ભારતમાં દર વર્ષે, લોકોમાં સંધિવા, સાંધાનો દુખાવો અને બળતરાની ગંભીર સમસ્યા વધી રહી છે. આર્થરાઈટિસને સંધિવા પણ કહેવાય છે. આ રોગ સામાન્ય રીતે ઉંમર સાથે શરીરને અસર કરે છે. જોકે હવે નાની ઉંમરના લોકો પણ આર્થરાઈટિસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
સંધિવાની આ સમસ્યા વિશે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે વિશ્વ આર્થરાઈટિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાતો તમામ લોકોને આર્થરાઈટિસનું જોખમ ઘટાડવા માટે આહાર પર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપે છે
જો તમે નાની ઉંમરમાં જ સાંધાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા ઈચ્છો છો અને આર્થરાઈટિસનો ખતરો ઓછો કરવા ઈચ્છો છો તો તમે અમુક આહારનું સેવન કરી શકો છો. તો ચાલો જાણીએ આર્થરાઈટિસથી બચવા માટે શું ખાવું જોઈએ.
સફરજન : સફરજનનું સેવન સંધિવાનું જોખમ ઘટાડવા માટે ફાયદાકારક છે. સફરજનમાં ટેનીન નામનું ફિનોલિક કમ્પાઉન્ડ જોવા મળે છે, જે સંધિવાની ફરિયાદને દૂર કરવામાં અસરકારક છે.
વિટામિન સીથી ભરપૂર ફળો : વિટામિન સીથી ભરપૂર ફળોનું સેવન સંધિવાની સમસ્યામાં પણ ફાયદાકારક છે. સંધિવાની ફરિયાદના કિસ્સામાં, દર્દીઓ મોસમી, નારંગી, કીવી, લીંબુ, બેરી, જામુન વગેરે જેવા ફળો લઈ શકે છે. જો કે, દર્દી માટે વિટામિન સી ધરાવતાં ફળોનું સેવન કરવાનો યોગ્ય સમય છે. આ ફળ સવારે કે સાંજે ન ખાઓ, નહીં તો દુખાવો વધી જાય છે. દિવસ દરમિયાન જ ફળો ખાઓ.
આર્થરાઈટિસમાં ફાયદાકારક શાકભાજી : સંધિવાના દર્દી માટે કેટલીક શાકભાજીનું સેવન ફાયદાકારક હોય છે. લસણ, આદુ, બ્રોકોલી, પાલક, ટામેટા અને કોળું આર્થરાઈટીસમાં ફાયદાકારક છે.
માછલી : સાંધાના દુખાવા, સંધિવાની ફરિયાદ હોય તો દર્દીએ માછલીનું સેવન કરવું જોઈએ. ઓમેગા 3 ફેટી એસિડ ધરાવતી માછલીમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
આર્થરાઈટીસના દર્દીઓએ આ વસ્તુઓ ન ખાવી જોઈએ: ઠંડા :– આર્થરાઈટીસના દર્દીઓએ હંમેશા અત્યંત ઠંડો ખોરાક કે ઠંડા પાણીનું સેવન ટાળવું જોઈએ. આ તમને નુકશાન કરે છે.
કેફીન : કેફીનનું વધુ પડતું સેવન સંધિવા માટે પણ નુકસાનકારક છે. તેથી કેફિનયુક્ત વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તેલયુક્ત ખોરાક : ઘી કે તેલમાંથી બનેલી વાનગીઓ અને વધુ તળેલા ખોરાકથી સંધિવાના દર્દીઓમાં દુખાવો વધી શકે છે. તેથી આવી વસ્તુઓથી દૂર રહો.
મેંદો : મેંદા યુક્ત વસ્તુઓ, જેમ કે બિસ્કિટ, નાસ્તો અને ચિપ્સ વગેરે સંધિવાના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે. મેડાથી ચરબી વધે છે અને ગેસની સમસ્યા થાય છે.