આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણે બધા જાણીએ જ છીએ કે સૂર્ય વગર જીવન શક્ય જ નથી. આપણા ઋષિમુનિયો દ્વારા કરાયેલા 12 આસનો નો સમૂહ એટલે જ સૂર્ય નમસ્કાર.મનની શાંતિ, તણાવ માંથી મુક્તિ, એનર્જી મેળવા માટે સૂર્ય નમસ્કાર કરવા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. એકાગ્રતા વઘારવા માં મદદ કરે છે.

યોગ કરવા શરીર માટે સારા છે. યોગ કરવાથી શરીર ફિટ અને સ્વસ્થ રહે છે. માટે દરરોજ યોગ કરવા જરૂરી છે. દરરોજ માત્ર 20 મિનિટ યોગ કરવાથી શરીર માં નવી ઉર્જાનો સંચાર થાય છે. જો તમે રોજિંદા જીવન માં સૂર્ય નમસ્કાર કરો તો તેના સ્વાસ્થ્યને અનેક ઘણા ફાયદા થાય છે.

જો સૂર્યનમસ્કાર દરરોજ કરવામાં આવે તો આપણું હૃદય અને શરીરની દરેક લોહીની નશો માટે અતિ ઉત્તમ કસરત માનવામાં આવે છે. અને વજને ઘટાડવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. માનસિક બીમારી અને શારીરિક બીમારીમાં ઘણો લાભ થાય છે.

સૂર્ય નમસ્કાર કરવાથી તમારૂ શરીર આસાનીથી વળી શકી છે. આખા શરીરમાં લોહીનું પરિભમણ સારું કરે છે. જેથી વાળ ખરવા, વાળ સફેદ થવા જેવી સમસ્યા ઘીરે ઘીરે દૂર થઈ જાય છે. સૂર્ય નમસ્કાર કરવાથી વાત, પિત્ત, કફને સમાન રાખે છે.

તમારી દરરોજની રૂટિન લાઈફસ્ટાઈલમાં સૂર્ય નમસ્કાર નો સમાવેશ કરવો જોઈએ. સૂર્યનમસ્કાર કરવાથી શરીરના દરેક અંગો વર્ક કરે છે. જેથી તમારા સ્નાયુઓ મજબૂત થાય છે. આજે અમે તમને જણાવીશું સૂર્ય નમસ્કાર કરવાથી થતા ફાયદા વિશે.

દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. માનસિક ચિંતા, તણાવ. ટેન્સન ને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત સાંઘા મજબૂત કરવા, વજન ઘટાડવા, પાચન તંત્ર ને સુઘારવા, અનિદ્રાની સમસ્યા, રોગપ્રતિકારક શક્તિ વઘારવા માટે ખુબ જ ફાયદાકારક છે.

વારંવાર જો શરીર જકડાઈ જતું હોય તેમના માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. વજન ઘટાડવા માટે પણ ખુબ જ ઉપયોગી છે. જો શરીરમાં સાંઘા અને સ્નાયુઓ નબળા હોય તો તેને મજબૂત કરવા માટે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. જો તમારા ચહેરાની ચમક લાવવી હોય તો દરરોજ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ.

જો તમને ગેસ, કબજિયાત, એસીડીટી, અપચો જેવી પેટની સમસ્યા હોય તો દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી તે સમસ્યા કાયમ માટે દૂર થાય છે. આખો દિવસ કામ કરીને થાક, કે નબળાઈ, ટેંશન, ચિંતા હોય તો દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી તે દૂર થાય છે અને રાત્રે સારી ઊંઘ આવે છે અને અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે.

સ્ત્રીઓ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. ઘણી મહિલાઓને અનિયમિત પીરિયડ્સની સમસ્યા થતી હોય છે તેમના માટે સૂર્ય નમસ્કાર કરવા વરદાન થી ઓછા નથી. જે માસિક સ્ત્રાવ ને નિયમિત લાવવામાં મદદ કરે છે. દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી આખું શરીર હલન ચલન થાય છે જે કરોડરજ્જુને સ્વસ્થ રાખે છે.

સૂર્ય નમસ્કાર કરવાથી આપણા શરીરના દરેક ભાગ નો ઉપયોગ થાય છે જે શરીરના લોહીનું પરિભ્રમણ માં સુઘારો કરે છે જેથી બ્લડ સર્ક્યુલેશન ને વઘારે છે અને આપણું શરીર એનર્જીથી ભરેલું રહે છે. યોગ કરવાથી આખું શરીર રિલેક્સ થઈ જાય છે. જે શરીરમાં તણાવ અને સ્ટ્રેસ ને દૂર કરવામાં મદદ કરે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *