આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

સ્ટ્રોબેરી દરેક વ્યક્તિને ભાવતું ફળ છે. જે નાના મોટા દરેક વ્યકતિને ભાવતું જ હોય છે. તે ખાવામાં ખાટી મીઠી હોય છે. જે લાલ રંગની દેખાય છે. નાના બાળકોને સ્ટ્રોબેરીનું સેવન કરવું ખુબ જ ગમતું હોય છે. આપણા સ્વાસ્થ્ય માટે સ્ટ્રોબેરીનું સેવન લાભદાયક છે.

સ્ટ્રોબેરીમાં આયર્ન, વિટામિન-સી, વિટામિન-એ, કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, વિટામિન-કે, વિટામિન-બી1, સોડિયમ, ઝીંક, ફાયબર, પોટેશિયમ જેવા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ પણ મળી આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.

સ્ટ્રોબેરીને પોષણ તત્વોથી ભરપૂર ફળ માનવામાં આવે છે. તેમાં ખુબ જ ઓછી કેલરી જોવા મળે છે. માટે આ ફળ વજન ને કન્ટ્રોલમાં લાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત એક થી બે સ્ટ્રોબેરી ફળનું સેવન દિવસમાં કરવામાં આવે તો તે આપણી ત્વચાને નિખારવા અને વાળને મજબૂત બનાવવમાં મદદ મેળવી શકાય છે. આજે અમે તમને સ્ટ્રોબેરી ખાવાના સ્વાસ્થ્ય ફાયદા વિષે જણાવીશું.

આંખોનું તેજ વઘારે: સ્ટ્રોબેરીમાં સારી માત્રામાં વિટામિન-એ નો સ્ત્રોત મળી આવે છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સીડેંટ આવેલ હોય છે. જે આપણી આંખોને સ્વસ્થ રાખે છે. માટે રોજે એક કે બે સ્ટ્રોબેરીનું સેવન કરીને આંખોને સ્વસ્થ રાખી શકાય છે, જેથી લાંબા સમય સુઘી આંખોનું તેજ રહેશે.

રોગપ્રતિકારક શક્તિને વઘારે: સ્ટ્રોબેરીમાં રહેલ વિટામિન-સી આપણા શરીરની ઈમ્યુનિટીને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. માટે દિવસમાં એક વખત તેનું સેવન કરવું જોઈએ જેથી આપણા શરીરને અનેક વિટામિન મળી રહે છે. જેથી આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે.

પેટના રોગ દૂર કરે: સ્ટ્રોબેરીમાં ફાયબર સારો સ્ત્રોત મળી આવે છે. રોજ એક કે બે સ્ટ્રોબેરી ખાવાથી પેટ સાફ રહે છે. જેથી ગેસ,અપચો, કબજિયાત ની સમસ્યા દૂર થઈ જાય છે. જેથી આપણી પાચનક્રિયા મજબૂત થાય છે. માટે જો પેટને લગતી સમસ્યા હોય તો સ્ટ્રોબેરીનું સેવન કરવાથી રાહત મેળવી શકાય છે.

હાડકાને મજબૂત કરે: આપણા શરીરના હાડકા મજબૂત હોવા ખુબ જ જરૂરી છે. માટે કેલ્શિયમથી ભરપૂર સ્ટ્રોબેરીનુ સેવન કરવું જોઈએ. જે આપણા શરીરમાં થતા સાંઘાના દુખાવામાં ઘણી રાહત આપવામાં મદદ કરશે. તેમાં રહેલ પોષક તત્વો આપણા હાડકાને મજબૂત બનાવી રાખવામાં ખુબ જ મદદરૂપ સાબિત થશે.

વજન ઘટાડવા: સ્ટ્રોબેરીમાં સારી માત્રામાં ફાયબરનો સ્ત્રોત મળી આવે છે. આ ઉપરાંત તેમાં ખુબ જ ઓછી કેલરી હોય છે. તેને ખાવાથી આપણું પેટ ભરેલું હોય તેવું લાગે છે જેથી આપણે ખાવાની ઈચ્છા ખુબ જ ઓછી હોય છે. જો તમે વજન ઓછું કરવા માટે ડાયટ કરતા હોય તો તેમાં સ્ટ્રોબેરીનો સમાવેશ કરી શકાય છે. ચરબીને દૂર કરીને વજન ઘટાડવામાં મદદ મેળવી શકાય છે.

વાળને ખરતા રોકે: આપણા શરીરમાં વિટામિનની ઉણપ થવાના કારણે વાળ ખરવાનું કારણ બની શકે છે. આ માટે જો તમે પોષક તત્વોથી ભરપૂર સ્ટ્રોબેરીને રોજે 1-2 બે ખાઈ લેવાથી આપણા વાળને જરૂરી પોષક તત્વોની ઉણપ પણ દૂર થઈ જાય છે. જેથી આપણા વાળ મજબૂત થાય છે અને ખરતા વાળ પણ બંઘ થઈ જશે.

ત્વચા નિખારે: તેમાં રહેલ વિટામિન-સી ત્વચા માટે ખુબ જ લાભદાયક સાબિત થશે. આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ નામનું તત્વ મળી આવે છે. જે આપણી ત્વચાને ક્લીન રાખવાનું કામ કરે છે. માટે તમે સ્ટ્રોબેરીના બે ટુકડા કરીને તેના ઉપર થોડી હળદર મિક્સ કરીને ચહેરા પર હળવા હાથે ઘસવાથી ચહેરા પર ચોટેલ ધૂળ અને માટી પણ દૂર થાય છે આ ઉપરાંત ખીલ અને ડાઘને પણ દૂર કરે છે. માટે સ્ટ્રોબેરીનો ઉપયોગ કરીને ચહેરા પર નિખાર લાવી શકાય છે.

લોહી વઘારવા: સ્ટ્રોબેરી ફળમાં ભરપૂર આયર્નની માત્રા હોય છે. જે એનિમિયાની સમસ્યા ને દૂર કરવામાં મદદ કરે છે. મહિલાઓમાં સૌથી વધુ લોહીની કમી જોવા મળતી હોય છે. માટે રોજે તેનું નિયમિત સેવન કરવાથી આપણા શરીરમાં હીમોગ્લોબિનની માત્રામાં વઘારો થાય છે. જેથી શરીરમાં લોહીની ઉણપ પણ પૂર્ણ થઈ જાય છે.

પોષક તત્વોથી ભરપૂર આ ફળનું સેવન દરેક વ્યક્તિ કરી શકે છે. નાના બાળકોને તો ખાસ સ્ટ્રોબેરીનું સેવન કરાવવું જોઈએ. જે બાળકોને સારી વિકાસ કરવામાં મદદ કરે છે. માટે રોજે એક-બે ડાયટમાં હરતા ફરતા ખાઈ શકાય છે. સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે સ્ટ્રોબેરી ખુબજ ફાયદાકારક સાબિત થશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *