આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે હવે કોરોનની ત્રીજી લહેર ચાલુ થઈ ગઈ છે. તેવામાં આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત આપણા શરીરમાં ફેફસા અને આંતરડા પણ સ્વસ્થ અને ચોખા હોવા ખુબ જ જરૂરી છે.

ફેફસા અને આંતરડા ને ચોખા રાખવા માટે આપણે યોગ્ય આહારનું સેવન કરવું જરૂરી છે. આ ઉપરાંત ફેફસા અને આંતરડાને સાફ રાખવા માટે યોગ્ય માત્રા યોગ્ય પાણીનું સેવન કરવું ખુબ જ જરૂરી છે.

વાતાવરણમાં થતા બદલાવ અને પ્રદુષિત હવામાન ના કારણે આપણા શરીરમાં નાની મોટી વાયરસની બીમારી થવાની શરૂઆત થઈ જાય છે. વાતાવરણમાં બદલાવ થવાથી શરદી, ખાંસી, કફની સમસ્યા વધુ જોવા મળતી હોય છે.

જો ગળામાં, છાતીમાં અને ફેફસામાં કફ જમા થઈ જાય તો શ્વાસ લેવામાં પણ ખુબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે. માટે કફની સમસ્યા ને દૂર કરવી ખુબ જ જરૂરી છે. તે માટે આપણે દરરોજ રાત્રે સુતા પહેલા અને સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ ગરમ હૂંફાળું પાણીનું સેવન કરવું જોઈએ.

જેથી ફેફસા અને આંતરડા માં જમા થયેલ ગમે તેવો કચરો હશે તો તેને દૂર કરી દેશે અને કફને છૂટો કરીને ગળફા વાટે બહાર નીકાળી દેશે. તો ચાલો જાણીએ કે રાત્રે અને સવારે માત્ર એક-એક ગ્લાસ ગરમ હૂંફાળું પાણી પીવાથી થતા ફાયદા વિશે જણાવીશું.

આપણા શરીરને ડીટોક્સ કરવા માટે યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. દરરોજ યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરવાથી શરીરમાં થાક અને નબળાઈનો અનુભવ થતો નથી અને શરીરમાં ભરપૂર ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે પાચનક્રિયામાં પણ સુઘારો થાય છે.

આખા દિવસ દરમિયાન સાદા પાણીનું સેવન કરવું પણ ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત દિવસમાં બે વખત ગરમ પાણીનું સેવન કરવામાં આવે તો શરીરમાં ઘણા રોગોને દૂર કરી શકાય છે. ગરમ પાણીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.

જો તમારું પાચન તંત્ર યોગ્ય રીતે કામ ના કરતુ હોય અને ખાઘેલ ખોરાક ના પચવાના કારણે કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યા નો સામનો કરવો પડતો હોય તો રાત્રે સુવાના 30 મિનિટ પહેલા એક ગ્લાસ ગરમ હૂંફાળું પાણી પી જવું. જેથી તમારી પાચન ક્રિયામાં સુઘારો થશે અને ખોરાકને આસાનીથી પચાવામાં મદદ કરશે.

આજના સમયમાં ઘણા લોકો વઘારે વજન ની સમસ્યાથી ખુબ જ હેરાન થઇ રહ્યા છે. કારણકે જો વજન વઘારે હોય તો ચાલવામાં, બેસવામાં અને અન્ય કોઈ કામ કરવામાં પણ ખુબ જ તકલીફની સામનો કરવો પડતો હોય છે.

જો આવી સ્થિતિમાં તમારે વજન ઘટાડવું હોય તો દરરોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ હૂંફાળું પાણી પીવું અને સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. જેથી શરીરમાં વઘી રહેલ ચરબી સરળતાથી ઉતરવા લાગે અને વજન પણ ઓછું થાય.

ઘણા લોકો ઓફિસનું કામ કરીને કે ઘરનું કામ કરીને બહુ જ થાકી જતા હોય છે. એવામાં તેમને રાત્રે સૂતી વખતે ઊંઘ આવતી નથી જેથી તે વ્યકતિ બીજા દિવસે થાક અને નબળાઈનો અનુભવ કરતો હોય છે. માટે સારી ઊંઘ લેવા માટે દરરોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ હૂંફાળું પાણીનું સેવન કરી લેવું જોઈએ. જેથી અનિદ્રાની સમસ્યા દૂર થાય.

રાત્રે ગરમ હૂંફાળું પાણીનું સેવન કરવાથી માનસિક તણાવ અને ચિંતા માંથી મુક્તિ મળે છે અને મન શાંત થાય છે. જેના કારણે ખુબ જ સારી ઊંઘ આવે છે. દરરોજ ગરમ હૂંફાળું પાણીનું નિયમિત સેવન કરવાથી આપણા શરીરમાં ઘણા રોગોનો નાશ થાય છે.

આ ઉપરાંત જો તમે કોરાના જેવી મહામારીથી બચવા માંગતા હોય તો દરરોજ દિવસમાં બે વખત ગરમ હૂંફાળું પાણીનું સેવન કરવું જોઈએ. જેથી ફેફસા અને આંતરડા અને શરીરમાં જામેલ ગમે તેવી ગંદકીને અને કફને દૂર કરીને ફેફસાને ચોખા કાચ જેવા બનાવી દેશે અને કોરાનાની ત્રીજી ખતરનાક લહેરથી બચાવશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *