અત્યારના સમયમાં સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે તમારે રોજિંદા જીવનમાં આ આદતોનુ અમલ કરું ખુબ જ જરૂરી છે. જો તમે આ આદતોને અપનાવી લેશો તો તમારાથી અનેક રોગ દૂર રહેશે અને ક્યારેય બીમાર નહીં પડો.

અત્યારના ચાલી રહેલ આધુનિક યુગમાં ઘણા લોકો બીમાર થઈ જતા હોય છે. જેવી કે, ડાયાબિટીસ, એસીડીટી, માથાનો દુખાવો, સાંઘાના દુખાવા, ઢીંચણના દુખાવા, કબજિયાત, કેન્સર જેવી બીમારીઓ મોટાભાગે દરેક ના ઘરે જોવા મળતી હોય છે.

માટે આ બધી બીમારી આપણા શરીરમાં ના પ્રવેશે તે માટે આપણે શુ કરવું જોઈએ તેના વિશે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું. આ નિયમો તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

1. દરરોજ સવારે ઉઠીને તરત જ બ્રશ કર્યા પહેલા એક ગ્લાસ ગરમ પાણી કરીને નીચે બેસીને ઘીરે ઘીરે પી જવાનું છે. જો તમે દરરોજ સવારે ઉઠીને આ રીતે પાણી પીસો તો મોં માં રહેલ લાળ છે તે પાણી સાથે શરીરમાં જશે. જેના કારણે શરીરમાં થતા મોટાભાગના રોગો દૂર રહેશે.

જો તમે હંમેશા માટે માટલાનું પીવાનું રાખશો તો તમે અનેક રોગથી બચી શકશો. માટે જો તમે ઘરે થી ક્યાંક બહાર ગયા હોય તો ઘરેથી માટલાનું પાણી જ બોટલમાં ભરીને લઈ જવું. આપણા શરીર માટે ફ્રીઝ અને બરફના ઠંડા પાણીનું સેવન કરવાનું બંઘ કરી દેવું જોઈએ.

2. દરેક ભારતીય સવારે ચા પીવાના શોખીન હોય છે. ચા ના પીવાથી મૂડ રહેતો નથી. પરંતુ જો તમારે ચા નું સેવન કરવું હોય તો ચા માં ખાંડ ની જગ્યા એ દેશી ગોળ નાખીને ચા બનાવીને જ પીવાનો આગ્રહ રાખવો જોઈએ.

ચા માં ખાંડ નાખીને સેવન કરવામાં આવે તો તેનાથી ઘણા બઘા રોગ થવાનું જોખમ રહે છે. માટે દેશી ગોળનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. દેશી ગોળનું સેવન ભોજન સાથે પણ કરી શકાય છે. તેનું સેવન કરવાથી શરીરના હાડકા મજબૂત થાય છે.

3. ઘણા લોકો જમતી વખતે પાણીનું સેવન કરતા હોય છે. આ ઉપરાંત ઘણા લોકો ઠંડા કોકો કોલ્ડ્રીંકનું સેવન પણ કરતા હોય છે. આ આદત એકદમ ખોટી છે. જો જમતી વખતે પાણી અથવા કોલ્ડ્રીંકનું સેવન કરવામાં આવે તો ખાઘેલ ખોરાક પચતો નથી.

જો ખોરાક ના પચે તો તે સડવા લાગે છે અને પેટને લગતી અન્ય સમસ્યા કબજિયાત, ગેસ થવા લાગે અને તેનાથી અનેક રોગો ઘર કરી શકે છે. માટે જમતી વખતે પાણી કે કોલ્ડ્રિકનું સેવન ના કરવું જોઈએ. આ ઉપરાંત જમવાના 20 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ જેથી ખાઘેલ ખોરાક પચવામાં આસાની રહે.

4. જો તમને ખુબ જ ભૂખ લાગી હોય ત્યારે ક્યારેય પણ એકલી ચા ના પીવી જોઈએ. જો તમારે ચા પીવી હોય તો તેની સાથે રોટલો, ભાખરી, કે અન્ય કોઈ નાસ્તો કરવો જોઈએ. ખાલી ચા પીવાથી એસીડીટીની સમસ્યા વધુ રહેતી હોય છે. માટે ક્યારેય એકલી ચા નું સેવન ના કરવું જોઈએ.

5. મોટા ભાગે દરેક વ્યક્તિને મોડા સુઘી ટીવી કે મોબાઈલનો ઉપયોગ કરવાની ટેવ હોય છે. આ ટેવના કારણે ઘણી વખત અનિદ્રાની સમસ્યા, માથાનો દુખાવો થવા જેવી સમસ્યા રહેતી હોય છે. આ માટે રાત્રે મોબાઈલ કે ટીવીનો ઉપયોગ કર્યા વગર સુઈ જવું જોઈએ. જો તમે વહેલા સુઈ જાઓ અને વહેલા ઉઠી જાઓ તો તમારું શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે.

6. આજના સમયમાં ઘણા લોકોને બહારનું ખાવાનું ખુબ જ ગમે છે. કારણકે તે ખુબ જ સ્વાદિષ્ટ અને ખુબ જ ટેસ્ટી હોય છે. પરંતુ બહારના ખોરાક તીખા, તળેલા, વઘારે મસાલા હોય છે. જેનું સેવન કરવાથી પણ શરીરમાં અનેક રોગ થવાનું જોખમ રહેતું હોય છે. માટે બહારના ફાસ્ટફૂડ ખાવાનું બંધ કરવું જોઈએ. આ ઉપરાંત ઘરનું શુદ્ધ પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ. સાથે ફળ, લીલા શાકભાજી અને ડ્રાયફ્રૂટ્સનું સેવન પણ કરવું જોઈએ.

જો દરેક વ્યકતિ આટલી બાબતોનું ઘ્યાન રાખશે તો સ્વસ્થ, હેલ્ધી અને નિરોગી રહી શકશે. આ ઉપરાંત શરીરમાં અનેક મોટી બીમારીથી બચાવશે. આ નિયમ ખુબ જ સરળ અને ખુબ જ ઉપયોગી છે જે તમને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *