માથામાં થાય છે દુખાવો તો અપનાવી લો આ ઘરેલુ ઉપાય માત્ર એક મિનિટમાં જ દુખાવો દૂર થઈ જશે. માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે, માથાના કોઈ પણ ભાગમાં દુખાવો થઈ શકે છે જે માત્ર એક લક્ષણ હોય છે જે કોઈ બીમારી હોવાનો સંકેત આપે છે.

ઘણી વખત વધારે પડતા ટેન્શન અને તણાવ, વારે વારે થાક લાગવો, વઘારે સમય ભૂખ્યા રહેવું, વઘારે ગરમીમાં રહેવાથી, ઊંઘ પૂરીના થવાથી માથાનો દુખાવો થતો હોય છે, આ ઉપરાંત શારીરિક સમસ્યા જેવી કે તાવ આવવો, શરદી થવી જેવી સમસ્યા હોય તો પણ માથાનો દુખાવો થતો જોવા મળતો હોય છે.

માથાનો દુખાવો મગજમાં રહેલ પેન સેંસિટિવ સ્ટ્રક્ચર માં તણાવ હોવાના કારણે દુખાવો થતો હોય છે, જેના કારણે આપણે બજારમાં મળતી પેઈન કિલર ખાઈને દુખાવાને દૂર કરીએ છીએ. પરંતુ ઘણી વખત થોડી વાર આરામ કરવાથી પામન માથાના દુખાવામાં રાહત મેળવી શક્ય છે.

માથાના દુખાવા થવાના ઘણા બઘા પ્રકાર પણ હોય છે જેમ કે, તણાવ રહેવો, માઈગ્રેન નો દુખાવો, ટ્રાન્સફર્મ માઈગ્રેન, ક્લસ્ટરનો દુખાવો, સાયનસનો દુખાવો જેવા માથાના દુખાવા થવાના પ્રકાર છે.

માથાના દુખાવાના લક્ષણો: રક્ત પરિવહન ઓછો થવો, કબજિયાત રહેવો, વઘારે દારૂ પીવું, વધારે ધુમ્રપાન કરવું, વધારે પડતા કામના તણાવમાં રહેવું, પેટ બરાબર સાફ ના થવું જેવા લક્ષણોની સમસ્યાઓ રહેતી હોય તો માથાના દુખાવા થવાની સમસ્યા રહેતી હોય છે.

જયારે કોઈ પણ વ્યક્તિ કામના કારણે દબાણમાં રહેતો હોય ત્યારે પરેશાન રહેતો હોય છે. જેના કારણે મન અશાંત રહેતું હોય છે જેના કારણે વ્યક્તિના મગજ પર ખુબ જ જોર પડતું હોય છે. જેના કારણે તણાવમાં રહેતો હોય છે જેના કારણે માથાનો દુખાવો થવાની સમસ્યા થતી હોય છે.

ઘણી મહિલાઓમાં હોર્મોન્સ માં બદલાવ થવાના કારણે માથાનો દુખાવો થતો હોય છે, આ સ્થતિમાં માસિક સ્ત્રાવ માં વઘારો અને ઘટાડો થવાના કારણે પણ માથાના દુખાવા રહેતા હોય છે, માથાના દુખાવામાં ઘણી વખત બજરમાં મળતી દવાઓ ખાઈ લેતા હોય છે.

પરંતુ બજારમાં મળતી દવાઓ માથાના દુખાવા થાય ત્યારે વઘારે પ્રમાણમાં લેવાથી મસ્તિષ્ક પર તેની અસર સૌથી વધુ જોવા મળતી હોય છે, જેના કારણે મગજ અને કિડની બને ને નુકસાન થઈ શકે છે માટે માથાના દુખાવા દવાઓ ખાવાની છોડીને આ ઘરેલુ ઉપાય અપનાવી લો માથાનો દુખાવો માત્ર એક મિનિટમાં જ ગાયબ થઈ જશે.

માથાના દુખાવાના ઘરેલુ ઉપાય: ગરમીમાં થતા માથાના દુખાવામાં તેલથી માલિશ કરવી જોઈએ આ માટે બદામનું તેલ અથવા સરસવનું તેલ નો ઉપયોગ કરવાનો છે,આ માટે તેલ લઈને હલકા હાથે કપારમાં માલિશ કરવાની છે જેથી માથાના દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મળશે.

જો તમને માથાનો દુખાવો થાય ત્યારે દુખાવાને નજર અંદાજ કરીને બીજા કામમાં વ્યસ્ત થઈ જાઓ જેથી માથાના થતા દુખાવામાં રાહત ખુબ જ ઝડપથી રાહત મળશે. માથાના થતા વારે વારે દુખાવાને કાયમી માટે દૂર કરવા માટે બદામ, અખરોટ, દ્રાક્ષ, જેવા ડ્રાયફ્રુટસને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાઈ લેવાના છે.

ડ્રાય ફૂટ્સ ખાવાથી તણાવ ઓછો થાય છે અને મગજની માપેશીઓ મજબૂત રહે છે. માથાના થતા દુખાવાને દૂર કરવા માટે રોજે સવારે વહેલા ઉઠીને 15-20 મિનિટ ગાર્ડનમાં બેસીને ઘ્યાન મુદ્રા કરવી જોઈએ, જે મગજને શાંત રાખવાની સાથે શરીરને તણાવ મુક્ત બનાવશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *