આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ઉનાળાની ઋતુ એટલે ગરમીની સીઝન, જેમાં સૂર્ય પ્રકાશના તેજ પ્રકોપથી આપણું શરીર ગરમી અને પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, સૌથી વધુ ગરમી આપણું શરીર સહન કરી શકતું નથી. જેના કારણે આપણે ઉનાળામાં બીમાર પડી જતા હોઈએ છીએ.

ગરમીમાં આપણે આપણા શરીરને બંને એટલું ઠંડુ રાખવા પ્રયત્ન કરતા હોઈએ છીએ, તે માટે આપણે સૌથી વધુ એસી માં રહેવાનું પસંદ કરતા હોઈએ છીએ, પરંતુ દરેક વ્યક્તિને એસી માં રહેવાની આદત ના હોય અને એસીમાં બેસવાથી ઘણા લોકોને વોમિટિંગ ની સમસ્યા રહેતી હોય તેવા વ્યક્તિઓ માટે શરીરને ઠંડુ કઈ રીતે રાખવું જોઈએ.

આ માટે આપણે એવી કેટલીક વસ્તુઓ ખાવી પીવી જોઈએ જે આપણા શરીરને સૂર્ય પ્રકાશના તેજ પ્રકોપથી બચાવી રાખશે અને શરીરને ડિહાઈડ્રેશન થી બચાવી હાઈડ્રેટ રાખશે. આ માટે આપણે કઈ વસ્તુ ખાવી અને પીવી જોઈએ તેના વિષે જણાવીશું.

તરબૂચ: તરબૂચ નાના મોટા દરેક વ્યક્તિને ખાવું જોઈએ જે શરીરને અંદરથી ઠંડુ રાખે, જેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે, આ ઉપરાંત તેમાં 90% થી પણ વધુ પાણી મળી આવે છે જે શરીરમાં પાણી ઓછું થવા દેતું નથી. જેથી આપણું શરીર ઠંડુ અને હાઈડ્રેટ રહેશે.

શક્કરટેટી: શક્કરટેટીમાં કેલ્શિયમ, વિટામિન-સી, ફાયબર એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે ગરમીમાં પણ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રાખે છે. શક્કરટેટી ખાવાથી આપણી પાચનશક્તિ પણ મજબૂત રહે છે, જેથી આપણે ફ્રેશ અને તાજગીવાન રહીએ છીએ, શક્કરટેટી ખાવાથી શરીર ઠંડુ રહે છે માટે ગરમીમાં શક્કરટેટી ખાઈ શકાય છે.

મોસંબી: મોસંબી એક એવું ફળ છે જે દરેક સીઝનમાં ખુબ જ આસાનીથી મળી જાય છે, તેમાં રહેલ પોષક તત્વો આપણા શરીરને મજબૂત અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે, માટે ગરમીમાં મોસંબીનો જ્યુસ પીવાથી શરીરને ઠંડક મળે છે અને શરીરમાં ભરપૂર એનર્જી આપે છે. માટે મોસંબી ઉનાળાની સીઝનમાં આપણા આરોગ્ય માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે.

છાશ: છાશ ઉનાળામાં આપણા શરીરને એસી જેવી ઠંડક આપે છે, માટે ભોજન પછી રોજે એક ગ્લાસ છાશમાં સંચર મિક્સ કરીને પીવી જોઈએ, જેથી આપણે કોઈ પણ ખોરાક ખાધો હોય તો તે ખુબ જ ઝડપી પચાવી લેશે અને આપણી પાચનશક્તિને મજબૂત બનાવશે. ગરમીમાં દરેક વ્યક્તિને શરીરને થડક મળી રહે તે માટે છાશ સૌથી ઉત્તમ પીણું છે.

શેરડીનો રસ: શેરડીના રસમાં ગ્લુકોઝનું પ્રમાણ સૌથી વધુ હોય છે જેથી ઈન્સ્ટન્ટ એનર્જી મળી રહે છે, માટે શેરડીનો રસ તાજો બનતો જ પીવો જોઈએ. શેરડીનો રસ પીવાથી શરીરને અંદરથી ઠંડુ રાખે છે માટે મોટાભાગે લોકો રાત્રે બહાર ચાલવા નીકળે ત્યારે પિતા હોય છે.

આપણા શરીરને ઉનાળામાં ઠંડુ રાખવા અને શરીરને હાઈડ્રેટ રાખવા માટે ઉપર જણાવેલ વસ્તુઓ ખાવી જોઈએ. જે આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનવી રાખશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *