આપણા શરીરમાં વાત, પિત્ત અને કફ આ ત્રણ ત્રિદોષ હોય છે. જો આ ત્રણ માંથી કોઈ પણ એક દોષ કે ત્રણે દોષનું બેલેન્સ બગડે છે ત્યારે આપણા શરીરમાં કોઈ પણ રોગ થવાની શકયતા હોય છે. આ માટે આ ત્રણ દોષોને સમ રાખવા જોઈએ.

આજે અમે તમને પિત્તના દોષ વિષે જણાવીશું. પિતાના દોષમાં થયેલ અનબેલેન્સ ને બેલેન્સ માં લાવવા માટે શું કરવું જોઈએ તેના વિષે જણાવીશું. જયારે પિત્ત અનબેલેન્સ થાય છે ત્યારે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

જેમ કે, પેટમાં બળતરા થાય,  ઉબકા ઉલટી થાય, ચક્કર આવે ખુબ જ પરસેવો થાય, મળ એકદમ ઢીલો થાય, પેશાબ કરવામાં બળતરા થાય, આંખમાં બળતરા થાય, ઝડા થાય, પેશાબ પીળો આવે, વધુ તરસ લાગે, મોં માં કોઈ પણ પ્રકારનો યોગ્ય સ્વાદ ના આવે આ બધા લક્ષણો પિત્ત અન બેલ બેલેન્સ થવાના કારણે થતું હોય છે.

પિત્તના રોગ ને લગતા રોગ થાય ત્યારે ખોરાકમાં પણ કેટલીક સાવચેતી રાખવી જોઈએ, પિત્ત નો રોગ થાય ત્યારે તીખો, તળેલો, વધારે મસાલેદાર, બજારમાં મળતા જંકફૂડ, વાસી ખોરાક, દહીં, માંસાહારી વસ્તુઓ નું સેવન કરવાનું ટાળવું જોઈએ.

આ ઉપરાંત પિત્ત નું સંતુલન બગડે ત્યારે વધારે પડતા તડકામાં ના જવું, વધારે પડતો ગુસ્સો કે ક્રોધ ના કરવો જોઈએ, જો તમે આ વસ્તુનું ઘ્યાન રાખશો તો પિત્તને ખુબ જ ઝડપથી બેલેન્સ માં લાવવા માટે મદદ મળશે.

પિત્તને સંતુલિત કરવા માટે આજે અમે તમને આયુર્વેદિક એવી વસ્તુ વિષે જણાવીશું જેનું સેવન કરવાથી પિત્તને બગડી ગયેલ બેલેન્સ પણ સંતુલિત થઈ જશે. આ ઉપાય માટે આપણે ગિલોય નો ઉપયોગ કરવાનો છે.

ગિલોય આયુર્વેદિક ગુણો થી ભરપૂર છે, જેનો ઉપયોગ વર્ષો થી અનેક પ્રકારની જડીબુટી તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ માટે બે તોલા ગિલોયનો રસ લેવાનો છે, ત્યાર પછી તેમાં 8 ગ્રામ જેટલી સાકર લેવાની છે.

હવે આ બંને ને સારી રીતે મિક્ષણ કરવાનું છે અને આ નું નિયમિત પણે સેવન કરવામાં આવે તો પિત્તને લગતા જે કોઈ રોગ થયા હશે તે દૂર થઈ જશે અને પિત્તને બેલેન્સ માં રાખવાનું કામ કરશે. ગિલોયનો આ ઉપાય કરવાથી શરીરને ઠંડક મળે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *