સરસવનું તેલ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સરસવના તેલથી માથામાં માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. સરસવનું તેલ શરીરને પોષણ આપીને શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
સરસવના તેલમાં હાજર વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને અન્ય પોષક તત્વો શરીરને ફાયદો કરે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે. આ તેલ શરીરના હાડકાઓને પણ મજબૂત બનાવે છે. જો સૂતા પહેલા આ 5 અંગો પર સરસવનું તેલ લગાવવામાં આવે તો તેનાથી શરીરમાં ખૂબ ફાયદો થાય છે.
પગના તળિયા પર સરસવનું તેલ લગાવવાથી થતા ફાયદા: પગના તળિયા પર સરસવના તેલની માલિશ કરવામાં આવે તો સારી ઊંઘ આવે છે. તળિયા પર માલિશ કરવાથી દિવસભરનો તમામ થાક દૂર થાય છે અને તમને ઝડપથી ઊંઘ આવે છે.
જો તમારે શરીરને સ્વસ્થ રાખવું હોય તો તમારે દરરોજ સરસવના તેલથી તળિયાની માલિશ કરવી જોઈએ. પગના તળિયામાં માલિશ કરવાથી ફાટી ગયેલી એડી પણ ઠીક થઇ જાય છે. તેનાથી તમે હળવાશ અનુભવશો.
નાભિમાં સરસવનું તેલ લગાવવાથી થતા ફાયદા:નાભિ એ શરીરનો મુખ્ય ભાગ છે. જો તમે રાત્રે સૂતા પહેલા નાભિ પર સરસવના તેલના થોડા ટીપાં લગાવો તો ફાટેલા હોઠની સમસ્યા દૂર થઈ શકે છે. નાભિ પર નિયમિત તેલ લગાવવાથી હોઠની કાળાશ પણ દૂર થાય છે. તમારા બાળ કાળા થાય છે.
સરસવનું તેલ હોઠની શુષ્કતા પણ ઘટાડે છે. નાભિ પર સરસવનું તેલ લગાવવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને પેટ સંબંધિત બીમારીઓથી બચી શકાય છે. આમ કરવાથી શરીરના આંતરિક અવયવોને પોષણ મળે છે.
કાનની પાછળ સરસવનું તેલ લગાડવાથી થતા ફાયદા: કાનની પાછળ સરસવનું તેલ લગાવવાથી કાનની પાછળ ગંદકી જામતી નથી. તેલ લગાવવાથી કાનના ઈન્ફેક્શન મટે છે. કાનની પાછળ નિયમિત તેલ લગાવવાથી કાનમાં દુખાવો અને સોજો ઓછો થાય છે.
કપાળ પર રસવનું તેલ લગાડવાથી થતા ફાયદા: સરસવના તેલથી કપાળની માલિશ કરવાથી માથાનો દુખાવો મટે છે. જો તમે થાકેલા હોવ તો રાત્રે સૂતા પહેલા કપાળ પર સરસવના તેલની માલિશ કરો. નિયમિત રીતે આમ કરવાથી જૂનો માથાનો દુખાવો પણ ઠીક થઈ જાય છે.
ઈજા પર રસવનું તેલ લગાડવાથી થતા ફાયદા: જો તમને કોઈ જૂની ઈજા કે ડાઘ હોય તો તમે તેને નિયમિત સરસવના તેલથી માલિશ કરી શકો છો. તે ઈજાને મટાડવાની સાથે ડાઘ પણ દૂર કરે છે. ઈજા પર નિયમિત રીતે સરસવનું તેલ લગાવવાથી ઈજા ઝડપથી મટી જાય છે.