આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય અને પૌષ્ટિક આહાર લેવો ખુબ જ જરૂરી છે. આરોગ્ય નિષ્ણાત અનુસાર આહારમાં અમુક વસ્તુનું સેવન જમ્યા પછી કરવાથી ફાયદો થતો હોય છે અને અમુક વસ્તુનું સેવન જમ્યા પહેલા એટલે કે ખાલી પેટ કરવાથી ખુબ ફાયદો થાય છે.
આરોગ્ય નિષ્ણાત અનુસાર અમુક વસ્તુનું સેવન કરવાથી ભુખ્યા પેટે કરવાથી ફાયદો થાય છે પરંતુ તેનું સેવન યોગ્ય સમયે કરવામાં આવે તો જ તેનો વધુ ફાયદો મળી શકે છે. ઘણા લોકો સવારે ઉઠીને કેટલાક ખાતા ફળોનું સેવન કરતા હોય છે.
પરંતુ તે ખાટા ફળોમાં સાઈટ્રિક એસિડ મળી આવે છે. જેના કારણે તેનું સેવન ખાલી પેટ કરવામાં આવે તો એસીડીટી જેવી સમસ્યા પણ થવાનું જોખમ રહેતું હોય છે. માટે ખાલી પેટ ખાટા ફળોનું સેવન ના કરવું જોઈએ. આજે અમે તમને ખાલી પેટ કઈ વસ્તુનું સેવન કરવું તેના વિશે જણાવીશું. આ વસ્તુઓનું સેવન કરવાથી આરોગ્યને ખુબ જ લાભ મળશે.
પાણી અને મઘ: આપણા સ્વાસ્થ્ય માટે આ પીણું ખુબ જ ફાયદાકારક છે. મઘમાં અનેક મિનરલ્સ, વિટામિન, એન્ઝાઈમ જેવા તત્વો મળી આવે છે. જે આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. મઘ ખાવામાં ખુબ જ મીઠું અને સ્વાદિષ્ટ લાગે છે.
આ ઉપરાંત ગરમ પાણીમાં જો મઘ મિક્સ કરીને પીવામાં આવે તો શરીરમાં રહેલા ઝેરી હાનિકારક તત્વોને બહાર નીકાળી દે છે. માટે ખાલી પેટ ગરમ પાણી અને મઘ મિક્સ કરીને પીવામાં ફાયદાકારક સાબિત થાય છે.
પપૈયાનું સેવન: શરીરમાં આંતરડા અને લીવરને સ્વસ્થ રાખવા માટે પપૈયાનું સેવન કરવું ફાયદાકારક છે. પપૈયું દરેક સીઝન માં આસાનીથી મળી આવે છે. જે શરીરમાં રહેલ હાનિકારક તત્વોને દૂર કરે છે. જેના કારણે કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે.
જેથી હદયને લગતી બીમારીનું જોખમ પણ ઓછું થઈ જાય છે. આ ઉપરાંત સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે જેના કારણે ડાયાબિટીસ દર્દી માટે પપૈયું ખાવું ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. માટે ખાલી પેટ પપૈયું ખાવું યોગ્ય માનવામાં આવે છે.
ડ્રાયફ્રૂટનું સેવન: શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે ડ્રાયફ્રુટનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે ખાલી પેટ બદામ નું સેવન કરો તો પાચન ક્રિયાને સુઘારવામાં મદદ કરે છે.
આ ઉપરાંત તમે અનેક ડ્રાયફ્રુટ જેવા કે કાજુ, પિસ્તા, કિસમિસ જેવા ડ્રાયફ્રુટનું સેવન રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. દરરોજ આ ડ્રાયફ્રુટનું સેવન ભૂખ્યા પેટે કરવામાં આવે તો તેના ઘણા બઘા ફાયદા જોવા મળે છે.