જો તમે વધતા વજનથી પરેશાન છો અથવા તો પહેલાથી તમારી વજન વધી ગયું છે અને વજનને કંટ્રોલ કરવા માંગો છો તો સૌથી પહેલા તમારે તમારા ડાયટ પર ધ્યાન આપો. તમને ખબર જ હશે કે વજન ઘટાડવામાં આહાર મહત્વનો ભાગ ભજવે છે.
જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે એવા ખોરાકની પસંદગી કરવી જોઈએ જે ખોરાક વજન ઘટાડવામાં અસરકારક સાબિત થાય. જો તમે આ વજન ઘટાડવાના ખોરાકનું મન લગાવીને સેવન કરશો તો તમારું વજન ઝડપથી ઘટશે.
તમને જણાવીએ કે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખોરાક ઝડપથી વજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે. ફાઈબરવાળા ખોરાકમાં કેલરી ઓછી હોય છે, જે ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને ખાવાની ઈચ્છા થતી નથી. આ ખાદ્યપદાર્થોના સેવનથી લોહીમાં સુગરનું સ્તર પણ સામાન્ય રહે છે.
જો તમે પણ વધતા વજનથી પરેશાન છો, તો અમે તમને ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર એવા કેટલાક ખોરાક વિશે જણાવીએ છીએ, જેનાથી તમારું વજન ઝડપથી ઘટશે.
કોળાના બીજનું સેવન કરો: પોષક તત્વોથી ભરપૂર કોળાના બીજ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે જેમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. આ બીજ કોલેસ્ટ્રોલ ફ્રી, સોડિયમ ફ્રી અને ફેટ ફ્રી છે. 100 ગ્રામ કાચા કોળામાં માત્ર 26 કેલરી હોય છે, તેથી જ કોળાનું સેવન ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
અખરોટ ખાઓ : અખરોટમાં મોનોઅનસેચ્યુરેટેડ ચરબી વધુ હોય છે, જે ખાસ કરીને હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ નાસ્તો છે. એક ઔંસમાં ચાર ગ્રામ પ્રોટીન અને 2 ગ્રામ ફાઇબર હોય છે અને તેમાં 200 કરતાં ઓછી કેલરી હોય છે. અખરોટનું સેવન કરવાથી ભૂખ શાંત થાય છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.
વજન ઘટાડવા માટે દહીંનું સેવન: જો તમે પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ અને સપાટ પેટ મેળવવા માંગતા હોવ તો દહીંનું સેવન કરો. દહીંમાં પ્રોબાયોટીક્સ અને ફાયદાકારક બેક્ટેરિયા વધુ હોય છે, જે પાચન અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. આ પોષક તત્ત્વોના શોષણમાં સુધારો કરે છે, જે વજનને રોકવામાં મદદ કરે છે. 100 ગ્રામ દહીંમાં લગભગ 1.7 ગ્રામ સંતૃપ્ત ચરબી હોય છે
ચણાનું સેવન કરોઃ ચણા વજન ઘટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે કારણકે તે પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોય છે. ફાયબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને પાચનમાં મદદ કરે છે. બીજી બાજુ, પ્રોટીન ભૂખને શાંત કરે છે.
જો તમે પણ અહીંયા જણાવેલી વસ્તુઓનું સેવન કરશો તો વજન ઘટવા લાગશે. માહિતી ગમે તો આગળ મોકલો અને આવી જ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.