આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજના સમયમાં મોટાભાગના લોકો કોઈના કોઈ બીમારીના સકંજામાં આવેલ હોય જ છે. હાલમાં નાની ઉંમરે જ એવી કેટલીક ગંભીર બીમારીઓ થઈ જાય છે. જે વ્યક્તિને હેરાન કરી દે છે. તેવી જ એક બીમારી છે જે કોઈ પણ સમયે થઈ શકે છે.

તે બીમારી હૃદયને લગતી બીમારી છે. હૃદયને લગતી બીમાર પહેલાના જમાનામાં 55 -60 વર્ષની ઉમર પછી થતી હતી. પરંતુ હાલના આધુનિક યુગમાં 30-35 વર્ષની ઉંમરના વ્યક્તિને હૃદયને લગતી બીમારી જોવા મળી રહી છે.

હૃદયની બીમારી એવી બીમારી છે જે થાય તો ખુબ જ ગંભીર સ્વરૂપ લઈ લે છે. હૃદયને લગતી બીમારી થાય તો હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોકનું જોખમ પણ વઘી જાય છે. હૃદયને લગતી બીમારીથી બચવા માટે આપણે હૃદયને સ્વસ્થ રાખવું ખુબ જ જરૂરી છે.

એટલા માટે આપણે યોગ્ય પૌષ્ટિક અને હેલ્ધી આહારનું સેવન કરવું જોઈએ. હેલ્ધી આહાર લેવાથી આપણે હૃદયને હંમેશા સ્વસ્થ રાખી શકીશું. હૃદયને સ્વસ્થ રાખવા માટે આપણે કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખવું ખુબ જ જરૂરી છે.

આપણા શરીરમાં લોહી જામી જવું, લોહીની ગાંઠો થવી જેવી સમસ્યા રહેતી હોય તો લોહીના પરિવહનનો વેગ ઓછો થવા લાગે છે જેથી હૃદયની નસોમાં પૂરતું લોહી ના પહોંચવાના કારણે હૃદય નો હુમલો પણ આવી શકે છે. જેને હાર્ટ અટેક કહેવાય છે.

જો તમે પણ હૃદયને લગતી બીમારીથી બચવા માંગતા હોય તો રોજે મગફળીના દાણાનું સેવન કરવાનું છે. આ વસ્તુના 7-8 દાણા ખાઈ લીઘા તો હૃદય હમેશા સ્વસ્થ રહેશે. હૃદયને હેલ્ધી બનાવી રાખવા મગફળીના દાણા ખુબ જ ફાયદાકારક છે.

મગફળીમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે. જેમ કે, કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, વિટામિન-ઈ, વિટામિન-એ, આયર્ન, વિટામિન-બી3, મેગ્નિનીઝ, ઝીંક, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા તત્વોનો ખજાનો મળી એવું છે. મગફળીને ગરીબોની બદામ કહેવામાં આવે છે. કારણકે તેમાં બદામ જેટલા ગુણ મળી આવે છે.

રોજે મગફળીના 7-8 દાણા ખાઈ લેવામાં આવે તો આપણા શરીરમાં જે લોહી જાડું થઈ ગયું હોય તેને પાતળું કરવામાં મદદ કરે છે. સાથે ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને દૂર કરી સારા કોલેસ્ટ્રોલ ને જાળવી રાખવામાં મદદ કરે છે. ગંઠાઈ ગયેલ લોહીને પાતળું કરવા માટે મગફળી ખાવી ખુબ જ ફાયદાકારક છે.

શરીરની દરેક નસોમાં લોહીનું પરિવહન ઝડપી બનાવામાં ખુબ જ ફાયદાકારક છે. જેથી નસો બ્લોક થવાનું જોખમ ઘટી જાય છે. જેથી હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોક થવાનુ જોખમ પણ ખુબ જ ઓછું થઈ જાય છે.

નાની ઉંમરે થતી હૃદયને લગતી બીમારીથી બચવા માટે રોજિંદા આહારમાં મગફળીનો સમાવેશ કરવો જોઈએ. હૃદય આપણા શરીરનું સૌથી મહત્વ નું અંગ માનવામાં આવે છે. માટે હૃદયને સ્વસ્થ રાખવા માટે રોજે મગફળીના 7-8 દાણાનું સેવન કરી જ લેવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *