આજના સમયમાં દરેક લોકો નાની મોટી સમસ્યાઓથી પીડાઈ રહ્યા જોવા મળે છે. અત્યારના સમયમાં સૌથી મોટી સમસ્યામાં કમરના દુખાવાની છે. લાંબા સમય સુધી એક જ મુદ્રામાં કામ કરવાથી કમરનો દુખાવો થાય છે. જયારે સ્ત્રીઓમાં કમરના દુખાવાની સમસ્યા વધુ કામ કરવાથી અને માસિક ધર્મમાં ખલેલને કારણે પણ થાય છે.
એક રિપોર્ટ અનુસાર, કમરના દુખાવાની ફરિયાદ 28 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, શરીરમાં કેલ્શિયમ અને વિટામિન-સી જેવા જરૂરી પોષક તત્વોની ઉણપને કારણે કમરના દુખાવાની સમસ્યા પણ થાય છે.
આ માટે કેલ્શિયમ અને વિટામિન-સી ધરાવતી વસ્તુઓને ડાયટમાં ચોક્કસથી સામેલ કરો. આ સિવાય પીઠના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક સરળ ઘરઘથ્થુ ઉપચાર પણ કરી શકો છો.
સરસવના તેલમાં લસણની ત્રણ કે ચાર લવિંગ મિક્સ કરીને ધીમી આંચ પર ગરમ કરો અને ઠંડુ થવા મુકો. જયારે તેલ ઠંડુ થાય એટલે કમર પર મસાજ કરો. તેનાથી કમરના દુખાવામાં પણ રાહત મળે છે.
જો તમારી પાસે પૂરતો સમય હોય તો મીઠાવાળું પાણી બનાવો. આ પાણી બનાવવા માટે પાણીમાં મીઠું નાખીને તેને હૂંફાળું ગરમ કરો. ત્યારબાદ આ પાણીથી કમર પર મસાજ કરો. આ ઉપાય કરવાથી કમરના દુખાવામાં આરામ મળે છે.
કમરના દુખાવાથી છુટકાળો મેળવવા માટે તમે ઘરે તેલ બનાવી શકો છો. આ માટે જાયફળને પહેલાં પાણીમાં પલાળો, પછી તેને ઘસીને તલના તેલ સાથે મિક્સ કરી દો, પછી તેને ગરમ કર્યા બાદ ઠંડુ થવા માટે મૂકી દો. ઠંડુ થયા બાદ કમર દુખતી હોય તે જગ્યાએ માલિશ કરો. તમને કમરના દુઃખાવાથી રાહત મળશે.
કમરના દુખાવાને દૂર કરવા માટે તમે ચટણી બનાવી શકો છો. આ ચટણી બનાવવા માટે રાત્રે ઘઉંના દાણાને પાણીમાં ભીંજવો પછી સવારે તેને ખસખસ અને ધાણા સાથે દૂધમાં મિક્સ કરી તેની ચટણી બનાવો. આ ચટણી અઠવાડિયામાં બે વખત ખાવાથી કમરનો દુઃખાવો દૂર થઇ જશે.
આદુ અને ઘી નો ઉપયોગ કરીને કમરના દુખાવાથી રાહત મેળવી શકાય છે. આ માટે 10 ગ્રાામ આદુના રસમાં અડધી ચમચી ઘી મિક્સ કરીને પીવાથી કમરના દુઃખાવાથી રાહત મળશે.
યોગ કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. યોગના ઘણા આસનો છે જેમાંથી તમે સરળ આસન કરી શકો છો. આમાં ભુજંગાસન અને ઉસ્ત્રાસન કરવાથી કમરના દુખાવામાં જલ્દી આરામ મળે છે. આ યોગ કરવાથી પેટમાં શક્તિ આવે છે. સાથે જ કમરમાં તણાવ સર્જાય છે. તેનાથી કમરના દુખાવામાં આરામ મળે છે.
આ સિવાય કેટલીક ટિપ્સ અનુસરો: જમવામા કેલ્શિયમ અને વિટામિનની માત્રા વધારી દો. જયારે પણ કામ કરો ત્યારે તમારું શરીર એકદમ સીધું રાખવાનો પ્રયત્ન કરો. કમરના દુઃખાવાની તકલીફ હોય તેવા લોકોએ હંમેશા કડક બિસ્તર પર જ ઊંઘવું. શક્ય હોય તો વજનદાર સામાન ન ઉપાડવો કારણકે વજનદાર સમાન ઉંચકવાથી વધુ ગંભીર સમસ્યા થઇ શકે છે.
જયારે પણ કામ કરો ત્યારે લાંબા સમય સુધી એક જ મુદ્રામાં બેસી ન રહો. શક્ય હોય તો થોડું ચાલી આવો. જો તમે પણ અહીંયા જણાવેલ ઘરઘથ્થુ ઉપચાર અને કેટલીકે વસ્તુનું ધ્યાન રાખશો તો તમારો કમરનો દુખાવો થોડાજ દિવસોમાં દૂર થઈ જશે.
અહીંયા જણાવેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની મુલાકાત જરૂર લો.