આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

મોટાભાગના દરેક વ્યકતિએ બદામ ખાઘી જ હશે. નાની ઉંમરથી બાળકોને બદામ ખવડાવામાં આવે છે. કારણકે તેનું સેવન કરવાથી બાળકોની યાદ શક્તિમાં વઘારો થાય છે. મગજ સ્વસ્થ અને હેલ્ધી રહે છે. બદામ ખાવામાં ખુબ જ મીઠાશ હોય છે. બદામ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ઘણા લોકો બદામ ડાઈરેકટ ખાઈ લેતા હોય છે. પરંતુ તેના કરતા જો બદામને રાત્રે પલાળીને સવારે ખાઈ લેવામાં આવે તો તેના ઘણા બઘા ફાયદા થતા હોય છે. બદામ પર્વતીય વિસ્તારમાં થતી હોય છે. બદામ એક સૂકું ડ્રાયફ્રુટ છે. તેમાં સારી માત્રામાં પોષક તત્વો આવેલ છે.

તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાયબર, મેગ્નેશિયમ, ઝીંક, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન-ઈ, એન્ટી ઓક્સીડેન્ટ જેવા તત્વોનો સ્ત્રોત મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થાય છે. માટે આજે અમે તમને પલાળેલી બદામ ખાવાના ફાયદા વિશે જણાવીશું.

બદામને પલાળવાની રીત: સૌથી પહેલા એક બાઉલમાં થોડું પાણી લઈ લો, હવે તેમાં પાંચ થી છ બદામ નાખી દો. હવે તે બાઉલને ઢાંકીને આખી રાત રહેવા દો. સવારે ઉઠો ત્યારે તે બદામને ખાલી પેટ ચાવી ચાવીને ખાઈ જવી. આ રીતે બદામ ખાવાથી ઘણા ફાયદા થશે.

ફાયદા: ડાયાબિટીસ: પલાળેલી બદામનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. માટે ડાયાબિટીસ દર્દી માટે બદામનું સેવન સૌથી સારું માનવામાં આવે છે. માટે દરરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત તેનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ થવાનું જોખમ રહેતું નથી.

ત્વચા માટે: બદામમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ ત્વચા માટે લાભદાયક સાબિત થાય છે. તેનું સેવન નિયમિત કરવાથી ઉંમર વઘવાની સાથે ચહેરા પર કરચલી પડતી નથી, આ ઉપરાંત ચહેરા ને સુંદર બની રાખે અને 60 વર્ષની ઉંમરે પણ જવાન દેખાવામાં મદદ કરે છે.

માંસપેશીયો માટે: બદામમાં પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત મળી આવે છે. જે શરીરમાં પ્રોટીનની ઉણપને દૂર કરે છે. માટે પલાળેલી બદામનું સેવન કરવાથી માંસપેશી મજબૂત થાય છે.

હદય માટે: આ પલાળેલ બદામનું સેવન કરવાથી શરીરમાં વધારાના કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે. આ ઉપરાંત શરીરમાં લોહીનું પરિભ્રમણ સુઘારે છે. લોહીને જાડું થવા દેતું નથી. જેના કારણે કોઈ પણ નસો બ્લોક થતી નથી અને હૃદયને લગતી બીમારી હાર્ટ અટેક ની સમસ્યા સર્જાતી નથી. તેનું નિયમિત સેવન કરવાથી આપણી હદય સ્વસ્થ અને હેલ્ધી રહે છે.

પાચનક્રિયા સુઘારે: પલાળેલી બદામનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુઘારો થાય છે. તેમાં ભરપૂર ફાયબરનો સ્ત્રોત મળી આવે છે. માટે તેનું સેવન સવારે ખાલી પેટ કરવામાં આવે તો ના પચેલ ખોરાકને પચાવવામાં મદદ કરે છે. જેથી કબજિયાત, અપચો, ગેસ જેવી પેટને લગતી બીમારી સર્જાતી નથી.

પ્રેગ્નેન્સીમાં લાભદાયક: જયારે બદામને પલાળવામાં આવે છે ત્યારે તેમાં ઓમેગા -ફેટી એસિડ નો સ્ત્રોત સારો મળી આવે છે. જે પ્રેગ્નેન્સી માં પણ ફાયદાકારક છે. માટે પલાળેલી બદામ નું સેવન કરવાથી નુટ્રિશિયન મળી રહે છે જેથી માતા અને ગર્ભ માં રહેલ બાળક બંને સ્વસ્થ રહે છે.

બદામમાં ફ્રોસ્ફરસ નામનું તત્વ હોય છે જે દાંતને મજબૂત કરવામાં મદદ કરે છે. વજન ઓછું કરવા માટે પણ પલાળેલી બદામ ખુબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી ખાવામાં કંટ્રોલ થઈ જાય છે. જેથી વજન વઘતું નથી.આ ઉપરાંત તેનું સેવન કરવાથી વઘારાની ચરબીને દૂર કરે છે.

પલાળેલી બદામનું સેવન નાના બાળકોને કરાવામાં આવે તો બાળકોની યાદશક્તિ મજબૂત થાય છે. મગજ પણ સ્વસ્થ અને યોગ્ય રીતે કામ કરે છે. પલાળેલ બદામનું સેવન કરવાથી શરીર માંથી ખરાબ કોલેસ્ટ્રોલ ને બહાર નીકાળવામાં મદદ કરે છે.

શરીરમાં થાક અને નબળાઈને દૂર કરવામાં પલાળેલી બદામ ખુબ જ ફાયદાકારક છે. માટે તેનું નિયમત સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી શરીરમાં શારીરિક કમજોરી પણ દૂર થઈ જાય છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *