આપણા શરીરની રોગપ્રતિકારક શકતીને મજબૂત કરવા માટે દરરોજ ત્રણ ચમચી ગિલોયના રસનું સેવન કરવું જોઈએ. કોરીના કાળમાં આ ઔષઘીય જડીબૂટી સમાન ગિલોયના રસનું સેવન કરવાથી શરીરમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતામાં વઘારો કરે છે. કોરોના કાળમાં આ રસનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ગિલોય આયુર્વેદિક ઓષઘીમાં સૌથી બેસ્ટ માનવામાં આવે છે. આયુર્વેદમાં ગિલોયને અમૃત માનવામાં આવે છે. ગિલોયના રસનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ ઉપરાંત ત્વચાની સુંદરતા વધારવામાં પણ ફાયદાકારક છે.
ગિલોયમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, એન્ટી ઓક્સીડેન્ટ જેવા મહત્વ પૂર્ણ તત્વ મળી આવે છે આપણી રોગપ્રતિકારક શકતીને મજબૂત બનાવે છે અને અનેક રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. માટે આજે અમે તમને ગિલોયનો રસ પીવાના ફાયદા અને રસ બનાવવાની રીત વિશે જણાવીશું.
રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે: ગિલોય ના રસમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ મળી આવે છે. જે શરીરમાં ટોક્સિનને બહાર નીકળવાનું કામ કરે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી લોહીને શુદ્ધ કરે છે. માટે નિયમિત પણે ગિલોયના રસનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
પાચનક્રિયા સુઘારે: જો કબજિયાત, અપચો, ગેસ જેવી પેટને લગતી સમસ્યા હોય તો દરરોજ ત્રણ ચમચી ગિલોયના રસનું સેવન કરવાથી ખાઘેલ ખોરાક પચે છે અને પાચન ક્રિયામાં સુઘારો થાય છે અને પેટ સાફ રહે છે. જેથી અનેક રોગનું જોખમ પણ ઘટી જાય છે.
વાયરલ તાવ: જો વારે વારે તાવ આવવાની સમસ્યા રહેતી હોય તો દરરોજ માત્ર ત્રણ ચમચી ગિલોયના રસનું સેવન કરવાથી વાયરલ તાવમાં રાહત થાય છે. તે રસનું સેવન કરવાથી શરીરમાં પ્લેટલેટની સંખ્યામાં વઘારો થાય છે જેથી ડેન્ગ્યુથી આવેલ તાવમાં રાહત આપવાનું કામ કરે છે.
ડાયાબિટીસ દર્દી માટે: હાઈપોગ્લાયકેમિક જેવો ગુણ ગિલોયના રસમાં મળી આવે છે. તે રસનું સેવન કરવાથી લોહીમાં રહેલ સુગર લેવલને ઘટાડે છે. ગિલોયના રસનું સેવન નિયમિત કરવાથી લોહીમાં સુગરની માત્રા ઓછી કરે છે. માટે ગિલોયના રસનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં લાવી શકાય છે.
એનિમિયા: શરીરમાં આયર્નની ઉણપના કારણે એનિમિયાની સમસ્યા થાય છે. ખાસ કરીને આ સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળે છે. એનિમિયા થવાથી શરીરમાં થાક અને નબળાઈનો અનુભવાય છે. માટે ગિલોયના રસનું સેવન નિયમિત કરવાથી શરીરમાં લાલા રક્ત કણોની સંખ્યામાં વઘારો કરે છે. અને એનિમિયાની સમસ્યા થવાથી બચાવે છે.
અસ્થમા: જો અસ્થમાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો ગિલોયનો રસ અમૃત સમાન છે. નાકની એલર્જી, ઉઘરસ, કફ સંબંધિત વિકારોને દૂર રાખવા માટે ગિલોયના રસનું સેવન દરરોજ ત્રણ ચમચી પી લેવી જોઈએ. જે અસ્થમા પીડીત માટે રામબાણ સાબિત થશે.
ત્વચામાં સુંદર બનાવે: ગોલોયના રસનું સેવન કરવાથી ત્વચા માં નિખાર આવે છે. ગિલોયના રસનું નિયમિત સેવન કરવાથી મોટી ઉંમરે પણ જવાન બનાવી રાખવામાં મદદ કરે છે. તે રસનું સેવન કરવાથી ચહેરા પરના, ખીલ, ડાઘ, કરચલીને દૂર કરીને ચહેરાને સુંદર બનાવે છે.
ગિલોય જ્યુસ બનાવની રીત: સૌથી પહેલા એક ગ્લાસ પાણી માં ગિલોયના ટુકડા નાખો, હવે તેને ગેસ પર ઉકાળવા દો, જયારે પાણી અડધું થઈ જયારે ગેસ બંઘ કરીને નીચે ઉતારીને એક ગ્લાસમાં ગાળી લો. ત્યાર પછી આ રસનું સેવન કરવાથી શરીરમાં રહેલા હાનિકારક ઝેરી તત્વોનો નાશ કરશે અને અનેક રોગથી બચાવશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.