ઘણીવાર ઘૂંટણ અને સાંધામાં દુખાવાની સમસ્યાને વધતી ઉંમરની નિશાની માનવામાં આવતી હતી, પરંતુ આજકાલ 25 થી 30 વર્ષની ઉંમરમાં પણ આ સમસ્યા લોકોને પરેશાન કરી રહી છે. ઘૂંટણના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે,

જેમ કે ઘૂંટણની ઈજા, ઘૂંટણ પર સતત દબાણ, ફ્રેક્ચર, આર્થરાઈટિસ, સાંધા વચ્ચેની ગ્રીસ ઓછું થઇ જવું થઈ જવી, વજન વધવું અને શરીરમાં પોષક તત્વોની ઉણપ વગેરે.

મોટાભાગના લોકોને ઘૂંટણનો દુખાવો આર્થરાઇટિસ અથવા સંધિવાને કારણે થાય છે. આ દર્દ પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ પરેશાન કરે છે. ઘૂંટણદુખાવાને કારણે કઈ પણ કરવું મુશ્કેલ બની જાય છે. જો આ દુખાવાની સારવાર સમયસર ન કરવામાં આવે તો બેસતી વખતે ઘૂંટણમાંથી અવાજ આવે છે અને તીવ્ર દુખાવો થાય છે.

જો તમે પણ ઘૂંટણના દુખાવાથી પરેશાન છો તો કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો. કેટલાક ઘરગથ્થુ ઉપાયો છે જે તમને ઘૂંટણના દુખાવામાં રાહત અપાવી શકે છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિષે.

હળદરવાળું દૂધ પીવોઃ જો તમે ઘૂંટણના દુખાવાથી પરેશાન છો તો રોજ એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવો. ઔષધીય ગુણોથી ભરપૂર, હળદરમાં એન્ટિસેપ્ટિક અને બળતરા વિરોધી ગુણધર્મો છે જે બળતરા અને પીડાથી રાહત આપે છે. દૂધ સાથે હળદરનો ઉપયોગ કરવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે.

તુલસીના અર્કનો ઉપયોગ કરો: ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીનું સેવન ઘૂંટણના દુખાવામાં રાહત આપવામાં કારગર સાબિત થાય છે. તુલસીનો રસ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે અને તમે સ્વસ્થ રહેશો. એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી તુલસીનો રસ ભેળવીને પીવાથી ઘૂંટણના દુખાવામાં જલ્દી આરામ મળે છે.

ગરમ પાણીથી શેક કરો: ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવા માટે ગરમ પાણીની શિકાઈ કરવી ખૂબ જ અસરકારક છે. તમે હૂંફાળું પાણી લો અને તેમાં થોડું મીઠું ઉમેરો અને તે પાણીથી તમારા ઘૂંટણની શિકાઈ કરો. તમારા ઘૂંટણની શિકાઈ કરવા માટે, એક કપડું ગરમ ​​પાણીમાં પલાળી રાખો અને તેનાથી તમારા ઘૂંટણની શિકાઈ કરો, તમને પીડામાંથી રાહત મળશે.

મેથીના દાણા અને સૂંઠનું સેવન કરો: રસોડામાં મેથીના દાણા અને સૂંઠનું સેવન દુખાવામાં રાહત આપવામાં કારગર સાબિત થશે. મેથીના દાણા અને સૂંઠને સમાન માત્રામાં મિક્સ કરીને એક કડાઈમાં શેકીને પીસી લો. આ ચુર્ણ એક ચમચી સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવાથી દુખાવામાં આરામ મળે છે.

લીમડા અને એરંડાના તેલથી માલિશ કરો: ઘૂંટણના દુખાવામાં રાહત મેળવવા માટે તેલથી મસાજ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. લીમડો અને એરંડાનું તેલ સમાન માત્રામાં ભેળવીને, હુંફાળા પાણીથી ઘૂંટણની માલિશ કરવાથી તમને દુખાવામાં આરામ મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *