આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે પૂરતી ઊંઘ ખુબ જ જરૂરી છે. પરંતુ અત્યારના સમયમાં દરેક વ્યક્તિનું જીવન ભાગદોડ ભર્યુ બની ગયું છે. તેવામાં વધુ પડતા કામના ટેંશન ના કારણે ખુબ જ તણાવ માં હોય છે.

જેના કારણે વ્યકતિ થાકેલો હોય છે જેથી રાત્રીના સમયે પૂરતી ઊંઘ લઈ શકતો નથી. સારી ઊંઘ આપણા મગજને શાંત રાખે છે. રાત્રે સારી ઊંઘ લેવાથી આપણે બીજા દિવસે ફ્રેશ અને ફિટ રહીએ છીએ. માટે સારું ઊંઘ લેવી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

ઘણા લોકોને કાચી ઊંઘ રહેતી હોય છે, મોડા સુઘી ઊંઘ નથી આવતી, વારે વારે પડખા ફેરવતા રહીએ છીએ, ઘણી વખત ઊંઘ આવી જાય છે અને અડઘી ઊંઘ માં જ ઉઠી જઈએ છીએ આવી રીતે ઊંઘ ના આવવાથી ઘણી બીમારીના શિકાર પણ બની શકીએ છીએ.

જેમ કે, વજનમાં વઘારો, વાળ ખરવાની સમસ્યા, આંખો ની નીચે કાળા કુંડાળા, આંખોમાં સોજો રહેવો, થાક લાગવો, શરીરમાં નબળાઈ રહેવી, માથાનો દુખાવો થવો જેવી અનેક બીમારીનું જોખમ વઘી જાય છે. આ બઘી બીમારીથી બચવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે ઓછામાં ઓછી 6-7 કલાક લેવી જોઈએ.

જે આપણા દરેક વ્યક્તિ માટે ખુબ જ જરૂરી છે. આખો દિવસ થાકીને આવ્યા હોય અને રાત્રે ઊંઘ ના આવતી હોય તો તે વ્યક્તિ ઘણી વખત ઊંઘ લાવવા માટેની ગોળીઓ પણ ખાતા હોય છે. પરંતુ વઘારે પડતી દવાનું સેવન કર્યા વગર જ સારી ઊંઘ લેવી જેવી જે અર્પણ લીવર અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

માટે આજે અમે તમને સારી ઊંઘ મેળવવા માટેનો ઉપાય જણાવીશું. જે ઉપાય તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ સારી ઊંઘ લાવવા માટે ના કેટલાક ઘરેલુ ઉપાય.

સારી ઊંઘ લાવવા માટે આપણે સૌથી પહેલા આહાર પર ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આ માટે આપણે રાત્રિનું ભોજન 8 વાગે કરી લેવું જોઈએ. રાત્રિનું ભોજન વઘારે ભારે ખાવાથી જલ્દી પચતો નથી માટે હંમેશા રાત્રિનું ભોજન હળવું જ લેવું જોઈએ. જેથી ઊંઘતા પહેલા ખાઘેલ ખોરાક સરળતાથી પચી જાય છે.

રાત્રીના સમયે હળવો ખોરાક લેવો જોઈએ જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. રાત્રે સુવાના એક કલાક પહેલા મોબાઇલન ઉપયોગ કરવાનું બંઘ કરવું જોઈએ. આ ઉપરાંત રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂઘનું સેવન કરવું જોઈએ.

રાત્રીના સમયે સારી ઊંઘ લાવવા માટે તમારે દૂઘમાં એક વસ્તુ મિક્સ કરવાની છે જેથી તમને ખુબ સારી અને ઘસઘસાટ ઊંઘ આવશે. સૌથી પહેલા એક ગ્લાસ દૂઘ ગરમ કરી લો તેમાં એક કે બે દોરા કેસરના નાખવાના છે. થોડું દૂઘ ઉકળી જાય ત્યારે ગેસને બંઘ કરીને નીચે ઉતારી લેવાનું છે.

ત્યાર પછી તેમાં બે બદામ છીણીને તે દૂઘમાં નાખીને એક મિનિટ હલાવવું. ત્યાર પછી દૂઘને પી જવાનું છે. આ કેસરબદામ વાળું દૂઘ સુવાના 30 મિનિટ પહેલા પી જવાનું છે. જેથી પથારીમાં સુતા હોય ત્યારે તરત જ ઘસઘસાટ ઊંઘ આવી જશે. આ દૂઘ પીવાથી તણાવ ઓછો થઈ જાય છે. જેથી મગજ શાંત થઈ જાય છે. જેથી સારી ઊંઘ આવે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *