આજની માહિતીમાં તમને ઊંઘ વિષે જણાવીશું. ઘણા લોકો આખો દિવસ કામ કરવાના કારણે અને વધુ તણાવમાં રહેવાને કારણે તેમને રાત્રે ઊંઘ આવતી નથી. પરંતુ આ માહિતિમાં જે લોકોને ઊંઘ બરાબર નથી આવતી તેવા લોકો માટે એક એવો ઘરગથ્થુ પ્રયોગ જેનાથી તમને ઘસઘસાટ અને સારી ઊંઘ આવી જશે.

માનવ શરીર માટે ઊંઘ ખૂબ જ મહત્વ ધરાવે છે. જો કોઈ માણસને હંમેશા નિરોગી રહેવું હોય તો શરીરને પૂરતી માત્રામાં ઊંઘ ની જરૂરિયાત પડે છે. જો તમે પર્યાપ્ત માત્રામાં ઊંઘી નથી શકતા તો તમને શરીર અનેક નાના-મોટા રોગોના સંકેત આપે છે.

દિવસ દરમિયાન તમારી અરુચિ, મંદાગ્નિ ,બેચેની, ભૂખ ન લગાવી, ચક્કર આવવા આ બધા જ નાના-મોટા પ્રોબ્લેમ થાય છે. આ સાથે તમને શારીરિક થાક લાગે છે. પર્યાપ્ત માત્રામાં ઊંઘ ન થાય ત્યારે શરીર અનેક રોગોનો ભોગ બનતું જોવા મળે છે.

આજના સમયમાં મોટાભાગના લોકોને ઊંઘ આવતી નથી અને ઊંઘ લાવવા માટે એ લોકો અનેક પ્રકારની મથામણ કરતા હોય છે. આમાંથી કેટલાક લોકો તો એલોપથી દવાના બંધાણી થઈ ગયા છે કે જ્યાં સુધી ઊંઘ ની ગોળી ન લે ત્યાં સુધી એ લોકોને ઊંઘ આવતી નથી. પરંતુ તમને જણાવીએ કે આ એક પ્રકારની ખોટી ટેવ છે.

ઊંઘ હંમેશા કુદરતી રીતે આવવી જોઈએ, અકુદરતી રીતે ઊંઘ લાવવાના પ્રયત્નો ન કરવા. જો તમે ગોળીઓ ખાઈને ઊંઘ લો છો તો તમારે ધીરે-ધીરે બંધ કરવું જોઈએ અને કુદરતી રીતે ઊંઘ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

તો અહીંયા તમને કુદરતી રીતે ઊંઘ લાવવા માટે એક એવા સરળ પ્રયોગ વિષે જણાવીશું જે પ્રયોગથી તમારા શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ થશે અને ઊંઘ પણ ઘસઘસાટ આવી જશે. આ માટે પ્રથમ તમારે એક કપ દૂધ લેવાનું છે. દૂધ ગાયનું અને ભેંસનું બંને આવે છે, પરંતુ જો ભેંસનું દૂધ હોય તો તે વધારે ઉત્તમ કેમ કે ભેંસનું દૂધ ઊંઘ લાવવા માટે આપણને ખૂબ જ મદદ કરે છે.

તો એક કપ દૂધ લેવાનું છે. તેમાં જરૂરિયાત પ્રમાણે થોડી સાકર નાખવાની છે અને એમાં એક મીડિયમ સાઇઝની ચમચી ગંઠોડાનું ચૂર્ણ એટલે કે પીપરીમૂળનું ચૂર્ણ નાખવાનું છે અને આ બધું નાખીને બરાબર તેનું મિશ્રણ કરી, તેને મિક્સ કરવાનું છે.

ત્યારબાદ આ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેને થોડું ઉકાળવાનું છે અને સહેજ ઠરવા દેવાનું છે. હવે આ જે દૂધ બનશે તેને ભોજન સાથે અથવા તો સૂતી વખતે પીવાથી તમને સરસ ઘસઘસાટ ઊંઘ આવી જશે. જે લોકો સાંજે દૂધ ભાખરી ખાતા હોય, દૂધ રોટલો ખાતા હોય, દૂધ રોટલી ખાતા હોય, દૂધ ખીચડી ખાતા હોય એટલે કે આવા પ્રકારનાં ભોજન કરતા લોકોને તો આ દૂધ વધુ સરળ રહેશે

દૂધમાં માત્ર સાકર અને ગંઠોડાનું ચૂર્ણ ઉમેરી ને આ પ્રયોગ કરશે તો તેને પણ ઘસઘસાટ ઊંઘ આવી જશે અને જે લોકો સાંજે દૂધ નથી પિતા એવા લોકોએ પણ આ પ્રયોગ કરવો જોઇએ જેનાથી તમને ઘસઘસાટ ઊંઘ આવી જાય.

આ સાથે વાતનું ધ્યાન રાખવું કે સારી ઊંઘ લાવવા માટે વિરુદ્ધ આહાર બંધ કરવો જોઈએ. સાંજે તમારે નસીલા, ખાટા અને તીખા પદાર્થો નથી લેવાના. કેમ કે આ પ્રકારના નશીલા અને તામસી ખોરાક લેવાથી પણ તમારી ઊંઘમાં વિક્ષેપ પડે છે એટલે કે ઊંઘમાં ખલેલ પડે છે. જો તમે આ પ્રકારનો સરળ પ્રયોગ કરશો તો તમને ઘસઘસાટ ઊંઘ આવી જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *