મિત્રો મોઢામાં ચાંદા પડવાથી ખૂબ જ દુખાવો થાય છે. મોઢામાં ચાંદા પડે ત્યારે કંઇપણ ખાવાનું ગમતું નથી. જો થોડું પણ તીખું કે ખાટું ખાવામાં આવે તો તરત જ મોઢામાં દુખાવો થવા લાગે છે. આજે અમે તમને મોઢામાં ચાંદાથી છુટકારો મેળવવાના કેટલાક ઘરગથ્થુ ઉપચાર વિષે જણાવીશું.
ભોજનનો સ્વાદ વધારતું લસણ મોઢાના ચાંદાથી છુટકારો મેળવવા માટે ફાયદાકારક છે. મિત્રો લસણમાં એન્ટિબાયોટિક ગુણ હોય છે, જે ચાંદા દૂર કરવામાં મદદ કરે છે. લસણનો ઉપાય કરવા માટે 2 થી 3 લસણની કળીઓ લઈને તેની પેસ્ટ બનાવી લો.
આ પેસ્ટને ચાંદાવાળા અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને 10 મિનિટ પછી તેને ધોઈ નાખો. આમ કરવાથી તમને મોંઢાના ચાંદાથી જલ્દી રાહત મળશે.
મોઢાના ચાંદાને દૂર કરવા માટે ખાવાના પાનમાં વપરાતો કાથો બેસ્ટ છે. એક ચપટી કાથો લઇ મોંના ચાંદા પર લગાવી, થોડીવાર લાળ પાળો. આમ કરવાથી મોં ની ગરમી બહાર નીકળી જાય છે અને ચાંદીથી તરત જ છુટકારો મળી જાય છે. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાથી પણ મોઢાના ચાંદા તરત જ ઘટવા લાગે છે.
ત્રિફળા ઘણી બીમારીઓમાં રામબાણ સાબિત થાય છે. આ ત્રિફલા મોઢાના ચાંદા પણ મટાડે છે. આ માટે દરરોજ નિયમિતપણે ત્રિફળાથી કોગળા કરો. એકવાર કોગળા કરવા માટે ઓછામાં ઓછી 2 થી 3 મિનિટ પાણી મોંમાં રાખો અને પછી કોગળા કરી દો. આવું દિવસમાં ઓછામાં ઓછું 3 વાર કરો.
મધમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ રહેલા હોય છે. આ સિવાય મધ પિત્ત ઘટાડવામાં પણ મદદરૂપ છે. તમને દિવસ દરમિયાન ટાઈમ મળે ત્યારે જીભ પર મધ થોડી વાર રાખો. મધ સૌથી પહેલા, તે ચેપને ઘટાડશે. તે પછી તે જીભની બળતરાને શાંત કરશે અને તેનાથી છુટકારો અપાવશે.
દેશી ઘીને મોઢાના ચાંદા દૂર કરવાનો અકસીર ઈલાજ માનવામાં આવે છે. રાત્રે સૂતા પહેલા ચાંદા પર દેશી ઘી લગાવી આખી રાત રહેવા દો. આ ઉપાય કરવાથી માત્ર 2 થી 3 દિવસમાં ચાંદા મટી જશે.
મિત્રો જો તમને કબજીયાતને કારણે મોઢામાં ચાંદા પડ્યા છે તો તમારે દિવસમાં બે થી ત્રણ કેળા ખાવા જોઈએ. કેળા બજારમાં આસાનીથી બારેમાસ મળી રહે છે. ફાઇબરથી ભરપૂર કેળા ખાવાથી ચાંદા ઝડપથી મટી જાય છે.