણ લઈ શકો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *