ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણા શરીર પર સ્કિને લાગી અનેક પ્રકારની એલજી જોવા મળતી હોય છે, ઉનાળામાં થતી સ્કિન ને લગતી એલજી અનેક કારણના લીઘે થતી જોવા મળતી હોય છે, જેમકે, સૂર્યપ્રકાશના તેજ કિરણોથી, ધૂળ માટીના રજકણો અને ધુમાડાના પ્રદૂષણના કારણે, કોમેસ્ટ્રીક કેમિકલ યુક્ત પોડાકટનો વધારે પડતો ઉપયોગ કરવાથી સ્કિનને લગતી અનેક સમસ્યા થઈ શકે છે.

દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ અલગ અલગ હોય છે. આપણી કેટલીક એવી ખરાબ ટેવના કારણે આપણા શરીર પર સ્કિન ને લગતી સમસ્યાઓ થતી જોવા મળી રહી છે. જેમ કે ઘણા લોકો એક બીજાના કપડાં પહેરતા હોય, એક બીજાના રૂમાલનો ઉપયોગ કરતા હોય, એક જ રૂમાલથી દરેક વ્યક્તિ હાથ પગ અને ચહેરો સાફ કરતા હોય તો સ્કિનને લગતી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

ઉનાળામાં તીવ્ર સૂર્યપ્રકાશના કિરણોના કારણે સ્કિન પર ખંજવાળ, બળતરા, ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થતી હોય છે. જેને દૂર કરવા માટે બજારમાં ઘણી બધી ક્રીમ અને દવાઓ મળી આવે છે, જેનો ઉપયોગ હાલના સમયમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે.

સ્કિનને લગતી સમસ્યા એક ચેપી રોગ માનવામાં આવે છે. જેને કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી દૂર કરી શકાય છે. માટે આજે અમે તમને સ્કિન પર થતી એલજીની સમસ્યાને કયા ઘરેલુ ઉપાયની મદદથી દૂર કરવા તેના વિષે જણાવીશું.

એલોવેરા જેલ: એલોવેરા આપણા સ્કિનને લગતી સમસ્યામાં ખુબ જ કારગર માનવામાં આવે છે. માટે ચહેરા પર થતી ફોલ્લીઓને દૂર કરી શકાય છે, આ ઉપરાંત સ્કિન પર ખંજવાળની સમસ્યા હોય તો તે જગ્યાએ એલોવેરા જેલ લગાવાથી ખંજવાળ આવતી બંઘ થઈ જાય છે. માટે માટે સ્કિનની એલર્જીમાં એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે.

નારિયેળ તેલનો ઉપયોગ: નારિયેળ તેલમાં બળતરા વિરોધી ગુણ મળી આવે છે જે સ્કિન એલર્જીને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે. આ માટે સ્કિનની એલર્જી થઈ હોય ત્યાં નારિયેળ તેલ લગાવી રાખવાથી બળતરામાં રાહત મળશે અને ત્વચાને મુલાયમ અને કોમળ બનાવી દેશે. માટે સ્કિનની એલર્જીમાં નારિયેળ તેલનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવી રહ્યો છે.

આઈસ પેકનો ઉપયોગ: આઈસપેક ગરમીમાં રાહત મેળવવા માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે, સ્કિનને લગતી સમસ્યામાં ખુબ જ બળતરા થતી હોય છે ત્યારે આઈસ પેકને 15-20 મિનિટ અસરગસ્ત વાળી જગ્યાએ મૂકી રાખવાથી બળતરામાં રાહત મળશે અને ત્વચાના ઝેરી તત્વોને ખેલીને બહાર નીકાળવામાં મદદ કરશે. માટે જો ખંજવાળ આવતી હોય, ફોલ્લીઓ થઈ હોય તેવી જગ્યાએ આઈસ પેકનો ઉપયોગ કરી રાહત મેળવી શકાય છે.

સ્કિનને લગતી સમસ્યા હોય ત્યાં કડવા લીમડાના પાનની પેસ્ટ લગાવીને અસરગસ્ત વાળી જગ્યાએ લગાવીને રાખવાથી સ્કિનને લગતી ગમે તેવી એલર્જી હશે તે દૂર થઈ જશે. માટે સ્કિનને લગતી એલર્જીમાં તાત્કાલિક રાહત મેળવવા માટે કડવા લીમડાનો ઉપયોગ કરી શકાય છે.

શરીરમાં થતી સ્કિનને લગતી સમસ્યા હોય તો આપણે એક બીજાના કપડાં પહેરવા બંધ કરવા જોઈએ આ ઉપરાંત આપણે આપનો રૂમાલ પણ અલગ રાખવો જોઈએ જેથી બીજા કોઈ પણ વ્યક્તિને ચેપ ના લાગે. સ્કિનને લગતી સમસ્યામાં કડવી વસ્તુનો સૌથી વધુ સેવન કરવું જોઈએ, જેમ કે કરેલાનું જ્યુસ પીવું સૌથી સારું માનવામાં આવે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *